________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(માતૃગૃહ-પતિગૃહ)નો નાશ નારી કરે છે. એ ઉપરાંત એક સુભાષિતમાં કહેવાયું છે કે - રાજા વિશેનો સંગ આપણને સુખદુ:ખ બંને આપે છે. આ શ્લોક ભાસવિરચિત “બાલચરિત'માં મળી આવે છે.
स्मरतापि भयं-राजा भयं न स्मरताऽपि वा ।
उभाभ्यामपि गन्तव्यो भयादप्यभयादपि ॥ અહીં અભિષેક નાટકમાં મિત્ર કોને કહેવો એ અંગેની ભાસની શ્લોકાત્મક વ્યાખ્યા મળી આવે છે જે વાતને જુદી જ રીતે વ્યક્ત કરે છે માટે નોંધપાત્ર છે.
मज्जमानमकार्येषु पुरुषं विषयेषु वै ।
निवारयति यो राजन् स मित्रं रिपुरन्यथा ॥ કવિના અનેક નાટકોમાં ભાગ્યમહિમા પણ વ્યક્ત થતો રહે છે. ખાસ કરીને “સ્વપ્નવાસવદત્તમ્માં કવિએ નીચે દર્શાવેલો શ્લોક આ સંદર્ભે દર્શાવ્યો છે.
कालक्रमेण जगतः परिवर्तमाना ।
चक्रारपंक्तिरिव गच्छति भाग्यपंक्तिः ॥ સ્વપ્નનાટકમાં જ ઉત્સાહ નામના ગુણની પ્રશંસા વિલક્ષણ રીતે કવિ કરી જાણે છે. જે અદ્યાવધિ ઉપયોગી છે. “પ્રાપ દિ નરેન્દ્રી: રોત્સાવિ મુખ્ય ” એ સિવાય ભાસના “ચાદત' નાટકમાં એક વિલક્ષણ અર્થ આપતું વાક્ય પ્રાપ્ત થાય છે, જે એમની શૈલીનું પણ નિદર્શન કરે છે – “અર્થતઃ પુરુષો નારી યા નારી સાર્થત: પુમન્ " અર્થાતુ - પૈસો હોવાને કારણે સ્ત્રી પણ પુરુષના જેવી (=પૌરુષ પરાયણ ?) બલવાન બની જાય છે અને દ્રવ્યહીન પુરુષ નારી જેવો, અબળાજેવો ગરીબડો બની જાય છે.” આમ ભાસના તેર નાટકોમાં ચલણી સિક્કારૂપ સુભાષિત વાક્યો અને સુભાષિતરૂપના શ્લોકો અત્ર-તત્ર-સર્વત્ર પ્રાપ્ત થાય છે જે કવિકર્મની ચમત્કૃતિ રૂપે જણાય છે.
ભાસની પ્રશસ્તિ કરનારા અનેક પ્રાચીન અને અર્વાચીન વાક્યો કે શ્લોકો મળી આવે છે, પરંતુ તેમાં વધુ નોંધપાત્ર પ્રશંસા બાણભટ્ટે કરેલી હોવાનું પ્રતીત થાય છે. -
सूत्रधार कृतारंभैर्नाटकैबहुभूमिकैः ।
सपताफैर्पशोलेभे भासो देवकलैरिव ॥ હર્ષચરિત પ્રસ્તુત શોધપત્રમાં મહાકવિ ભાસ વિશેની જાણીતી પ્રશસ્તિઓને નોંધાવાને બદલે અલ્પખ્યાત પ્રશસ્તિવચનો નોંધવાનો ઉપક્રમ રાખ્યો છે. આવી આ પ્રખ્યાત સૂક્તિઓ પણ ઘણી મળી આવે છે. સુપ્રસિદ્ધ સુભાષિત સંગ્રહ - “શાનધરપદ્ધતિ'ના ૧૧૮માં શ્લોકમાં સુકવિસૂચિમાં પ્રથમ નામ ભાસનું જ છે, જુઓ -
भासोरामिलसौमिलो वररुचिः श्रीसाहसांकवतकविमेण्ठो भारवि-कालिदासतरलाः स्कन्धः सुबन्धुश्चयः । दण्डीबाणदिवाकरौ गणपतिः कान्तश्च रत्नाकरः
सिद्धायस्य सरस्वती भगवती के तस्य सर्वे वयम् ॥ પ્રસ્તુત સચિ ( કવિરુચિ) જ સ્પષ્ટ કરે છે કે ભાસના જેવા જાણીતા-અજાણ્યા કવિઓ પોતાની કવિતા કામિનીના પ્રભાવથી સુપ્રસિદ્ધ છે. તો “સરસ્વતી કંઠાભરણ'ના કર્તાઓ એક શ્લોકમાં જે પ્રશસ્તિ કરી છે તે નીચે મુજબ છે :
भासयत्यापि भासादौ कविवर्गे जगत्त्रयीम् । के न यान्ति निबन्धारः कालिदासस्य दासताम् ॥
પ૮
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only