SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ગુજરાતમાં ઉપલબ્ધ પ્રાચીન યમદ્વિરનું સાક્ષ છેક ઈસની ૫ મી-૬ ઠી સદીથી મળે છે. આ સદી દરમ્યાન સુર્ય મંદિર બંધાયાં હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે. હાલના અભ્યાસના આધારે ૧૯ જેટલા સૂર્યમંદિર જાણમાં આવ્યા છે. જે બાબત સૂયપૂજાની વ્યાપકતાની સૂચક છે. આમાં પ્રાચીનતમ મંદિર ગોપમાં આવેલું છે જે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. અલબત્ત આ મંદિરમાં હાલ સૂર્ય પ્રતિમા મેજૂદ નથી. ત્યારબાદ ૭મી સદીનું ઢાંકનું સૂર્યમંદિર છે. ૮ મી-૯મી સદીથી સૂર્યમંદિરની સંખ્યામાં વધારો થાય છે અને ૧૧ મી સદી સુધીમાં તો ગુજરાતના લગભગ બધા જ ભાગમાં પ્રચલિત હોવાનું તતકાલીન ઉપલબ્ધ મંદિરોને આધારે કહી શકાય છે. . જ્યારે ઉપલબ્ધ પ્રતિમાઓ પર જોઈએ તે સૌ પ્રથમ કચ્છના રાયણ ગામેથી મળેલ પ્રતિમાને નિદેશ કરી શકાય. ૨ જી સદીની આ ઊભેલી પ્રતિમાના દિભુજમાં પાને નાળ સહિત ધારણ કરેલ છે. ત્યારબાદ બેખીરા, શામળાજી, માંગરોળ, પ્રભાસપાટણ, રોડા) વગેરેની પ્રતિમાઓને સમાવેશ થાય છે. જેની પ્રાપ્તિ ૧૪ મી સદી સુધી વિવિધતા પૂર્ણ જોવા મળે છે. ૨૮ - ઉપરોક્ત તમામ પુરાતત્વીય પુરાવાઓ ઉપરથી ગુજરાતમાં સૂર્યપૂજાની પ્રાચીનતાનું નિર્ધારણ કરતાં એમ સૂચિત થાય છે કે ઈ.સ.ની ૨ જી-૪ થી સદી દરમ્યાન ગુજરાતમાં આત્યિભક્તિ વ્યાપક બની હતી. એનું પ્રતિમાપૂજન થવા લાગ્યું હતું. ૪ થી સદીથી એને રાજ્યાશ્રય પ્રાપ્ત થવા લાગ્યો ન હતો. પછીની સદીઓમાં ખાસ કરીને મૈત્રકકાળમાં અને વિકાસ થયો. આમ ઉપલબ્ધ પુરાવાઓને . લક્ષમાં લેતાં ગુજરાતમાં સૂર્યની પ્રતિમાને ઈસ ની ૨ જી સદી સુધી નિશ્ચિતપણે લઈ શકાય એમ છે. પાદટીપ ૧. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ગુજરાતના તીર્થસ્થાને', પૃ. ૧૨૧ ૨, ૬. કે. શાસ્ત્રી, “સૂર્યપૂજ-રાંદલ પૂજા', “બસ ગુજરાતી સભા સંશોધન મંડળ ગૈમાસિક', (ફાગુસમંગે), પૃ. 1 ' ૩. રણછોડલાલ વ. શાની, ગુજરાતનું શિલ્પ સ્થાપત્ય”, “કાસમ.", વર્ષ-૪, અં. ૩, - પુ. ૧૦, પૃ. ૧૭ ૪. હસમુખ સાંકળિયા, પુરાતત્ત્વની દષ્ટિએ ગુજરાતના પ્રાચીન ધ’, “ગુમ”, . ૬, - અં. ૧, પૃ. ૯૬. ૫. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, મેત્રકકાલીન ગુજરાત, ભાગ ૨, પૃ. ૩૭૮; “ગુજરાતમાં સૂર્યો પાસના', ધ્વનિમુદ્રણ, તા. ૧૮-૬-૮૪ ૬. હરિલાલ આર. ગૌદાની, “સૂર્યમંદિર મોઢેરા (ધમરાય)', “નવચેતન”, મુ. ૮૧, અં. - ૪૮૬, ૧૯૬૪, પૃ. ૨૧ ૭. ગૌદાની, સૂર્યમંદિર વિશેષાંક', (સમવિ.) પૃ. ૬૮ ૮. કનૈયાલાલ ભા. દવે, ગુજરાતનું મતિવિધાન, પૃ. ૩૮૬ ૯. નવીનચંદ્ર આ. આચાર્ય, “વાઘેલાકાલીન ગુજરાતને સાંસ્કૃતિક ઇતિહાસ’, ભાગ ૨, પૃ. ૪૯૨ ૧૦. કાંતિલાલ ૬. સોમપુરા, “સૂત્મવિ ૧૧. નરોત્તમ વાળંદ, સુમવિ., પૃ. ૬૪ ૧૨. પુષ્કરભાઈ ગોકાણી, સમવિ., પૃ. ૬૪ [સામીપ્ય : ઍકટે, '૯ર-માર્ચ, ૧૯૯૩ ૭] For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy