SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org વ્યાકરણની સાથે પ્રાકૃત રસની વગેરેનું વ્યાકરણ લખવાની પ્રથાને આદિ આવિર્ભાવક આચાર્ય હેમચંદ્ર જ છે, અપભ્રંશના ભાગમાં એમણે જે પદ્ય ભાગ આપે છે તે ભાષાશાસ્ત્રના પ્રતિહાસમાં ખાસ સ્થાન લે એ છે. હેમચંદ્રનું વ્યાકરણ ગુજરાતનું પ્રધાન વ્યાકરણું છે. એની રચના કાત–ની જેમ પ્રકરણનુસારી છે, હેમચંદ્ર પિતાના વ્યાકરણમાં ધાતુપાઠ, ગણપાઠ, ઉબુદિસૂત્ર અને લિંગાનુશાસન નામક ખિલપઠની પણ રચના કરી છે. પોતાના આ વ્યાકરણની પરી વૃત્તિમાં હેમચંદે પોતે અનેક લગભગ ૩૫ જેટલા વૈયાકરણના મતોની વિવેકપૂર્વક આચના કરી છે. હેમચંદ્રનું આ વ્યાકરણ અનેક વ્યાકરણના નવનીતરૂપ છે. અભિનવ શાકટાયનના વ્યાકરણને હેમચંદ્ર વધુ અનુસરેલા છે. આ વ્યાકરશે ઉપરાંત બોપદેવાઈ. સ. ની ૧૩ મી શતાબ્દી) નું મુગ્ધબોધ વ્યાકરણ, કમદીશ્વર (ઈ. સ. ની તેરમી શતાબ્દીની આસપાસ) નું જોર વ્યાકરણ, અનુભૂતિ સ્વરૂપાચાર્ય(ઈ. સ. ની ૧૩ મી શતાબ્દી કૃત સારસ્વત વ્યાકરણ તેમ ઈ. સ. ના ૧૪મા સૈકાના પાનાભદત્તનું સંપા વ્યાકરણ વગેરે વ્યાકરણ દ્વારા પાણિનિની અષ્ટાધ્યાયીની વિશદતા તેમ પરિભાષાની દષ્ટિએ પ્રતીત થી કેટલીક જટિલતાને સરળ બનાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. લગભગ બધા જ વૈયાકરણે સ્વતંત્ર ગણતા હોવા છતાં પાણિનીય પદ્ધતિના જ પુરસ્કારકે છે, વસ્તુત: શબ્દાનુશાસન રચયિતાએની સમાપ્તિ હેમચંદ્રથી જ માનવી જોઈએ, એમના પછી કોઈ પણ વ્યાકરણ એવું રચાયું નથી કે જેને વાસ્તવિક રૂપમાં વ્યાકરણ કહી શકાય. આચાર્ય વ્યાતિ અપર નામ દાક્ષાયણ કૃત “સંગ્રહ', આચાર્ય ભતૃહરિકૃત “વાક્યપ્રદીપ’ અને નાથ ભટ કૃત “લઘુમંજૂરા” વ્યાકરણશાસ્ત્રના દાર્શનિક ગ્રંથ છે. એથી અતિરિક્ત અન્ય કેટલાક વાસનિક ગ્રંથો મળે છે, પણ આ ત્રણ ગ્રંથે જ મુખ્ય મનાય છે. - પાણિનિએ પોતાના વ્યાકરણના લગભગ ૪૦૦૦ સૂત્રો આઠ અધ્યાયમાં અને દરેક અધ્યાયના ચાર પાર એ રીતે ૩૨ ખંડમાં ફાળવી નાખ્યાં છે. પૂ. શ્રી કેશવરામ શાસ્ત્રી લખે છે તેમ એ વ્યાકરણની સૂત્રરચના પ્રાય: એના અસલ સ્વરૂપમાં સચવાયેલી કહેવામાં ખાસ બાધ નથી. પાણિ _નિની એ વિશેષતા છે કે એઓ વૈદિક તેમજ સંસ્કૃત ભાષાની ઝીણામાં ઝીણી બારીકીને પકડી પાડે છે અને વિશાળ શબ્દ સમૂહમાં મૂળાને અને એમાં પ્રવતિત બધા જ પ્રકારની પ્રકિયાને આવરી લે છે. આજે પણ એવી સ્થિતિ છે કે પાણિનીય પદ્ધતિએ જે વિદ્વાનો તૈયાર થયા હોય તેઓ વ્યાકરણના પંડિતે કહેવાય છે. સૂત્ર એટલાં નાનાં છે કે લાધવની પરાકાષ્ટા થઈ ગઈ છે. સૂત્રોની નિરૂપણ બની શકે તેટલી લાગવગયુક્ત છે. પાઠકોને માટે મળો વઝરમુજી સૂત્રઘ વાતિ મે જતિ :– | ઉક્તિ અનુસાર ટીકા અને ભાળ્યા વિના એમાં પ્રવેશ કરવો એ શકય જ નથી. સૂત્રોના લાધવના બલ પર જ નાગશે પોતાના “પરિભાષેન્દ્ર શેખર” ની રચના કરી છે. કહે છે કે માત્રટાનિ દિ युत्रोत्सव मन्यन्ते वैयाकरणा: અર્થાત્ સૂત્રમાં જો એક વ્યંજન માત્રનું પણ ઓછા૫ણું બની શકે તે એથી વૈયાકરને પત્ર જનમ જેટલો આનંદ મળે છે. આ સુપ્રસિદ્ધ ઉક્તિને બાર્તા વર્ષના મહાન વૈયાકરમાંથી માત્ર " પાશનએ જ ચરિતાર્થ કરી આપી છે. એમણે માત્ર ૧૪ પ્રત્યાહારમાં સમગ્ર વને સમાવી દીધા છે. એ જ એમની બુદ્ધિશક્તિ માટે પ્રદર્શક છે. સ્વરે અર્ધસ્વરે, અનુનાસિક વ્યંજનો. ઘોષ વ્યંજને, મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણ) [ ૧૯ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy