________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ननु दशावस्थास्वभिलाषगुणकथाप्रलापा व्यभिचारिभावाऽभ्यन्तरे न गणितास्तत् कि स्वतन्त्रा एवेति चेन्न । औत्सुक्येऽभिलाषस्य वर्णनात्मकस्मृतौ गुणकथाया उन्मादे प्रलापस्यान्तर्भावात् ।३०
. આ રીતે, ભરતસંમત તેત્રીસ વ્યભિચારીઓ જ સ્વીકારતા ભાનુદત્ત વિશેષમાં “છલ' નામે એક નવીન વ્યભિચારી પણ આપે છે. તેઓ નાધે છે કે, . अत्र प्रतिभाति-छलमक्षिको व्यभिचारिभाव इति । 'ताम्बूलाहरणच्छलेन रभसा लेषोऽपि संविधिनतः' इति शृङ्गारे दर्शनात् । रौने चेन्द्रजालादिदर्शनात् । हास्ये च न्यपदेशाऽन्यापदेशयादर्शनात् । वीथीभेद दर्शनाच्च ।
શૃંગારમાં પ્રાપ્ત થતાં ઉદાહરણે, રૌદ્રમાં જણાતા ઈન્દ્રજાલ વગેર, હાસ્યમાં આવતા વ્યપદેશ તથા અન્યા૫દેશને લીધે તથા વીથીભેદમાં પણ તે જણાય છે તેથી. છલ' એક સ્વતંત્ર વ્યભિચારી છે. '
તેનું વરૂ૫ વર્ણવતાં કહ્યું છે કે રંગુકિયાકલ્પ છમ્ ૩૨ | મુખડિયાનું સંપદાન “છલ' કહેવાય છે. તે અપમાન, પ્રતિપક્ષની ખરાબ ચેષ્ટાઓ વગેરેથી જન્મે છે. એટલે કે, તે તેના વિભાવે છે અને વક્રોક્તિ, સ્મિત; ઈક્ષણ, સ્વભાવનું પ્રસ્થાન વગેરે તેના અનુભા છે.
विभावा अवमानप्रतिपक्षकुचेष्टादयः । अनुभावा वक्रोक्तिनिभूतस्मित्त निभूतवीक्षण प्रकृति. કરછનાયિકા ૩૩
- આ ઉપરાંત, ભાનુદત્ત જે તે રસને વ્યભિચારીઓનો પૃથફ નિર્દેશ પણ કરે છે, તદનુસાર, સંગ શુગારમાં આલસ્ય, ઉગ્રતા અને જુગુપ્સા હોતાં નથી. વિપ્રલંભમાં આલસ્ય, ગ્લાનિ, નિવેદ, શ્રમ, શંકા, નિદ્રા, ઔસુકષ, અપસ્માર, સુપ્ત, વિબોધ, ઉન્માદ, જડતા અને અસૂયા–એટલા વ્યભિચારીઓ નિરૂપાય છે, હાસ્યમાં અવહિલ્યા, આલસ્ય, નિંદ્રા, સુપ્ત, પ્રબોધ અને, અસૂયા હોય છે, તે કરણમાં વળી મોહ, નિવેદ, ત્ય, જડતા, વિષાદ, ભ્રમઅપસ્માર, ઉમાદ, વ્યાધિ, આલસ્ય, સ્મૃતિ, વેણુ, સ્તંભ, સ્વરભેદ તથા અશ્રુ નામના વ્યભિચારીઓ આવે છે. એકરસમાં ઉત્સાહ, સ્મૃતિ,
, આવેગ, અમર્ષ, રોમાંચ, ચલતા, ઉગ્રતા, સ્વરભેદ અને ક૫ હોય છે, જયારે વીરમાં ઉત્સાહ, તિ, મતિ, ગવ, આવેગ, અમષ, ઉગ્રતા અને રોમાંચનું નિરૂપણ થાય છે. ભયાનકમાં તંભ, સ્વેદ ગદગદવ, રોમાંચ, વૈવ, શંકા, મોહ, આવેગ, દૈન્ય, ચપલતા, ત્રાસ, અપમાર, પ્રલય અને મૂચ્છ નામના વ્યભિચારીએ પ્રાપ્ત થાય છે, અને બીભત્સ રસમાં અપમાર, મોહ, આવેગ તથા વવશ્ય જોવા મળે છે તે અદભુતમાં વળી સ્તંભ, સ્વેદ, ગગડવ, અશ્રુ, રોમાંચ, વિશ્વમ તથા વિસ્મયનું નિરૂપણ - કરવામાં આવે છે. આ જ રીતે, અન્ય વ્યભિચારીઓ પણ વિચારી શકાય. - અહીં', સામાન્ય રીતે જેને સાત્વિક ભાવો તરીકે ઓળખવામાં આવે છે, તેમની ગણના પણ જે તે રસને વિષે રહેલ જે તે વ્યભિચારિસમહમાં કરવામાં આવી છે, જે નેધપાત્ર છે. સાવિક ભાવના નિરૂપણ પ્રસંગે તેમને વ્યભિચારીથી પૃથફ દર્શાવતા ભાનુદત્ત અહીં તે જ સાત્વિક ભાવને અન્ય વ્યભિચારી ભાવની કક્ષામાં મૂકે છે, તે યુક્તિસંગત જણાતું નથી. પરંતુ અભિનવગુપ્ત શાક્તરસની ચર્ચા દરમ્યાન “અભિનવભારતી'માં દરેક ભાવોનું સ્થાયિત્વ, અનુભાવવ, ચિત્ત જત્વ અને સંચારિત્વ સંદર્ભ પ્રમાણે હોઈ શકે એવું જે સૂચવ્યું છે, તેનું જ સમર્થન અહી ભાનુદત્ત કરતા હોય એમ વિચારી શકાય.
[[સામીપ્ય : ઔો., '૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only