SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra જે બિળી ગયા પછી શેષ ભૂકો (ખાખ) હતાં તે (ક્ષાનિ) કાળાં પશુ થયાં.” અહીં યાન પરિક્ષાચાલન ગૌણ વાક્ય સમૂહ છે; અને તેમાં પલાળા (નપું. બહુવચન) કર્તા તરીકે સ્પષ્ટ છે. તેના સંદર્ભમાં વપરાયેલા તે સર્વનામે રિક્ષાન કર્તાના સંદર્ભમાં રહેવા છતાં, રિસાઈનનાં નપું. જાતિ અને બહુવચન સ્વીકાર્યા નથી.; પણ વિધેય પ્રથભાવિભક્તિમાં આવેલા પશવ:નાં જાતિ (પુ.) અને વચન (બહુવચન) સ્વીકાર્યો (૩) જૈમનીય બ્રાહ્મણ ૩.૧૨૬ (પા. ૪૦૭) : तद् यत् तद् यज्ञस्य शिरोऽछिद्यतेति सोऽसावादित्यः । “એમ કહેવાય છે કે યજ્ઞનું તે શિર કપાયું તે(=ઉws) એ સૂર્ય હિતો.” ઉપર જણાવેલી સંબંધક વાક્યરચના જેવી અહીં પણ વાક્યરચના થઈ છે. તેમાં ગૌણ વાક્યસમૂહમાં શિ=કર્તા સ્પષ્ટ છે. અહીં સઃ સર્વનામ, મુખ્ય વાક્યમાં વિધેય પ્રથમા-વિભક્તિમાં રહેલા માહિત્ય: (પુ. એકવચન) મુજબ રહ્યું છે. અને ગૌણ વાક્યના શિ=કર્તાના સંદર્ભમાં તે હોવા છતાં તેણે શિ૪નાં નપું. એકવચન સ્વીકાર્યા નથી. (૪) ઐતરેય બ્રાહ્મણ ૪.૧૭.૬ (પા.૪૮૪, ઓફ, પા. ૧૧૦) , प्रायणीयोऽतिरात्रश्चतुर्विंश उक्थ्यः सर्वेऽभिप्लवाः षळहा आक्ष्यन्त्यन्यान्यहानि, तदादित्यानामयनम् । “પ્રાયણીય (પ્રાસ્તાવિક)-અતિરાત્ર, ચતુર્વિશ - ઉકથ્ય, સર્વે અભિપ્લવ ષડહ અને બીજા (કેટલાક) આક્યન્ત દિવસો-તે (ત = બધા નિર્દેશેલા યજ્ઞ) આદિત્યોનો માર્ગ છે.” આવા પ્રકારની (Proleptic) વાક્યરચનામાં તત્ સર્વનામ પૂર્વનિર્દિષ્ટ શબ્દોના સંદર્ભમાં યોજાય છે. અહીં તન સર્વનામ તલાવિત્યાનાથનનું વાક્યસમૂહમાં યોજાયું છતાં તેનો સંદર્ભ પૂર્વનિદિષ્ટ યજ્ઞવિધિઓ સાથે રહે છે. છતાં આ સર્વનામે અયનમ્ નાં જતિ-વચન સ્વીકાર્યા છે, પરંતુ પૂર્વનિર્દિષ્ટ વિવિધ યજ્ઞવિધિઓનાં જાતિ-વચન (પુ.)નપું: એકવચન, બહુવચન) નથી સ્વીકાર્યા. અહીં ગયા પરિણામ છે અને તેનો હેતુ, પૂર્વનિદિષ્ટ યજ્ઞવિધિ ક્રિયાઓ છે. (૫) શતપથ બ્રાહાણ (૨.૫.૧.૧૮) (માધ્યદિન-શાખા) (પા. ૧૭૯) : प्रस्व उपसंनद्धा भवन्ति, तं प्रस्तरं गृह्मति प्रजननमु हीद, प्रजननमु हि प्रस्वस्तस्मात् प्रसूः प्रस्तरं गृह्मति । “ખીલતી કળીઓ/કંપળો (અહિંના સમૂહ સાથે) બાંધી છે. તેમને (નં.=પ્રસ્વ:) પ્રસ્તર (તરીકે) ગ્રહણ કરે છે. ખરેખર આ પ્રજનન છે, અને ખીલતી કળીઓ/કુંપળો પ્રજનન છે, તેથી ખીલતી કળીઓ/કુંપળો પ્રસ્તર (તરીકે) ગ્રહણ કરે છે.” આ વાક્યમાં પ્રસૂ: અને પ્રતા, બંનેની યોગ્યતા - યથાર્થતા કે સંગતિ- દર્શાવી છે (Apposition). આ વાક્યના અંતે આવતું વિધાન સૂઃ પ્રતર ગૃતિ સ્પષ્ટ કરે છે કે અહીં આ આખા વાક્યમાં તમ્ સર્વનામ પ્રસ્તામ્ પદના વિશેષણ તરીકે કે દર્શક સર્વનામ તરીકે (deictic) નથી, પરંતુ તે કળીઓના (54:) સંદર્ભમાં યોજાયું છે. છતાં આ ત-સર્વનામે પ્રત્ર: ના.પં. બહુવચનને બદલે પ્રતરમનું નપું. એકવચન સ્વીકાર્યું છે. એગેલીંગ (પા. ૩૮૯) પણ એ મુજબ જ આ વાક્યનું ભાષાંતર કર્યું છે. ઉપઃ વૈદિક વાફમયની અને છા.ઉપ.ની વાક્યરચનામાં સમાનતા : ઉપર ( ૪ માં) દર્શાવેલી વૈદિક ગધની વાક્યરચના જેવી જ વાક્યરચના છા. ઉપ.માં પણ મળી આવે છે તે નીચે જણાવેલાં (૧-૧૧) ઉદાહરણો ઉપરથી સ્પષ્ટ થશે. (૧) છાં. ઉપ. પ.૧૦૧ (પા. ૩૪૨) તા: [1] સમુકત મુકવાપીના જ સમુદ્ર પર્વ પર્વત તા વથા સત્ર 1 વિદુઃ... ૫૦] સિામીપ્ય : ઑકટોબર, ૨૧માર્ચ, ૨૦૧ For Private and Personal Use Only
SR No.535817
Book TitleSamipya 2000 Vol 17 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy