SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હષઁચરિતના કર્તા ખાણના ભાવક વધ કમલેશકુમાર જે. સંસી મહાકવિ બાણે સંસ્કૃતના ગદ્યસાહિત્યને કાદમ્બરી અને હર્ષચરિત એમ બે કૃતિની ભેટ ધરી છે. ગદ્યકાવ્યના નિર્ધારિત થયેલા એ પ્રકારો-કથા અને આખ્યાયિકા-ના આ મેજોડ નમૂના છે મેં સુપ્રસિદ્ધ હકીકત છે. કથા અને આખ્યાયિકા બન્નેમાં અજમાવેલી સ્વપ્રતિભાએ બાણને પુષ્કળ યજ્ઞના ભાગી બતાવ્યા છે. સ`સ્કૃત સાહિત્યના વિશાળ સમુદાયે એમની 'કવિત્વ શક્તિના ગુણગાન ગાયા છે, પણ આ સિક્કાની એક બાજુ છે, જ્યારે ખીજી બાજુ એ છે કે કાદમ્બરી અને હર્ષચરિત બન્ને કૃતિઓ માટે શબ્દકાઠિન્ય, ભાષા ગૂંથણી કે કથારસની ખૂબ જ ઓછી ગતિને લઈને બાણુની ટીકા થઈ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વેબર જેવા પાશ્ચાત્ય વિદ્વાન બાના ગદ્યને એક એવા દુ મન ગલ તરીકે ઓળખાવે છે. કે જેમાં આગળ વધવું અશકય હાય છે; પ્રવાસીએ પેાતે જ પાતાના રસ્તા કરી લેવાના હૈાય છે, અને આવા જ ંગલમાં જેમ હિંસક પ્રાણીઓથી ભય રણ કરે છે, તેમ અહી સામાસિક પદોથી વાચકને ભય રહ્યા કરે છે. પ્રા. આર. ડી. કરમારકર જેવા ભારતીય વિદ્વાનને પણ આ આક્ષેપ અંત: રાગ્ય જણાયા છે.૨ આમ ખાને માટે સાહિત્યરસિકામાં બે ભિન્ન ભિન્ન પ્રકારની લાગણી પ્રવલે છે. અહી આાપશે આ બન્ને લાગણીઓની બાણુના હષઁચરિતના સન્દર્ભમાં સર્મીક્ષા કરીશું અને તેનાં કારણામા પણ વિચાર કરીશું. સૌ પ્રથમ આ વિષે બાણભટ્ટને તપાસતાં જણાય છે કે તે પોતાની કૃતિએ પરત્વે’ઊભા થવારા કાર્ડિયદોષ અને એને લીધે થનારા પોતાના અપયશથી સભાન છે, કાદમ્બની વાત જવા દઈએ, તે પણ કમ સે કમ ચરિત માટે તે આ વાત ઘણી જ સાચી છે. ખાણું હષ ચસ્તિના આરભમાં જ શાભા કે પ્રસિદ્ધિ પામનારી આખ્યાયિકા કેવી હૉય, એ અગેને પાતાના મત રજૂ કરતાં કહે છે કે सुखप्रबोधललिता सुवर्णघटनोज्ज्वलैः । शब्दराख्यायिका भाति शय्येव प्रतिपादकैः || ३ અનેક સ્થળે જેમ બાણુ શ્લેષની યેાજના મૂકે છે, તેમ અહીં પણ શ્લેષની યેાજના દ્વારા આખ્યાયિકા વિષે પેાતાનેા મત જણાવ્યા છે. તેમના મતે જો સુવણું (= જેવી મૂલ્યવાન ધાતુ)થી + સંસ્કૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદના ઉપક્રમે આયેાજિત ‘કથા અને આખ્યાયિકા' વિશેના પરિસંવાદ(૮–૯ ફેબ્રુઆરી,' ૯૪)માં વાંચેલા લેખ. વ્યાખ્યાતા, સ’સ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદ– હષ ચરતના બાહુના કર્યાં ભાવક વ] For Private and Personal Use Only [ ૩૫
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy