SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરેને ખાઈ રહ્યો છે, એમ કહીને જાણે કે મહાભારત યુદ્ધના સ્વભાવથી મજબૂર એવા આ કોરવા પાંડવ યોદ્ધાઓ કે જેમણે પોતાની ઘરવખરી એટલે કે પિતર, પિતરાઈ ભાઈઓ, સગા-સબંધીઓ વગેરેને મારી નાખ્યા છે, તેને તિરસ્કારપૂર્વક નિર્દેશ કરતા હેય, એમ લાગે છે.' અને છેલે અંગ-ભંગ થયેલા નદી કિનારે ઊભા વૃક્ષને બળી ગયેલા બીજા વૃક્ષોને જળની અંજલિ આપતું વર્ણવીને પેલા મહાભારત યુદ્ધના અન્ત સ્વજનો રૂપી અગેને ગુમાવી બેઠેલા પરંતુ પોતે બચી ગયેલા પાંચ-પંદર મહાનુભાવો દિવંગત સ્વજનને જળની અંજલિ આપતા આલેખ્યા હોય, તેવા સ્વાભાવિક વર્ણનનું પ્રતિબિંબ સહદયના હૃદયમાં પડે છે. આમ પંચરાત્રના આ વિઝંભક, કે જેમાં પ્રાથમિક દૃષ્ટિએ અનેક ઉણપ દેખાતી હતી, તેને આ પ્રતીક યોજનાથી સરસ કાવ્ય તરીકે રજૂ કરી શકાય છે. વળી, આ પ્રતીક પેજનાથી એક બાજુ પંચરાત્રના કથાવસ્તુમાં મહાભારત યુદ્ધ ન સ્વીકારીને કવિએ ભારે કાતિ કરી પરંપરા સામે કંઈક વિશેષ સાહસ કર્યું છે, એમ અને એ સાહસમાં પણ પરંપરાગત મહાભારત યુદ્ધ કથાને ગર્ભિત રીત સમાવી લઈ ભારે ચમકાર સંજયે છે એમ બંને રીતે, આ લાંબે વિકભક કવિના એક સરસ અને સફળ આયોજન તરીકે અનુભવી શકાય છે. પાદટીપ • સરખા વૃત્તવર્તિવ્યમાળાનાં થરાનાં નિદ્રા : || ૧. પ્રા. પી. સી. દવે સાહેબે આગના આ વર્ણનમાં વપરાયેલા કેટલાંક ઉપમાન વાક્યો પરથી સ્પષ્ટપણે કૌરવ-પાંડવ કથાના ઇશારા અનુભવ્યા છે, આખીય મહાભારત કથા નહી, એ અહી નોંધવું જોઈએ. જુઓ, qવરાત્રમૂની પ્રસ્તાવના-પ્રકા. સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, સન ૧૯૮૬, પૃ. ૬ ૨. દૂતાત્કચમાંની શકુનિને ઉદ્દેશ ધ્રુતરાષ્ટ્ર કહેલી આ ઉક્તિ અહીં ધ્યાન રાખવા જેવી છે. “તરકુરચા વૈરાનિવૃત્તિ ન જાગૃતિ'' કલેક ૨૪. 3. 'चेत्याग्निलौकिकाग्नि द्विज इव वृषल पाश्र्वे न सहते ।' अंक १, श्लोक ६ ૪ યધિષ્ઠિર વગેરે દેવતાઓને પુત્રો છે, એવી મહાભારત-પુરાણ પ્રસિદ્ધ માન્યતાની સાથે સર ખાવતાં આ ઉપમાન ઉચિત બની રહે છે. ૫. મનિરરિનમાજે મીતે નૈિઃ | कुले व्युत्क्रान्तचारित्रे ज्ञातिर्जातिभयादिव ॥ अंक १, श्लोक ७ १. शकटी च घृतपूर्णा सिच्यमानापि वारिणा । नारीवोपरतापल्या बालस्नेहेन दह्यते ॥ १/८ ૭. પ્રા. પી. સી. દવે આ ઉપમાન થકી કૌરના મૃત્યુથી બળતી ગાંધારી, પુત્રોના અકાળ મૃત્યુથી સળગી જતી દ્રૌપદી તેમજ અભિમન્યુના મૃત્યુથી દુઃખી થતી સુભદ્રાની યાદ સમજે છે, પણ એમ સમજવાથી આગના વર્ણનની સાથે સાથે પ્રવાહિત બનતી મહાભારત કથાનો ક્રમ ભંગ થતો હોઈ અમે આ પ્રકારની કપના વિચારી છે. ८. एतां चक्रधरस्य धर्मशकटी' दग्धु समभ्युद्यतो, दमे शुष्यति नीलशाद्वलतया वह्मिः शनर्वामनः । वातेनाकुलितः शिखापरिगतश्चक्रं 'क्रमेणागतो, नेमीमण्डलमण्डलीकृतवपुः सूर्यायते पावकः ॥ १-९ ૧૧૦] [સામીપ્યઃ એકબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy