SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવનું સ્વરૂપ જ કવિને અભિપ્રેત છે. કુમારસંભવ મહાકાવ્યમાં શિવજી સમાધિસ્થ હોવાનું કારણ ‘સતૌ યોગવિસૃષ્ટવેરા’ બતાવાયું છે.' બ્રહ્માજીની સ્તુતિમાં સ્ત્રીપુત્વ વિભાગ પછીથી સ્વીકાર કરાયો છે. fuતર શબ્દનો પ્રયોગ “એક શેષ હં' ધ્યાનપાત્ર છે. રઘુવંશના આરંભનાં પદ્યમાં પણ અર્ધનારીશ્વર શિવ-શિવાની સાયુજય ભાવ જ છે. અહીંથી ‘દ્ધતિ: પ્રણવો યાસમ્ (કુ. ૨/૧૨)' શબ્દ બ્રહ્મનો આવિષ્કાર થયો છે. શબ્દબ્રહ્મનું પ્રાકટ્ય કુંડલિની શક્તિથી જ થાય છે. તત્રમાં પણ મૂલાધારથી મણિપુર ચક્ર સુધી બ્રહ્મા, અનાહત-ચક્રમાં વિષ્ણુને સહસ્ત્રારમાં શિવ-સ્વરૂપ વ્હોય છે. કુંડલિની ચિતિ શક્તિ અને શિવના મિલનથી જ આનંદ નિષ્પન્ન થાય છે. આ જ કુમારસંભવ છે. કુમારના આનંદનો સંભવ છે. શિવજીને “નીત્વનોદિતતસ: (રુ. ૨/૫૭), પરં તિસ્તમઃ પારે' (. ૨/૫૮) કહ્યા છે. આવા શિવની સાથે ઉમાના ઉચિત સંયોગની વાત બતાવતા બ્રહ્માએ કહ્યું છે. ઉમાનું સૌંદર્ય ‘મયાન્ત' અને શિવજી ‘' ઉમાની શક્તિના પ્રાબલ્યનો કવિએ સ્વીકાર કર્યો છે. બંનેની બીજાધાન શક્તિ સમાન છે. જલમયી મૂર્તિ રેતનું સૂચન સ્પષ્ટ છે.જA સમાધિસ્થ ભગવાન શિતિકંઠ પરમ-જયોતિનું ધ્યાન કરે છે,' પરંતુ ઉમાના આગમનની સાથે શિવજીનું ધ્યાન પૂર્ણ થઈ જાય છે. માનો કે શિવજી પરમ-જ્યોતિ શિવાનું ધ્યાન કરી રહ્યા હોય ! શિવજીએ સપ્તર્ષિઓને કહ્યું છે કે લગ્નની ઇચ્છા સ્વાર્થપરક નથી." સતી, પાર્વતી, ઉમા, આદ્યશક્તિ છે. શિવજીના તેની સાથેના લગ્ન શિવને શક્તિયુક્ત કરવા માટે છે. ‘શિવ: શવન્યા યુt | શm: પ્રવિતમ્ ' (સૌન્દર્યની ૨) શિવ શક્તિ વિના કંઈ જ કરી શકે તેમ નથી. કાલિદાસે પાર્વતીના જ સૌદર્યનું નખશિખ વર્ણન કર્યું છે એ બીજી કોઈ નાયિકાના સૌંદર્યનું નખશિખ નિરૂપણ કવિએ કર્યું નથી. પાર્વતી કવિની સામે કોઈ સામાન્ય નાયિકા નથી. પાર્વતી આદ્યશક્તિ છે. એટલા માટે કવિએ આઠમા-સર્ગમાં સંભોગ શૃંગારનું નિરૂપણ કરતી વખતે પાર્વતી, ઉમા વગેરે નામોની સાથે “અંબિકા' શબ્દનો પણ પ્રયોગ કર્યો છે. આદ્યશક્તિ સતી, ગૌરી કે પાર્વતી જ મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી છે. અન્ય દેવીઓના વર્ણનમાં કેવળ મહાકાલીનું જ સ્વરૂપ વર્ણન કવિએ કર્યું છે. શિવજીના વિવાહ સમયે જાનૈયાઓમાં માતમણ્ડલ શિવજીની પાછળ છે. ૭A તે માતાઓની પાછળ કાલી ચાલી રહી છે. તાડકાવધ પ્રસંગમાં કવિએ તાડકા વર્ણનમાં કાલીનું સ્વરૂપ ઉપમાન બતાવ્યું છે. ताडका चलकपालकुण्डला कालिकेव बलाकिनी (रघु. ९/१७) ‘શોધિત્વષ્ય પુરૂવમેવૃતામ્ ' (પૃ. ૬/૧૭) ‘ન્યવક્રોક્ષિતા' (પૃ. ૬/૨૦) તાડકાનું વર્ણન સ્મશાન કાલી કે રુડમુડ઼ભરણા આંતમેખલા રુધિરચન્દનચર્ચિત કાલીના વિશિષ્ટ સ્વરૂપમાં જ કવિએ અભિવ્યંજિત કર્યું છે. મહાલક્ષ્મીનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ વર્ણન કર્યું નથી. મહાલક્ષ્મીએ ઉમા-શંકર પર છત્ર ધારી રાખ્યું હોવાનું વર્ણન મળે છે. 0 સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy