________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેલાવે છે, તે તેનો કયો ઉપકાર નથી કરતો ? એટલે કે, કવિઓ કાવ્યરચના વડે રાજાઓના યશને ફેલાવે છે અને તે રીતે તેઓ તે રાજાઓને ઉપકૃત કરે છે, અને જેઓ બીજાના પ્રતિ ઉપકારની ભાવના દાખવે છે, તેઓ ધર્મ તથા તેજને પામે છે અને આમાં મોક્ષને પામેલ વ્યક્તિઓ જ સાક્ષી બની શકે.”
આમ, રાજાઓના યશને વધારનાર કવિઓ તેમનો ઉપકાર કરતા હોવાથી એક રીતે તો ધર્મનું જ આચરણ કરે છે અને સાથે જ તેજની પણ વૃદ્ધિ કરે છે.
આ રીતે, પરંપરયા ધર્મ પણ કાવ્યનું પ્રયોજન બને છે.
આ પછી, ધર્મ સિવાયના પુરુષાર્થોને પણ કાવ્યપ્રયોજનરૂપે સિદ્ધ કરતાં રુદ્રટ જણાવે છે કે, સુંદર દેવસ્તુતિ રચનાર કવિ અનર્થનું શમન કરનાર અર્થ, અસાધારણ સુખ અથવા તે જે કંઈ ઇચ્છે તે બધું જ પ્રાપ્ત કરે છે.
નમિસાધુ નોંધે છે કે, અસાધારણ સુખ આ લોકમાં કામનાથી ઉત્પન્ન થયેલ હોય છે અને પરલોકમાં મોક્ષથી જન્મેલું હોય છે.
કાવ્યરચના દ્વારા કવિ બધું જ પામી શકે છે એ અંગે ઉદાહરણ આપતાં, રુદ્રટ જણાવે છે કે, જેમ દર્ગાને નમીને અનિરુદ્ધ આદિએ શત્રુ વડે પ્રાપ્ત અભિભવરૂપ વિપત્તિનો નાશ કર્યો, વીરદેવ વગેરેએ આરોગ્ય મેળવ્યું તથા શત્રુઘ્ન વગેરે અભીષ્ટ વરદાન પામ્યા. એ જ રીતે, કવિઓ પણ દેવતાની કૃપાથી કાવ્યરચના કરીને યથેચ્છ મેળવવાને સમર્થ બને છે.
હવે, કદાચ કોઈને શંકા જાગે કે, પહેલાં જેમ વિક્રમાદિત્ય વગેરે રાજાઓ કવિઓનું બહુમાન કરતા હતા એવું આજના રાજાઓની બાબતમાં જોવા મળતું નથી, તો પછી દેવતાઓ દ્વારા પણ કદાચ ફળ ન મળે તો ? આ આશંકાને નિર્મળ કરતાં રુદ્રટ જણાવે છે કે, રાજાઓ ભલે બદલાયા. દેવતાઓ તો તેના તે જ હોય છે તેથી તે દેવતાઓની સ્તુતિ દ્વારા કવિઓ તરત જ લાભાન્વિત થાય છે.
આ રીતે, કાવ્ય દ્વારા કવિ જે કંઈ ચાહે તે પામી શકે છે. એટલે કે, તે સઘળું કાવ્યના પ્રયોજનરૂપ બની શકે. રુદ્રટ નોંધે છે કે, મહાન ગુણરૂપી મણિઓના સાગર અને મહાન યશના આશ્રયરૂપ કાવ્યને સંપૂર્ણ રીતે કોણ પામી શકે છે ? અર્થાત, કાવ્યનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાને કોણ સમર્થ હોઈ શકે ?૧૦
નમિસાધુ નોંધે છે કે, यतो यथा सागरे मणीनामानन्त्यमेवं काव्ये गुणानामपि इति तात्पर्यम् ॥
આમ, કાવ્યનાં પ્રયોજનો અનંત હોય છે એવું દ્રુટ માનતા જણાય છે, અને તેથી જ તેઓ જણાવે છે કે, બધી જ જાણવા યોગ્ય વિગતોને જાણનાર અને સમ્યફ રીતે પુરુષાર્થને સિદ્ધ કરનાર કુશળ જનોએ સુંદર કાવ્યની રચના કરવી જોઈએ.૧૨
આ દ્વારા સ્પષ્ટ થાય છે કે, જેમણે સઘળા શેય પદાર્થોને જાણ્યા નથી અને જેઓ કુશળ નથી, તેઓ નિર્મલ, સરસ ને સ-ફલ કાવ્ય રચી ન શકે.
અહીં વળી શંકા થાય છે, જાણવાલાયક વિગતોને જાણવા માત્રથી જ શું પુરુષાર્થની સિદ્ધિ ન થઈ જાય ? અને તો પછી, કાવ્યરચના કરવાનું કોઈ પ્રયોજન ખરું? પરંતુ આવી શંકા કરવી યોગ્ય નથી, કેમ કે, વ્યાકરણ તથા ન્યાયના શાસ્ત્રગ્રંથો દ્વારા વાણી સુસંસ્કૃત બને છે અને તે વાણી સરસ કાવ્યરૂપી ફળ આપનારી છે. તે જ વિદ્વાનો માટે પણ ફળરૂપ છે. ૧૩ દ્રટને અભિમત કાવ્યપ્રયોજન
For Private and Personal Use Only