SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તરરામચરિતમાં નિરૂપિત પ્રકૃતિનું રૌદ્રરૂપ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ડૉ. ડી. એચ. ગોસ્વામી* ભરતમુનિને મન તો સંસ્કૃત નાટક ફક્ત મનોરંજન પ્રાપ્તિનું માધ્યમ જ હિ, લોકોપયોગી પણ હોવું જોઈએ. दुःखार्तानां श्रमार्तानां शोकार्तानां तपस्विनाम् । विश्रान्तिजननं काले नाट्यमेतन्मया कृतम् ॥ ધર્મ, અર્થ અને આયુષ્યને (વધારનારું) કરનારું, હિતકારક, બુદ્ધિ વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું આ નાટક હશે. નાટકનો મહિમા પણ વર્ણવ્યો છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું શિલ્પ નથી, એવી વિદ્યા નથી. એવી કળા નથી, એવું કોઈ કર્મ નથી કે જે આ નાટકમાં ન હોય.' આમ સંસ્કૃત નાટક ફક્ત મનોરંજન પ્રાપ્તિનું માધ્યમ જ નથી, તેમાંથી ઘણું જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. ભારતના આ વિચારને ભવભૂતિએ ઉત્તરરામચરિત નાટકમાં સાર્થક કર્યો છે. ભવભૂતિએ પ્રકૃતિનું નિરિક્ષણ ઘણી સાવધાનીથી કર્યું છે, પ્રકૃતિનાં ફક્ત કોમળ પાસાઓનું જ નહિ ભયંકર કે રૌદ્ર પાસાઓનું નિરૂપણ કર્યું છે, મહદ્ અંશે કુદરતી પ્રકોપમાં પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનાં આપણને દર્શન થાય છે. ભવભૂતિ વાચકો અને ચિત્તકોને જાણે કહેતો ન હોય, કોમળ પ્રકૃતિ પણ ક્યારેક રૌદ્રરૂપ ધારણ કરે છે તેના રૌદ્રરૂપને ઓળખો અને પ્રકૃતિની માવજત કરો. વર્તમાન સમયના સંદર્ભમાં કહેવું હોય તો પર્યાવરણને ઓળખો અને જાણો, અને એટલા માટે જ તો આજે યુનિવર્સિટીઓને પણ ખ્યાલ આવ્યો છે કે વિદ્યાર્થી પર્યાવરણ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિશે જાણતો હોવો જોઈએ. કારણ કે વ્યક્તિ પર્યાવરણ અને પ્રકૃતિને જાણતો હશે તો જ તેના રૌદ્રરૂપના સમયે જાગૃત રહી શકશે, પોતે સલામત રહી શકશે અને અન્યને સલામત રાખી શકશે, ૨૬ જાન્યુ. ૨૦૦૩નો ગુજરાત, કચ્છનો ભૂકંપ, સુનામીનું તાંડવ, કંડલાબંદરનું ૯૭-૯૮નું વાવાઝોડું, ૨૩ જૂન ૧૯૯૭નું પૂર વગેરેમાં આપણને પ્રકૃતિનું કે કુદરતનું રૌદ્રરૂપ જોવા મળ્યું. ભવભૂતિએ પ્રકૃતિનાં કોમળ અને કઠોર બન્ને સ્વરૂપો પોતાના નાટકોમાં નિરૂપ્યાં છે. કીથ કહે છે કે જે ભય પ્રેરક અને શોભાયમાન હોય તેનું ભવભૂતિને આકર્ષણ છે. ભવભૂતિના નાટકોમાં વનદેવતા, વસુંધરા અને ગંગાનદી પોતે સ્વયં પાત્રરૂપે પ્રેક્ષકોની સમક્ષ પ્રત્યક્ષ થાય છે. કાલિદાસની પ્રકૃતિ કોમળ છે, જ્યારે ભવભૂતિની પ્રકૃતિમાં કોમળ અને કઠોર બન્ને પાસાં દષ્ટિગત થાય છે. જનસ્થાનમાં તપ કરતા શમ્બકનો વધ કરવા માટે રામ જયારે જનસ્થાનમાં દંડકારણ્યમાં પધારે છે ત્યારે દંડકારણ્યના પ્રદેશનો ભૌગોલિક પરિચય આપે છે. स्निग्धश्यामाः क्वचिदपरतो भीषणाभोगरुक्षाः स्थाने स्थाने मुखरकुभो ज्ञाङ्कृतैर्गिझराणाम् । एते तीर्थाश्रमगिरिगर्तकान्तारमिश्राः सन्दृश्यन्ते परिचितभुवो दण्डकारण्यभागाः ॥१४॥ આ તીર્થ, આશ્રમ, પર્વત, નદી, ખાડા અને જંગલોથી યુક્ત દંડકારણ્યનો ભાગ છે કે જયાં ક્યાંક 8 અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, મ્યુ. આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કૉલેજ, મહેસાણા-૩૮૪૦૦૨ સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે, ૨૦૦૭ ૬૪ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy