SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખ્યત્વે “પાદાવર્ત (૧ પાદ૪૧ પાદ)માં કરાતી. સિક્કાઓમાં શર્વ ભટ્ટારક નામે ભૂતપૂર્વ રાજવીના ચાંદીના સિક્કા “રૂપક' નામે પ્રચલિત હતા. કાલગણનામાં વલભી સંવત પ્રચલિત હતો, જેનો આરંભ ઈ.સ. ૩૧૮-૧૯માં થયો ગણાતો. એનાં વર્ષ કાર્નિકાદિ હતાં ને એના માસ પૂર્ણિમાન્ત હતા. દક્ષિણ ગુજરાતમાં કલચુરિ સંવત પ્રચલિત હતો. મૈત્રક કાળ દરમ્યાન ગુજરાતમાં અનેકાનેક દેવાલય બંધાયાં. ગુજરાતમાં વિદ્યમાન દેવાલયોના સહુથી પ્રાચીન નમૂના આ કાલના હોવાનું જણાય છે. એમાંનો સહુથી પ્રાચીન નમૂનો જામનગર જિલ્લાના ગોપ નામે ગામ પાસે આવેલો છે. દેવાલય ઊંચી વિશાળ જગતી પર આવેલું છે. ગર્ભગૃહની ચોતરફ દીવાલોથી ઘેરાયેલો પ્રદક્ષિણાપથ છે. ગર્ભગૃહ સમચોરસ છે. એમાંની મૂળ પ્રતિમા મોજૂદ રહી નથી. એનું શિખર દ્વિતલ ફાંસનાવાળું છાદ્ય શિખર છે. દેવાલયનું નિર્માણ છઠ્ઠી સદીમાં થયું લાગે છે. કદવાર (જિ. જૂનાગઢ)ના મંદિરને લંબચોરસ ગર્ભગૃહ અને લંબચોરસ મંડપ છે. આ મંદિરમાં અગાઉ વિષ્ણુના દસ અવતારોની પ્રતિમાઓ હશે; હાલ ત્યાં નવરાહની સેવ્ય પ્રતિમા છે ને એના પરિકરમાં બાકીના નવ અવતારોનાં શિલ્પ કોતરેલાં છે. મૈત્રક કાલનાં મંદિરોમાં છાઘશિખરોમાં ઉપર જતાં ક્રમશઃ ઓછી લંબાઈ-પહોળાઈ ધરાવતા બે, ત્રણ, ચાર, પાંચ કે સાત સમતલ થર હોય છે. તે એની ટોચ ઉપર આમલસાર અને કલશ હોય છે. આ દેવાલયોમાં ગર્ભગૃહોમાં તેમજ એનાં અન્ય અંગોમાં વિવિધ દેવદેવીઓની પ્રતિમાઓ હોય છે. શામળાજી, વલભી, કોટ્યર્ક, કારણ વગેરે સ્થળોએ શિવ, પાર્વતી, કાર્તિકેય, કૃષ્ણ, શક્તિ, લકુલીશ, ભૈરવ, તીર્થકરો, બુદ્ધ ઇત્યાદિની કલાત્મ પ્રતિમાઓ ઉપલબ્ધ થઈ છે. મૈત્રક વંશના શાસન દરમિયાન માલવક પ્રદેશમાં બાધ ગામ પાસે ટેકરીમાં કંડારેલી ગુફાઓમાં અનેક સુંદર ચિત્ર આલેખેલાં છે, જે સાતમી સદીનાં છે. ૨. અનુ-મૈત્રક કાલ મૈત્રક રાજ્યના અંત પછી ગુજરાતમાં અનેક વિભિન્ન રાજ્યોનું શાસન પ્રવત્યું. ઈ.સ. ૭૮૮ થી ૯૪૨ સુધીના વચગાળામાં ગુજરાતમાં કોઈ એક રાજ્યની સર્વોપરિ સત્તા સ્થપાઈ નહિ, આથી આ કાલખંડને ઇતિહાસમાં અનુ-મૈત્રક કાલ' તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં સૈધવ વંશની સત્તા લગભગ ઈ.સ. ૯૨૦ સુધી ચાલુ રહી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્ય વંશની સત્તા પ્રવર્તી, જેનો સમય લગભગ ઈ.સ. ૭૭૦ થી ૯૦૦ સુધીનો હતો એવું એનાં તાપ્રશાસનો પરથી જણાયું છે. સૌરાષ્ટ્રના ઉત્તરપૂર્વ ભાગમાં વઢવાણનાં ચાપ વંશે પોતાનું શાસન લગભગ ઈ.સ. ૮૮૫ થી ૯૧૪ સુધી પ્રવર્તાવ્યું. ઉત્તર ગુજરાતમાં વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ વસાવી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી. એના વંશજોએ ત્યાં ઈ.સ. ૯૪૨ સુધી રાજ્ય કર્યું. ને એ પછી ત્યાં ચૌલુક્ય (સોલંકી) વંશની રાજસત્તા પ્રવર્તી. આ ચાવડા રાજ્યની સ્થાપના વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬) માં થઈ હતી એવું અનુશ્રુતિક વૃત્તાંતો જણાવે છે, પરંતુ ઐતિહાસિક દષ્ટિએ એની સ્થાપના એ પછી લગભગ ૯૪ વર્ષે અર્થાતુ ઈ.સ. ૮૪૦ ના અરસામાં થઈ હોવાનું માલૂમ પડે છે. આ વંશમાં ૬ રાજા થયા લાગે છે, પરંતુ તેમાંથી કોઈ રાજાના અભિલેખ કે સિક્કા પ્રાપ્ત થયા નથી. આ ચાવડા વંશનું શાસન ઉત્તર ગુજરાતમાં અણહિલવાડ પાટણની આસપાસના નાનકડા પ્રદેશમાં સીમિત હતું. તળ-ગુજરાતના ઘણા પ્રદેશ પર દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી હતી. લાટ (દક્ષિણ ગુજરાત)માં એ રાજવંશની અલગ શાખા સ્થપાઈ. આગળ જતાં વળી દખ્ખણના મુખ્ય વંશનું સીધું શાસન પ્રવર્તે. રાષ્ટ્રકૂટ રાજ્યની રાજધાની ખેટક (ખેડા) માં રખાઈ. મોડાસા પ્રદેશ પણ આ રાજવંશના શાસન નીચે હતો. ७४ સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy