SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે અથ સંક્રાન્ત થયા હતા તે યાજ્ઞિક પરંપરાના હતા. પશ્ચિમના વિદ્વાનોએ તુલનાત્મક ભાષાશાસ્ત્ર તથા તુલનાત્મક પુરાણકથા ઉપરાંત દરેક શબ્દના સંદર્ભનો તુલનાત્મક અભ્યાસ કરીને કેટલાય શબ્દના ભિન્ન અર્થ સૂચવ્યા, જે રૂઢ અર્થ કરતાં વધુ વાસ્તવિક અને યથાર્થ લાગે. પુરાણ, મહાભારત અને રામાયણ એ તો ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ માટેના ' અભિવાય આકરો છે. મહાકાવ્ય કરતાં એ સૂબોધ છે. પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સ - તિના અભ્યાસીઓ માટે એ પ્રકારની સંરકત ભાષા સમજવી અનિવાર્ય છે. ઐતિહાર નાટ અને આખ્યાયિકાઓ તથા પ્રબંધનું સર્વ સાહિત્ય અનુવાદમાં ઉપલબ્ધ નથી ને અનુવાદે પણ પૂરતા શ્રદ્ધેય હોવા જરૂરી છે. નહિ તો “રાવણે દારવીયં” ને બદલે “રાવણેદારવીય:' સમજાય ને શિવપુત્ર ગણેશ અને તેજપાલની સોદરીઓ તે સુંદરીઓ (સુદર પત્નીઓ) બની જાય ! શુદ્ધ જોડણી અને પારિભાષિક શબ્દોનો પ્રયોગ અંગે ગુજરાતીમાં લખનાર માટે પણ સંસ્કૃત ભાષાનું એટલે જ્ઞાન અનિવાર્ય છે. ઇતિહાસ-સંસ્કૃતિની માહિતીના સાધન તરીકે તેમજ ભારતીય આર્ય ભાષાઓની સંમુતિ સમજવા માટે પ્રાકૃત ભાષાનું જ્ઞાન પણ આવશ્યક છે, ભારતના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસની સાહિત્યિક-સાધનસામગ્રીની વિગત ડે. સયનાબહેન શાહના લઘુગ્રંથમાં આપેલી છે. “ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રીમાં મેં પહેલા વ્યાખ્યાનમાં સાહિત્યિક સાધનસામગ્રીની સમીક્ષા કરી છે. આ સામગ્રીનું તર્કશુદ્ધ રીતે પરીક્ષણ-સંશોધન કરી એનું અથધટન કરવામાં તથા એને ઇતિહાસમાં ઉપયોગ કરવામાં કેવી કાળજી રાખવી જોઈએ એ લેગોઈસ અને સેઈનબસે તેઓના ઇન્દ્રોડકશન ટુ ધ સ્ટડી ઓફ હિસ્ટરી'માં વિગતવાર સમજાવ્યું છે. એમાંનું “નો ડોકયુમેન્ટ, ને હિસ્ટરી” વિધાન સંસ્કૃત સાહિત્યના સુપ્રસિદ્ધ વૃત્તિકાર મલ્લિનાથના નામૂઢ ઝિરતે વિંચિત એ વિધાનની યાદ આપે છે. અર્વાચીન ઇતિહાસના અન્વેષણમાં અહીં પિટુગીઝ ડચ અને ડેનિશ લખાણની મૂળ સામમીને ઉપયોગ કરી જણનાર જજ છે. તે તે સમયના સાહિત્યમાંથી સાંસ્કૃતિક ઇતિહાસ માટે વિપુલ સામગ્રી મળે છે. ખતપત્રો, પત્રવ્યવહાર, કરારો અને રોજનીશીઓ જેવા દસ્તાવેજોનાં દફતરોમાંથી તે તે સમયના રાજકીય ઇતિહાયની વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનાં દેશી રાજપના ઇતિહાસ માટે વહીવંચાઓના ચોપડા ઉપરાંત શિલાલેખે, પાળિયાલેખ અને સિક્કા લેખો તેમજ તેમના દસ્તાવેજો(આકઈss)માં વિપુલ સામગ્રી રહેલી છે, જેનો ઇતિહાસમાં ઉપયોગ કરવા બાકી છે. ૧૩૦] સિામીપ્ય : ઓકટોબર, ૯૭–માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy