SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરેલા ઢોરના ચામડાને ચીરે ને સાફ કરવા વાળા એક ચમારના હૃદયમાં કાવ્ય-વીણાના ઝગમગતા કોમલતારોં ને જોઈને સાચેજ આશ્ચર્ય થાય છે. શિષ્ય પરંપરા દાસીજીવણની શિષ્ય પરંપરામાં થયેલા કોટડા સાંગાલીન કડિયા ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ, અને અરજણદાસની વાણી પણ રવિભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે. આ સંપ્રદાયની કવિ-શિષ્ય પરંપરામાં રાધનપુર નજીકના કલ્યાણદાસ વાંકાનેરના રતનદાસ, રાધનપુરના મોહનદાસ, સાંતલપુરના રાધાદાસ, કચ્છ વિરાણીના તલકદાસ, સ્વરૂપદાસ, શ્યામદાસ મેરામદાસ, રાજુલદાસ, ગબલદાસ, લાલસાહેબ (પાટણ), ચરણદાસ, વણારસીમાના જીવણદાસ, ગંગસાહેબ, ભીમદાસ ચરણ, હરજીવનદાસ જેવા નાના મોટા અનેક સંત ભજનિક કવિઓની ભજનવાણી રવિભાણ સંપ્રદાયની જગ્યાઓમાં પડેલી હસ્તપ્રતોમાં સચવાયેલી જોવા મળે છે. એમાંની કેટલીક લોકભજનિકોની મંડળીઓમાં ગવાય છે. રવિભાણ સંપ્રદાયના સાધના-સિદ્ધાંતો અને વિચારધારા મુજબ આ દરેક સંતકવિઓની રચનાઓમાં નામનો મહિમા, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ અને યોગસાધના દ્વારા પરમતત્ત્વ સાથે અનુસંધાન તથા કબીરસાહેબ કથિત શબ્દસૂરતયોગની સાધના મુખ્ય છે. ભક્તિ, જ્ઞાન, યોગ અને કર્મસેવા એ અધ્યાત્મમાર્ગના ચારે પ્રવાહોનો સમન્વય આ સંતોની વાણીમાં થયેલો જોવા મળે છે. મધ્યકાળના અન્ય સંત-ભક્તોના જીવન સંબંધે બન્યું છે તેમ દાસીજીવણના જીવન અંગે પણ કેટલીક ચમત્કારિક ઘટનાઓ લોકમુખે (કંઠે) સચવાતી આવી છે. ઘણા ચમત્કારો એમના જીવન સાથે જોડાયા છે. આ સંત અત્યંત લોકાદાર પામીને બરાબર પંચોતેર વર્ષનું આયુષ્ય ભોગવી ઈ.સ. ૧૮૨૫ માં અનંતમાં ભળી જવા જીવતા સમાધિ જન્મસ્થળ ઘોઘાવદરમાં જ લે છે, બીજું લોકવાયકા નોંધાયેલી છે કે તેમણે ગિરનારના શેષાવનમાં સમાધિ લીધી હતી. પરંતુ એ અધિકૃત હોય એમ જણાતું નથી. સમાધિ લે છે ત્યારે એમના કંઠમાં ભજન ગુંજતું હતું. હાટડિયો કેમ રેવાશે ભાઈ મારા રામની રજા નહીં... સંદર્ભ ગ્રંથ ૧. ‘ઊર્મિનવરચના', ૧૯૭૫ ૨. “દાસીજીવણનાં પદો', ૧૯૬૬, અમદાવાદ ૩. “ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', ગ્રંથ ૨, ખંડ, પુનર્મુદ્રણ, ૨૦૦૬, અમદાવાદ ૪. “ગુજરાતી સાહિત્ય કોશ', ખંડ ૧, ૧૯૮૯, અમદાવાદ ૫. “ગુજરાતી વિશ્વકોશ', ખંડ ૭, ૧૯૯૬, અમદાવાદ ૬. “Tગરાત સંતી, હિન્દી સાહિત્ય જો ટ્રેન', ૨૨૬૮, મથુરા સંત ભજનિક દાસીજીવણ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy