SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન ઉપનિષદોમાં પરા-અપરા વિદ્યાનું નિરૂપણ કાન્તિલાલ. રા. હવે * ઈન્ડો યુરોપિયન સાહિત્યના પ્રાચીનતમ અવશેષના રૂપમાં વેદેનું વિશ્વસાહિત્યમાં અનન્ય સ્થાન આ વેદોના અન્ત ભાગે આવતા હેાવાથી અને વેદના જ્ઞાનના તેમાં નિષ હોવાથી વેદાન્ત નામે ઓળખાતા ઉપનિષ–પ્રથામાં આજ સુધીના માનવીય જ્ઞાન અને પ્રજ્ઞાની પરાકાષ્ઠાનાં દર્શન થાય છે, શ્રી બલદેવ ઉપાધ્યાય જણાવે છે તેમ ઉપનિષદે વાસ્તવમાં એવાં આધ્યાત્મિક માનસરાવર છે જેમાંથી પ્રાદુર્ભાવ પામેલી વિવિધ જ્ઞાન સરિતાએ પુણ્યભૂમિ આર્યાવર્ત ના મનુષ્યમાત્રનું સાંસારિક અને પારલૌકિક કલ્યાણ કયુ' છે. આ સાંસારિક કલ્યાણુ કરનારી વિદ્યાઓને ઉપનિષદ્ય અપરાવિદ્યા અને પારલૌકિક કલ્યાણ કરનારી વિદ્યાને પરાવિદ્યા તરીકે ઓળખાવે છે. મુંડક ઉપનિષદ(૧/૧/૩–૪)માં શૌનક અને અંગિરાના સંવાદમાં ઉપનિષત્કાલીન સમગ્ર વિદ્યા અને જ્ઞાનવિજ્ઞાનની શાખાઓનુ` આ પ્રકારનુ' દ્વિધા વિભાજન પ્રાપ્ત થાય છે. (૧) જેનાથી છાને પ્રાપ્ત કરી શકાય તે પાવિદ્યા અને (૨) તે વગરની તમામ વિદ્યાએ તે અપરાવિદ્યા. મુ.ડક ઉપનિષદ(૧/૧/૩-૪)માં અપરાવિદ્યામાં ઋગ્વેદ યારવે, અને ષડ્ વેદંગાની ગણુના કરવામાં આવી છે. પરાવિદ્યામાં સમાવિષ્ટ અન્ય વિષયાના ઉલ્લેખ અન્યત્ર મૃ. ઉપનિષદ (૨/૪/૧૨)માં મળે છે, જ્યાં મુડડપ્રેાક્ત વિષયો ઉપરત ઇતિહાસ-પુરાણ, વિદ્યા, ઉપનિષદો, શ્લોકા, સૂત્ર, અનુવ્યાખ્યાન, - વ્યાખ્યાન, મ ંત્ર, વિવરણુ અને અયવાદ આદિ પશુ સમાવેશ કરવામાં માન્યા છે, અને તેમને મહાભૂતના નિ:શ્વાસ તરીકે વર્ષોવવામાં આવ્યાં છે. અલબત્ત, ઉપનિષત્કાલીન પાપવિષયાની લગભગ સર્વો'ગસ પૂણુ' કહી શકાય તેવી યાદી છાંદોગ્ય ઉપનિષદ્ (૭/૧/૨)માં આચાય સનત્કુમાર અને શિષ્ય નારદ વચ્ચેના સવાદમાં ઉપલબ્ધ થાય છે. જેમાં પૂર્વોક્ત ચારવે, વેદાંગા, પગમ વેદ એવા ઇતિહાસ પુરાણુ, પિમ્ય, શ્રાદ્ઘકલ્પ, રાશિ, દૈવ, નિધિ વાવાકય, એકાયન, દેવવિદ્યા, છાવિદ્યા, ભૂતવિદ્યા, નક્ષત્રવિદ્યા, સપ`વિદ્યા, દેવજનવિદ્યા, ક્ષત્રવિદ્યા વગેરે વિષયોની ઠીક ઠીક લાંખી સૂચિ મળે છે. મા અપરાવિદ્યાઓના જ્ઞાતા મંત્રવિદ્ તરીકે ઓળખાતા જ્યારે પરાવિદ્યાના જ્ઞાતા બ્રહ્મવિદ્ કે આત્મવિદ્ તરીકે ઓળખાતા. પરાવિદ્યા : પરક્ષાને પ્રાપ્ત કરવાની વિદ્યા તે પરાવિદ્યા. ઉપનિષદોમાં ઠેર ઠેર અપરાવિદ્યા પર . પરાવિદ્યાની શ્રેષ્ઠતાના સ્વીકાર કરવામાં આવેલા જોવા મળે છે. એટલું જ નહી, અપરાવિદ્યાની કઠોર નિંદા પણુ ઉપનિષદ્યામાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે કઠ ઉપનિષદ(૧/૨/૫)માં અપરાવિદ્યાના વિદ્યાનાની કડક શબ્દોમાં આલેાચના કરી તેમને મૂઢ અને એક આંધળાથી રાતા અન્ય અધિળા સાથે સરખાવ્યા છે.૪ કઠ ઉપનિષદ જણાવે છે કે આ આત્મા પ્રવચન, મેધા, બહુશ્રુતતા કે તર્કની લીલાથી લભ્ય નથી.પ બ્રહ્નસાક્ષાત્કાર માટે જગત અને તેનાં તત્ત્વા તરફ્ સામાન્ય જનથી પૃથક્ એવી દૃષ્ટિની આવશ્યકતા જણાવી ઉપનિષદ્ય કહે છે કે જગત અને તેનાં તવાની. બ્રહ્મરૂપે ઉપાસના કરતાં કરતાં, મનની એકાગ્રતા કેળવતાં કેળવતાં, ક્રમશઃ આગળ વધતાં બ્રહ્મના સાક્ષાત્કાર કરી શકાય છે. આવા બ્રહ્મયાત્રીને બ્રહ્મ સાક્ષાત્કારમાં સહાયરૂપ એવી, કેટલીક વિદ્યાઓની પણ ઉપનિષામાં પ્રસંગાપાત ચર્ચા છે, જે નીચે મુજબ છે. * સ ંસ્કૃત અનુ. વિભાગ, સરદાર પટેલ યુનિવસિડેંટી, વલ્લભ વિદ્યાનગર. પ્રાચીન ઉપનિષામાં પરા-મપરા વિદ્યાનું નિરૂપણ ] For Private and Personal Use Only [૧
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy