SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનાવેલ ડાઈને ઉજ્જવલ પાયા વાળી અને (શયન પૂરુ થતાં) સુખપૂર્વક જેમાં નગરણુ થઈ શકે એવી લલિત હાય, તેા જ શય્યા પ્રશ'સાને પાત્ર બની શકે, એમ આખ્યાયિકા પણ્ સુંદર અક્ષરાની ગૂચણીને લીધે ઉજ્જવલ બનેલી, અર્થાંનું પ્રતિપાદન કરનારા શબ્દોથી રચાયેલી અને સરલતાથી સમાઈ જાય, તેવા લલિત વાકયા-શબ્દોવાળી હાય, તા જ પ્રશંસાને પાત્ર બની શકે છે. આના સ્પષ્ટ અથ એ થયેા કે આખ્યાયિકામાં ભાષાકીય કાઠિન્ય હાય, કે ભારે સામાસિક રચનાતે લીધે ભાષા દુર્ગંધ હાય, તા તેવી આખ્યાયિકાની પ્રશંસા કે ખ્યાતિને મેટા અવકાશ રહેતે ની. એમ બાણભટ્ટ પોતે જાણે છે, અને સાવધાનતાપૂર્વક હ`રિતના આરંભે જ આવું ઉચ્ચારે છે. આ પરિસ્થિતિમાં હ`ચરિતની ફરી એકવાર સમીક્ષા કરવાનું પ્રાપ્ત થાય છે. બાણુને શબ્દોના જંગલના નિર્માતા જાહેર કરીએ, એ પહેલાં કેટલીક વિશિષ્ટ બાબતે તરફ ધ્યાન ધરવું જરૂરી છે; તે સિવાય બાણુને સાચે ન્યાય આપવા મુશ્કેલ છે. પ્રથમ બાબત તે એ છે કે દરેક કૃતિ તેના જમાનાના પ્રચલિત આદર્શાથી અનિવાર્ય રીતે પ્રભાવિત થઈ જતી હેાય છે, બાણુના જે સમયગાળા છે, તેમાં ગદ્ય માટે અલ કારપ્રધાન ભાષાના સમાદર થતા, તા. વળી સમાસની અધિકતા એ r ગદ્યને પ્રાણ માનવામાં આવતા. આથી જ દણ્ડીએ કહેવું પડયું કે “બોન: સમાસમૂયવમતત્ ાદ્યસ્થ વિતમૂ |''૪ હવે જે જમાનામાં એજ અને સમાસસૂયત્ત્વ એ ગદ્યના પ્રાણ મનાતા હોય, તેા તે જમાનાના યશ ચાહનાર એવા કયા કવિ હશે, કે જે એ બન્નેની ઉપેક્ષા કરી શકે? ખીજી બાબત એ છે કે પંચતંત્ર જેવા ખૂબ જ સરળ ગદ્યની અપેક્ષાએ ચરિતના ગદ્યને આપણે ભલે કિલષ્ટ માનીએ; અને એવા આક્ષેપ કરીએ કે સુખપ્રોધ લલિતા એમ કહીને આખ્ખાયિકાની પ્રસિદ્ધિ માટે જે અપેક્ષાએ બાણે પેાતે સ્વીકારી છે; તેની હર્ષોંચરિતમાં ઉપેક્ષા કરી છે. પ હકીકત એ છે કે કાઠિન્ય હાય કે સરળતા એ તેા સાપેક્ષ છે, કાઈકની અપેક્ષાએ કાઈ કઠિન હાઈ શકે અને એ જ કઠિન વસ્તુ કાઈ અન્યની અપેક્ષાએ સરળ હાઈ શકે. માની આખ્યાયિકા એવા હુચરિતના ગદ્ય માટે પણુ આવુ જ છે. જે જમાનામાં સમાસક્રુરતાવાળા અને એજસ્વી લેખનને જ ગદ્યકાવ્ય તરીકે માન્યતા મળતી, એવા જમાનામાં કાઇ બીજો કવિ પ્રયાજે, એના કરતાં બાણે હ ચરિતમાં ધણું સરળ ગદ્ય પ્રયાયુ છે. ગદ્યને કિલષ્ટ બનાવવામાં જેમ સમાસેા નિમિત્ત બને છે, તેમ સન્ધિકા પણ અગત્યના ભાગ ભજવે છે. એમાંય વળી જો પ્રસન્ધિ પ્રયાાય, તેા ગદ્ય હાય કે પછી પદ્ય હોય, કિલષ્ટ બની જતું હાય છે. આ ઉપરાન્ત સામાસિક પદોમાં પણ જ્યારે અવૃદ્ધિ પ્રયાજવાના અવસરેા આવ્યા કરે, તે ત્યાં ભારે ભાષા કાઠિન્ય સજાય છે. હર્ષચરિતના ગદ્યમાં બાણુ આવી સ ંભવિત કિલષ્ટતાઓને દૂર રાખી શકયા છે, એ આપણે જોઈ શકીએ છીએ.પ ત્રીજી બાબત છે હચરિતના ભાવક વગની. ખાણુના ગદ્ય વિષે ફરિયાદ કરતી વખતે એ ગદ્યના ભાવક વર્ગની સદંતર ઉપેક્ષા થઈ છે; એ પણ અહીં તેાંધવુ' જોઈએ. આથી પણ ભાણુને અપશયના ભાગી થવું પડયુ છે, જે બાણ આખ્યાયિકા માટે સરળ ગદ્ય યેાજવાની આવશ્યકતા ઉપર ભાર મૂકતા હોય, એ જ બાણુ ભારેખમ ભાષા વાપરતા હોય, તા તેમની પોતાની પરિસ્થિતિને આપણે ખ્યાલ રાખવા જોઇ એ; જેમ કે-હ'ચરિત-કે જેનું વિષય વસ્તુ કાલ્પનિક તેમજ ભૂતકાલિક at ] [ સામીપ્સ : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy