SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra કે આ મતની સામે એ વાંધો લઈ શકે કે આ રીતે સમજાવવામાં, પદાર્થોપસ્થિતિ અને શાબ્દબોધ સમાન પ્રકારનાં હોવા જોઈએ. એ નિયમ સચવાતો નથી. આ વાંધાના જવાબમાં આ મતવાળા એવું સમાધાન કરે છે કે ઉપર્યુક્ત નિયમને લક્ષણ વ્યાપારમાં લાગુ ન પાડવો જોઈએ. કારણ કે લક્ષણુ આ નિયમમાં અપવાદ જ છે. - આ મતને રજૂ કરનાર લો કો કાળાં ઘs: એ લક્ષણાવાકથને પિતાની રીતે આમ સમજાવે છે : અહી' ગગ પરથી, તટવરૂપયુક્ત તટ એ લક્ષ્યાથની ઉપસ્થિતિ પ્રથમ થાય છે, પણ પછી તે તટવયુક્ત તટન ગંગાની સાથે અન્વયબોધ થાય છે અને તેને લીધે જ તટમાં ગંગાના શેત્ય. પાવનત્વ વગેરે ગુણોની પ્રતીતિ થાય છે. આ સમજુતી સાથે મમ્મટ વગેરે પ્રાચીનએ કહેલી વાત બંધ બેસે છે. પ્રસ્તુત રૂપકના ઉદાહરણ “મુહૂં ચન્દ્રઃ'માં વિષયી ચન્દ્ર વગેરેમાં રહેલા અસાધારણ ગુણો જેવા કેઆહ્લાદકત્વ વગેરેની મુખ્ય વિષયમાં પ્રતીતિ થવી એ લક્ષણનું ફળ છે. એ ફળ માટે મુખમાં ચઢત્વની પ્રતીતિ થવી અનિવાર્ય છે. વળી પ્રાચીનએ આગલા મતમાં જે તાપસ વેદનની વાત કરી છે, તેમાં તેમને પણ તેનાથી અસાધારણ ગુણવત્વ જ અભિપ્રેત છે. આ પ્રમાણે ઉપમા કરતાં રૂપકમાં સ્વરૂપસંવિત્તિ (પ્રાથમિક શાબ્દબોધ) અને ફલીભૂત સંવિત્તિ (લક્ષણાના પ્રજનની પ્રતીતિ)-બંને વિલક્ષણ છે, તેથી બંને વચ્ચે સ્પષ્ટ ભેદ છે. “અતુ' કહીને જે ત્રીજો મત જગનાથે દર્શાવ્યો છે, તે પ્રમાણે ભેદથી મિશ્રિત સદશ્ય એ ઉપમાનો, અને ભેદ વિનાનું અભેદરૂપ સાદ એ રૂપકનો પ્રાણ છે. આ મત પ્રમાણે રદ્દ મુવ' એ ઉપમા સ્થલમાં ‘દ્ર મિશ્નમ િવદ્રવ્રુત્તિ]નયુક્ત મુવમ્ એવો બોધ થાય છે, જ્યારે “મુa વ' એ રૂપકમાં કેવળ વન્દ્રવૃત્તિનુયુવત મુવમ' એવો બોધ થાય છે. આ પ્રમાણે સ્વરૂપથી જ આ બંને અલંકાર વચ્ચે ભેદ દર્શાવી શકાય છે, તો પછી ફલ-પ્રયુક્ત ભેદ સુધી જવાની જરૂર પણ શી છે? વળી આ મતને સ્વીકારવાથી લક્ષણથી થતી ભેદગર્ભ સદસ્ય પ્રતિપત્તિમાંથી તાદ્રપ્રતીતિરૂપી - ફલ કેવી રીતે સંભવે એ અનુપત્તિને પરિહાર કરવા કોઈ પ્રયત્ન પણ અહીં કરવો પડતો નથી. એનો અર્થ એ છે કે વ્યંજનાથી થતા બધમાં બાધનિશ્ચય પ્રતિબન્ધક થતો નથી, એમ કહેવાની પણ જરૂર નહીં પડે, કારણ કે જગનાથે રૂ૫કસ્થલમાં ભેદથી અમિશ્રિત સદશ્યને બોધ લક્ષણથી માન્ય છે. જગનાથ ઉપમા તથા રૂપકવાળા વાકષમાને શાબ્દબોધ વિષેના પ્રાચીનના ત્રણ મત દર્શાવીને, હવે નગારનુ' કહીને નવીન આલંકારિકાના મત આપે છે. આ નવ્ય આલંકારિકે “મુ વ:' વાહી નૌ:, વગેરે ઉદાહરણોમાં, અભેદની પ્રતીતિ થવા માટે લક્ષણને સ્વીકારતા નથી. ઉપર્યુક્ત વાકયોમાં લક્ષણ વિના જ અભેદ સંસર્ગથી અન્વયબોધ થાય છે, એમ નવીન માને છે. તેઓ કહે છે કે જેમ આહાય જ્ઞાનને બાધનિશ્ચય પ્રતિબંધક બનતું નથી, તેમ શાબ્દજ્ઞાન માટે પણ થવું જોઈએ. આમ કરવાથી મુખ તે ચંદ્ર શી રીતે હોઈ શકે એ બાધનિશ્ચય શાબ્દબોધને નડશે નહીં. બા સ્થાને પણ શબ્દાર્થોને અન્યાય થઈ શકે છે, એ સિદ્ધાંત સાથે, અત્યંત અસત્ય હોય તેવા પદાર્થનું જ્ઞાન પણ શબ્દ કરાવે છે, એ પ્રાચીનોનો મત બંધ બેસે છે. આ બાબતમાં, માત્ર, યોગ્યતા જ્ઞાનની શરત રાખવી જોઈએ. જેથી વાહના સિદ્ગતિ' જેવાં વાક્યોમાંથી શાબ્દબોધ થવાની આપત્તિ ન આવી પડે. આ મત પ્રમાણે નન્દ્રાતિના મઢ-સંગ્વધવ-મુવમ્' એવો શાબબોધ થશે. નવીને કહે પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ] [૧૩૩ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy