SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાવિલેએ આ પ્રવાહે ઝીલ્યા તેનું મુખ્ય કારણ તેમનો સામાજિક દરજજો અને આર્થિક મોભે ઊંચા હતા. આ વાતાવરણનાં પરિબળો ઝીલનારાઓમાં મહત્ત્વના બે પાટીદાર ભાઈઓ કુંવરજી વી. મહેતા (ઈ. સ. ૧૮૮૬-૧૯૮૦) અને કલ્યાણજીભાઈ વી. મહેતા (ઇ. સ. ૧૮૯૦-૧૯૭૩) હતા. તેઓ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામના હતા અને બીજા અનાવિલોમાં દયાળજી નાનુભાઈ દેસાઈ (ઈ. સ. ૧૮૭૭–૧૯૯૪). દક્ષિણ ગુજરાતના સુધારક તરીકે “દલ-કલ”ની જેડીથી પાછળથી વિખ્યાત બનેલા. શરૂઆતમાં તેમનો ઝોક બંગભંગના આંદોલનોથી ૨'ગાઈ ક્રાંતિકારી તરફ ઢળેલો હતો. કુંવરજી અને કલ્યાણજી નાળિયેરની કાચલીમાં કાણું પાડી બોંબને પાવડર ભરી બૅબ બનાવતા. જો કે તેમણે કદી તેને ઉપયોગ ન કર્યો, પરંતુ પાછળથી દક્ષિણ આફ્રિકાથી નીકળતું ગાંધીજીનું સાપ્તાહિક “ઈડિઝન ઓપિનિયન’ના પરિચયમાં આવતા આ પ્રવૃત્તિને તેમણે પિતાના કાર્યક્રમનો ભાગ બનાવી હતી. રાજકીય વિચારસરણીમાં તેઓ ઉદ્દામવાદી હતા. તિલક, લાલા લજપતરાય તેમના વીરપુરુષો હતા. ૧૯૦૭માં તેમણે કેંગ્રેસમાં હાજરી આપી હતી. ફ્રેંચ ગાર્ડનમાં ઊભા કરાયેલા કાંગ્રેસ મંડપમાં જ્યારે મવાળવાદી અને ઉદ્દામવાદીઓ વચ્ચે ધાંધલ-ધમાલ થતાં તિલકને ખભા ઉપર ઊંચકી લઈ મંડપમાંથી બહાર કાઢનારા કુંવરજી* ભાઈ અને તેમના સાથીદારો હતા. વળી કુંવરજીભાઈના પતા વિઠ્ઠલભાઈ અને કાકા મવાળજી પ્રખર આર્યસમાજી હતા. વાંઝ અને તેના પડોશમાં આવેલું બાજીપુરા આર્યસમાજને અહી હતું. કલ્યાણજીભાઈના શબ્દોમાં કહીએ તે “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાંથી જે ચિનગારી મળેલી, તે આર્યસમાજની પ્રેરણાથી સમાજ સુધારણાની ઝુંબેશમાં પરિણમી.”e ના લારપુરુષો હતા. ૧૯૦૭માં તે ઉદ્દામવાત - ''T 91. ૬ચ ગાર્ડનમાં ઊભા કાર આ બે પાટીદાર ભાઈઓએ વાંઝ ગામમાં ૧૯૦૮ માં સાત વ્યક્તિઓથી “પાટીદાર યુવક મંડળની સ્થાપના કરી. આ મંડળને દયેય પાટીદાર કોમમાં કેળવણી ફેલાવવી, સમાજસુધારણ કરવી, કુરિવાજે નાબૂદ કરવા અને તે અંગે લોકજાગૃતિ કે સભાનતા કેળવવી, તેમજ ખેડૂતહિતોનું રક્ષણ કરવાના હતા. કુંવરજી અને કલ્યાણજી લેઉવા પાટીદાર હતા અને શરૂઆતની મંડળની પ્રવૃત્તિ લેઉવા પાટીદાર જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેની પ્રવૃત્તિને વ્યાપ Coil ની માફક કેંદ્રમાંથી શરૂ થઈ વર્તુળાકારે ચારે બાજ ફેલાઈ જાય તેમ ફેલાતા વાર ના લાગી. પાટીદાર કેમના યુવાવગના જીવંત પ્રગતિશીલત અહીં એકત્રિત થતા વાર ના લાગી. મંડળે પિતાના વિચારે પાટીદાર સમાજ સમક્ષ રજુ કરવા પોતાનું મુખપત્ર “પાટીદાર હિતેચ્છુ” માસિક, વાંઝ ગામે શરૂ કર્યું. આ પત્રને દયેય તેના મુખપૃષ્ટ ઉપર જ સુંદર કાવ્યમય શૈલીમાં છપાત ઊઠે પાટીદારો તમે હાંસ ધરો કરો પ્રેમથી જ્ઞાતિ મળે સુધારે, સુધારો સુધાને જમાન લૂટે છે, ઊંઘે જાણજે ભાગ્યદેવી રૂઠે છે.” બરાબર આ જ સમયે વડોદરા રાજ્યમાં સિનેર ગામમાંથી ગોરધનભાઈ કહાનદાસ અમીન “પટેલ બધ' માસિક કાઢતા. જ્ઞાતિ સુધારણ માટે પ્રજામત કેળવવામાં આ માસિકને કાળા મહત્ત્વને હતા. શરૂઆતમાં લગભગ ૧૯૧૫ સુધી આ માસિકને અવાજ મવાળવાદી ૨ો. બ્રિટિશ સરકારને વફાદારી દર્શાવતા સૂત્ર પણ લખાતા. વખતો વખત “માયાળુ સરકાર” તરીકે ઉલ્લેખ થતો. “બાળ લગ્ન” નિષેધ ઉપરના લેખમાં વાંઝના શિક્ષક રામભાઈ કાળીદાસ નેધે છે-“મુસલમાન બાદશાહના વખતોવખત થતા હુમલાને પરિણામે સામીપ્ય : ઑકટોબર '૮૭ થી માર્ચ ૧૯૮૮ ૧૯૨ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy