SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૮] યાદે અયાય’માં નજર નાંખી છે તે વિસ્મય ઉપજાવે તેવી છે. આ સક્ષિપ્ત પુસ્તક ખરેખર ગુજરાતના મુસલમાનોના ઇતિહાસ માટે એક માદશિકાનુ કામ કરે એમ છે. મોક્ષાના ઇતિહાસની ઉપયેાગિતા અને ઇતિહાસકારની જવાબદારીઓથી સભાન હતા, પ્રજાનું સમાજજીવન, તેની શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓ, તેનાં વિચાર અને વન, તેનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવન વગેરે અનેક બાબતને તેમણે ન્યાય આપવા સફળ પ્રયત્ન કર્યાં છે. સે...કડા ગ્રંથોના અક અને સત્ત્વ માત્ર ગણુતરીનાં પૃષ્ઠોમાં રજૂ કરીને એમણે ખરેખર ભારે સફળતાપૂર્વક ઇતિહાસની સેવા બજાવી છે. સમગ્ર પુસ્તકમાં હિજરી સન આપવામાં આવી છે પરંતુ અનુવાદકે પુસ્તકને અંતે હિજરીસન-ઈસવી સનનુ` કેબ્ઝક આપ્યુ છે. જે સમેટ અને યેાગ્ય જ છે. આ નાના પુસ્તક દ્વારા ગુજરાતના ઇતિહાસ સ'શેાધનની કેડીએ જ માત્ર પ્રકાશિત નથી થઈ કે હિન્દુસ્તાનના વિવિધ પ્રદેશા વિશે સોધન કાર્યં કરનારીઓ માટે એક ઉચ્ચ, અનુકરણીય નમૂને પ્રસ્તુત થયા છે એમ કહી શકાય, કારણ કે મૌલાના સૈયદ અબ્દુલ હયનું આ પુસ્તક સૌથી વધારે સંક્ષિપ્ત હોવા છતાં સૌથી વધારે માહિતીસભર છે. એનુ લક ગુજ રાતના ઇતિહાસના રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક પાસાંઓતે આવરી લે છે. જો કે અનુવાદની ભાષા તેમાં વપરાતા પ્રચૂર ઉર્દૂ` કે ફારસી શબ્દપ્રયાગા અને વ્યક્તિવિશેષો માટે વપરાયેલા વિશેષણા સાથેના નામાને કારણે થાડી કહે છે. છતાં ઘણે સ્થળે અનુવાદકે તેનુ પણ સુંદર ગુજરાતી ભાષાંતર આપ્યું છે. અનુવાદક શ્રીએ આ અનુવાદ કોઈ ગુજરાતી ભાષાના નિષ્ણાત પાસે તપાસાવી લીધા હોત તા ભાષાની ઝળક વધારે આપત. ભાવિસંશાધનકારને તેમજ સામાન્ય વાચક વ` માટે આ ખૂબ ઉપયાગી પુસ્તક પુરવાર થાય તેમ છે. ઉર્દૂ માંથી ગુજરાતીમાં અનુવાદ હાવા છતાં અનુવાદકશ્રીએ ખૂબ જહેમત ઉઠાવી આ પુસ્તક ગુજરાતી ભાષી પ્રજા સમક્ષ મૂકયુ' તે બદલ શ્રી અબ્દુલકાદર ફાતીવાલાને ધન્યવાદ ટે છે અને આશા રાખીએ કે આ જ પ્રમાણે ઉર્દૂ, ક઼ારસી અને અરખી ઇતિહાસના ગ્રંથે જે અનુવાદની વાટ જોતાં સદીઓથી અમદાવાદના તેમજ ગુજરાતના ગ્રંથાલયેામાં રહ્યાં છે તે ગુજરાતી ભાષી પ્રજા સમક્ષ બને એટલાં જલદીથી બહાર મુકાય તા સેનામાં સુગંધ ભળ્યા જેવુ' કામ થશે. —થતીવ્ર દીક્ષિત તારાયણ (તારાગણુ) સં. એચ. સી. ભાયાણી, પ્રકાશક, પ્રાકૃત ગ્રંથ પરિષદ, અમદાવાદ-૯, પૃ ૧૭ + ૭૯, કિ ંમત શ. ૨૦/-, ૧૯૮૭ તારાયણ (તારાગણુ) નવમી સદીના અંતભાગમાં થઈ ગયેલા બપ્પ ભટ્ટીનાં સુભાષિત પ્રાકૃત ગાથાઓના કવિના જ સમકાલીન શંકુકે કરેલ સંગ્રહ, હૈં. ભાયાણીએ સંપાદિત કરીને પ્રાકૃત ટેકસ્ટ સાસાયટી દ્વારા ૧૯૮૭માં પ્રસિદ્ધ કર્યાં છે. આ ગ્રન્થમાં ગાથાઓની કાઈક અજ્ઞાતે રચેલી સંસ્કૃત વૃત્તિ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, તે પ્રાકૃતથી ચાડીક કઠિનાઈ અનુભવતા વાચક માટે સહાયરૂપ થશે. આ સુભાષિતાનાં મુખ્ય વિષયામાં સજ્જન-દુન, વર્ષા, અનુરાગ, કમલિની, અસતી વગેરે સુભાષિતામાં દશ્ય થતા એવા ખીજી વિષયે પણ છે. ડૉ. ભાયાણીએ બપ્પભટ્ટીના જીવન વિષેની જાણકારી પણ ટૂંકામાં આપી છે, તથા કવિનું મૂલ્યાંકન કહીને તેની શૈલી તથા આ સંગ્રહનું સાહિત્યકીય સ્થાન પણ ચચ્યુ છે. એક વિશેષતા આ સંગ્રહમાં એ છે કે કવિએ એક વિષ્યગત ગાથાઓના પ્રથમાક્ષરાની એક ગાથા રચીને એવુ' સૂચવ્યુ છે કે તે ગાથાઓને રચનાર ખપ્પભટ્ટી જ છે. અહી' એ પણુ નાંધવું ઘટે કે આ સંગ્રહની પ્રમુખ ગાથાઓમાંથી પ ગાથાઓ તે। શકુંકે રચેલી છે તેમ સંપાદકે નાંખ્યું છે. આમાંની કેટલીક ગાથાઓ વજ્જા લગ્નમ' માં પણ મળી આવે છે, તેથી આ બધી ગાથાઓના કર્તૃત્વ વિષે સંશય થાય છતાં સપાદકને અભિપ્રાય એ સંશયછેદી છે. -રસિકલાલ ત્રિપાઠી [સામીપ્ય ઃ ટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy