________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચરાત્રના વિકંલકમાં પ્રતીક રોજના
-
-
કમલેશકુમાર છે. ચોક્સી
પંચરાત્રનું સમય વિષય વસ્તુ અજોડ છે, કેમ કે આખાય સંસ્કૃત સાહિત્યમાં બહુ પ્રસિદ્ધ અને પ્રભાવક એવું મહાભારત યુદ્ધ અહી' થતું નથી. એની કથાવસ્તુ આમ છે :- દુર્યોધન એક યજ્ઞ રચે છે. ગુરુ દ્રોણુ એ યજ્ઞના આચાર્ય બન્યા છે. યજ્ઞ પૂરો થતાં દ્રોણાચાર્ય દક્ષિણ તરીકે પાંડવોને એમને ભાગ આપવાનો પ્રસ્તાવ દુર્યોધન સમક્ષ મૂકે છે. યજ્ઞ થકી પવિત્રામા બનેલે દુર્યોધન મામા શકુનિની સલાહથી પાંચ રાત્રિઓમાં પાંડવોની ભાળ મળે, એ શરતે આને સ્વીકાર કરે છે. પાંચ રાત્રિઓ પૂરી થાય એ પહેલાં જ વિરાટનગરમાં પાંડવોની હાજરી છે, એવી પ્રતીતિ થતાં દુર્યોધન પાંડવોને એમનો ભાગ આપવાની જાહેરાત કરે છે. અને આખીય કથાનો સુખદ અન્ત આવે છે.
. અહીં કૌરવ-પાંડનું મહાભારત પ્રસિદ્ધ ઈતિવૃત્ત પૃષ્ઠભૂમિમાં રહ્યું છે. પાંચ રાત્રિઓમાં પાંડવોની ભાળ મેળવી લેવાય એ માટે મહાભારત પ્રસિદ્ધ વિરાટપર્વને વિરાટની ગાયે હાંકી લાવવાને પ્રસંગ અહીં કેટલાક સામાન્ય ફેરફાર સાથે મૂકાયો છે.
એક બાજુ કવિ ભાસ સાહસ અને ક્રાતિ પૂર્વક આનું કથાનક ઘડે છે, તો બીજી બાજુ આમાં વર્ણન અને સંવાદોનું પણ વિશેષ ગણતરીપૂર્વકનું આયોજન કરે છે. કાવ્યના બે ભેદો પૈકી દશ્યકાવ્યમાં ભાવકવર્ગને ધારદાર સંવાદોની અને શ્રવ્યકાવ્યમાં કલાત્મક વર્ણનની અપેક્ષા રહેતી હોય છે. એટલે દશ્યકાવ્યનો કવિ સંવાદ પરત અને શ્રવ્યકાવ્ય કવિ વન પરત્વે પિતાની પ્રતિભા ખચે એ સ્વાભાવિક છે. પરન્ત ભાસ ખાસ કરીને “પંચરાત્ર'ના સંદર્ભમાં એક વિશિષ્ટ પ્રકારના કવિ પ્રસ્થાપિત થયા છે. નાટયકાર હોવાથી સંવાદ માટે એમની પાસે અપેક્ષા રહે, પણ એમણે તે આ પંચરાત્ર'માં બહુ જ કલાત્મક વર્ણને આપી, એ અપેક્ષા પણ પૂરી કરી છે.
' “પંચરાત્રમાં ત્રણેય અંકમાં જે વર્ણન છે, તેમાં પ્રથમ અંકમાંનુ યજ્ઞનું અને બીજા અને ત્રીજા અંકમાં છૂટા-છવાયા પ્રસંગમાં આવતું યુદ્ધનું વર્ણન મુખ્ય છે. યુદ્ધના વર્ણનમાં કવિ સ્વતંત્ર નથી. કેમકે પ્રવતિત યુદ્ધમાં જે ઘટનાઓ બની, એ પૈકી જે રીતના વર્ણન થકી કથા પ્રવાહ આગળ વધી શકે. અથવા તો કોઈ પાત્રનું આલેખન બાંધી શકાય એમ હય, તે મુજબના વર્ણને અહીં અપાયા છે. પરંતુ પ્રથમ અંકમાં “સ્થાપના' પછી મૂકેલા વિષ્ક ભકમાં જે યજ્ઞ સંબંધી વર્ણન છે, તેનાથી આગળના મુખ્ય કથાનક ઉપર કેઈ લાભ કે અસર પડવાની નથી. એટલે ત્યાં કવિએ સ્વતંત્ર અને અભીષ્ટ રીતે પિતાની પ્રતિભા યોજી છે, પરિણામે આ વર્ણનમાં ભારે ચમત્કૃતિ અનુભવી શકાય છે.
અહીં આપણે એ ચમત્કૃતિ અનુભવીએ, એ પહેલાં એક વાત ધ્યાન ઉપર લઈએ કે પંચરાત્રને આ આખેય વિષ્કભક અનેક રીતે ક્ષતિપૂર્ણ મનાય છે. જેમકે :
* શ્રી શેવડે ગુરુજી ટ્રસ્ટ અને સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્યભવન, ગુજ. યુનિ. દ્વારા આયોજિત '
ભાસ-પરિસંવાદ (તા. ૨૯-૩૦ નવેમ્બર ૯૪)માં વંચાયેલ નિબંધ. * વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ,
પંચરાત્રના વિષ્કલમાં પ્રતીકજના ]
[૧૦૫
For Private and Personal Use Only