SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાતિશાખ્યોથી અતિરિત કેટલાક એવા પણ વ્યાકરણ ગ્રંથે ઉપલબ્ધ છે જેની ગણના પ્રાતિશાખ્યોમાં ન હોવા છતાં પણ જેને સંબંધ વેદ અને એની શાખાઓ સાથે છે યથા (૧) ફતંત્ર-શાકટાયન થા ઔદવજિત (૨) લઘુત્ર (૭સામત ત્ર– વૃજિ યા ગામૃત (૪) અક્ષરતંત્ર-આપિશલિ કૃત (૫) અથવચતુરધ્યાયી–શૌનક યા કૌસપ્રીત (૬) પ્રતિજ્ઞાસૂત્ર–કાત્યાયન કૃત (૭) ભાષિકસૂત્ર: ઉપર લખેલાં પ્રાતિશાખ્ય આદિ શૈદિક વ્યાકરણના ગ્રથોમાં ૫૭ વ્યાકરણ પ્રવકતાનાં નામ ઉપલબ્ધ થાય છે. ૧૦ પ્રાચીન આચાર્યોનાં નામ પાણિનિએ અષ્ટાધ્યાયીમાં આપ્યાં છે. એથી અતિરિક્ત ૧૩ આચાર્યોનાં નામ પણ પ્રાચીન ગ્રંથોમાં મળે છેપ્રાતિ શાખ્યોમાં ઉદધૃત આચાર્યોની ગણના વધુ પડતી પ્રતીત થાય પણ પાણિનિથી પ્રાચીન ૨૩ આચાર્યોના નામ તે આપણને નિશ્ચિતરૂપે જ્ઞાન છે. યથા–ઈન્દ્ર, વાયુ, ભરદ્વાજ, ભાગુરિ પૌષ્કર સાદિ, આરાયણ, કાશકુમ્ન, રૈયાધ્ર પચ, માધ્યન્દિનિ, શૈઢિ, શૌનકિ, ગૌતમ, વ્યાડિ, આપિશલિ, કાશ્યપ, ગાગ્ય, ગાલવ, ચાદવર્મશુ, ભારદ્વાજ, શાકટાયન, શાકલ્ય, સેનક અને ફટાયન. - પાણિનિના ગ્રંથમાં પ્રથમ ૧૩ નામ નથી, પણ પછીનાં ૧૦ નામ મળે છે. આ ૨૩ આચાર્યોમાંથી ઈક, ભાગરિ, કાઋત્ન પૌષ્કરસાદિ અને આપિશલિ એ પાંચ આચાર્યોનાં અનેક સત્ર તથા મત પ્રાચીન ગ્રંથોમાં મળે છે. ઈન્દ્ર, વાયુ, ભાગુરિ, ચારાયણ, શૈઢિ કાશસ્ત ગૌતમ અને વ્યાડીના ઉલલેખે મહાભાષ્યકાર પત'જલિએ કર્યા છે. કાત્યાયનના યજઃપ્રાતિશાખ્યમાં ભારદ્વાજને નિદેશ છે. વોયાધ 'પને કાશિકાત્તિમાં મતોલેખ થયો છે તેમ માર્યાદિનિને પણ કાશિકાગ્રુત્તિમાં જ ઉલ્લેખ મળે છે. આમાં વ્યાતિ તો પાણિનિના મામા થતા હતા. પાણિનિના અષ્ટાધ્યાયી ઉપર એમને સંગ્રહ નામનો ગ્રંથ હોવાનો પતંજલિએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. મેકસમારે તે પ્રાતિશાખ્યો નિરુક્ત અને પાણિનીય અષ્ટાધ્યાયીમાંથી બધા મળી કુલ ૬૫ વ્યાકરણકારોની તારવણી કરી છે. (હિસ્ટરી એક સંસ્કૃત લિટરેચર, પૃ. ૧૪૨). '. આ આચાર્યોમાં સવથી અધિક ઉદ્ધરણ આપિશલિ વ્યાકરણનાં મળે છે. આપિશલિ' વ્યાકરણમાં પાણિનીય વ્યાકરણની જેમ આઠ અધ્યાય હતા અને એની સૂત્ર રચના પણ પાણિનીય સૂત્ર પાઠથી પ્રાયઃ મળતી હોવાનું એના થયેલા ઉલેખોથી સ્પષ્ટ જણાઈ આવે છે. પાણિનીય વ્યાકરણની જેમ આપિશલિ વ્યાકરણમાં ધાતુ પાઠ, ગણપાઠ અને ઉથાદિઠા એ ખિલપાઠ પણ રચાયા હતા. પાણિનીય વ્યાકરણની રચના કયારે થઈ? આરૂઢ માન્યતાવાળા વિદ્વાને તે પાણિનિને ઈ. સ. પ્રવેશ ૨૮૯૦માં મૂકે છે. સંસ્કૃત વ્યાકરણુશાસ્ત્ર કા ઇતિહાસ (પૃ. ૧૭, ૧૩૮)માં શ્રી યુધિષ્ઠિર મીમાંસ કે ને પ્રમાણે આપી એ મતને સિદ્ધ કરવાને સબળ પ્રયત્ન કર્યો છે. એમણે શૌનકના ત્રપ્રાતિ શાખમાં અનેક સ્થળે આવ પાણિનિના મામા વ્યડિના નામને ઉલેખ, સામવેદીય તત્રમાને મહર્ષિ પાણિનિ અને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર [૧૧ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy