SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાસના રૂપકોમાં પ્રાપ્ત થતા સુભાષિતશ્લોકો અને સુવાક્યો પ્રા. મધુસૂદન એમ. વ્યાસ માનવજીવનના મનના અતલ ઊંડાણોને માપનારો સંસ્કૃત-નાટ્યકાર ભાસ પોતાના રૂપકોમાં અનેક વિષયોનું ચિત્રણ સહજતયા-ચીતર્યા કરે છે. અપૂર્વ નાટ્યકાર રૂપે ભાસ આપણને વિલક્ષણ શૈલીને લીધે આકર્ષક અને મનો૨મ જણાય છે. ખાસ કરીને કાલિદાસની શૈલીથી એની શૈલી સહજાભિવ્યક્તિને લીધે જુદી પડે છે. એમનાં નાટકોમાં ડગલે ને પગલે વિચાર મોતિયો નિરૂપાયેલાં-વિખરાયેલાં મળી આવે છે. એમાં ભતૃહિરની શૈલીની જેમ દુર્જનનિંદા, સજ્જનપ્રસંશા, દાનનો મહિમા, બ્રાહ્મણો તરફનો અહોભાવ ઇત્યાદિ વ્યક્ત થયેલ જોવા મળે છે. સમ્પ્રતિ ક્રમશઃ સઘળાં નાટકોની સોદાહરણ ચર્ચા કરીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યમવ્યાયોગમાં એક સુંદર વાક્ય આવે છે ‘માતા તિ મનુષ્યાળાં વૈવતાનાં ચ ધૈવતમ્ ।' અર્થાત્ ‘માતા ખરેખર મનુષ્યોની અને દેવોની દૈવતરૂપ છે. ‘અહીં માતૃમહિમા સુપેરે વ્યક્ત થયો છે. એટલું જ નહિ મનુષ્યો ઉપરાંત દેવોને માટે પણ તે દૈવતરૂપ છે. એ વાત વ્યક્ત કરવાનું કવિ ભાસ ચૂકતો નથી. આમાં એમનું અભિજાત્ય પ્રગટ થાય છે એ જ રીતે બીજો એક વિચાર વ્યક્ત થાય છે જેમાં બંધુભાવનું માહાત્મ્ય છે. “બુન્ધુસ્ત્રેદાદ્ધિ મહત: બાર્યક્ષેહસ્તુ પુર્ણમ: । ‘તો, ‘એક વાક્યમાં પિતાપુત્રના સ્નેહ અને વ્યવહારનું ડહાપણ વ્યક્ત થાય છે. આપતું હિ પિતાપ્રાપ્તો જ્યેષ્ટપુÀળ તાર્યતે । અલબત્ત, ‘આ વાક્યમાં મધ્યમવ્યાયોગનો કે ભીમનો કંઈક સંદર્ભ ચોક્કસ છે, પરંતુ જ્યેષ્ઠપુત્રનો મહિમા પણ આપણે ત્યાં કૌટુંબિક રીતે કેવો વધુ છે એ અવાંતરે ભાસે જાણે કે વ્યક્ત કરી દીધું છે. ટૂંકમાં મધ્યમ વ્યાયોગમાંહેના ઉપર્યુક્ત ત્રણેય વાક્યો કુટુંબજીવનનો પ્રેમ અને મહિમા શબ્દાંતરે વ્યક્ત કરે છે. - કર્ણભાર નામે નાટકના બે સુપ્રસિદ્ધ વાક્યોનો ઉલ્લેખ કરીએ તો એની અર્થઘનતા જણાયા વિના રહેશે નહિ. – ‘હુતં ય વત્ત ચ તથૈવ તિર્થાત ।” અર્થાત્ ‘દાન કરેલું અને હોમેલું એમનું એમ રહે છે. (=ફળપ્રદ બને છે), એટલે કે નિષ્ફળ જતું નથી. અવાંતરે અહીં દાતાને પ્રેરણા આપવામાં આવી છે. તે જ સ્વરૂપે અહીં માણસના ગુણો કેવાં યાદ આવે છે તે વાત દર્શાવતાં ટૂંકા શબ્દોમાં ભાસ આલેખે છે કે ‘તેવુ વેઢેષુ મુળા: ઘરન્તે ।' અર્થાત્ દેહ નાશ થાય છતાં ગુણો બાકી શેષ રહે છે.' અહીં કવિનો ગુણપક્ષપાત્ નજરે ચઢે છે તેમજ ગુણસ્વરૂપે માણસ અમર રહે છે. એવું પણ અર્થઘટન કરી શકાય. દૂતવાક્યમાં એક સુંદર શ્લોક મળી આવે છે જેમાં ભ્રાતૃપ્રેમના ગુણનું વર્ણન છે. कर्तव्यो भ्रातृषु स्नेहो विस्मर्तव्या गुणेतराः । सम्बन्धो बन्धुभिः श्रेयान् लोकयोरुभयोरपि ॥ અહીં શબ્દાંતરે બંધુ બાંધવો સાથેનો સંબંધ જ માણસે રાખવો જોઈએ એ વાત તારસ્વરે કહેવાઈ છે. જે આજના સંદર્ભમાં પણ યથાર્થ જણાય છે. ‘પંચરાત્ર’ નામે એક નાટકમાં ભાસને સ્રીદોષને લીધે કેટલું શું નાશ પામે છે તે ઈંગિત છે. - लतयासक्तया स्कन्धो शुष्कया वेष्टिततरुः । निर्विष्टो दुष्कुले साधुः स्त्रीदोषेण च दह्यते ॥ તો સવિમારક નામે નાટકમાં પણ સ્ત્રીસ્વભાવને વિશેની કવિની કલ્પના આ રીતે વ્યક્ત થઈ છે. ‘“વુલય હન્તિ મહેન નારી તદ્રયં ક્ષુબ્ધનના નવીવ !' અર્થાત્ - અલ્પજલવાળી નદીની જેમ અભિમાનથી બંને * સંસ્કૃત વિભાગાધ્યક્ષ, આર્ટ્સ કૉલેજ, શામળાજી-૩૮૩૩૫૫ (જિ. સા.કાં.) ભાસના રૂપકોમાં પ્રાપ્ત થતા સુભાષિતશ્લોકો અને સુવાક્યો For Private and Personal Use Only પણ
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy