SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શાસનકર્તાએ કાંઈને કાંઈ કદમ ભરતા જ રહ્યા. આ સત્તા દિનપ્રતિદિન વધુ અને વધુ આપખુદ બનતી જતી, પણ તેણે જ્યારે અખબારની આઝાદી પણ ખૂંચવી ત્યારે “મું બઈ સમાચારે' તેના તા. ૧૫-૩-૧૮૭૬ ના અંકમાં કડક ટીકા કરી. એના સાર ભાગ આ પ્રમાણે છે. બ્રિટનમાં શાસન રાજાના હાથમાં હેાવા છતાં ત્યાં પ્રાસત્તાક સરકાર છે, પણ આ દિલગીરીની વાત છે કે હિંદુસ્તાનની સરકારના સ્વરૂપમાં ફેરફાર કરી અહી' સાવ આપખુદ સરકાર સ્થાપવામાં આવી રહી છે. કેટલાક સમયથી દેશમાં અદાલતેાને કારાબારીના કબામાં મૂકવામાં આવી રહી છે.........હાઈ કોર્ટ ગવન ર પર જે સત્તા ભાગવે છે તે સાવ દૂર કરવા કાજે અને ગવર્નર જનરલને હાઈકોર્ટ ઉપર સત્તા આપવાની માંગણી થઈ રહી છે. આ માગણી વિચિત્ર નહિ લાગે કારણ કે બંગાળન! માજી લેટેનન્ટ ગવર્નર સર જયેાજ કૅમ્પબેલે પાર્લામેન્ટમાં હિંમતથી જણાવી દીધું છે કે ભારતના વાઈસરાયનુ ગૌરવ મુધલ શહેનશાહ જેટલું જ રાખવુ જોઈએ. આમ એવી ઇચ્છા રાખવામાં આવી છે કે ભારતના વાઈસરાય મુઘલ શહેનશાહ જેટલેા જ આપખુદ હૈ।વે જોઈએ. ભારતમાં વાઈસરાય આવી સત્તા તા ધરાવે જ છે. દેશના હેર વર્તમાનપત્રાને એના કામકાજની ટીકા કરવાના હક્ક છે-પણ એમ લાગે છે કે અખબારની આઝાદી પણ ખૂ'ચવાઈ જશે વગેરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ અગાઉ લગભગ સાડા પાંચ દસકા પૂર્વે આ પત્ર પ્રારંભ અખખારની આઝાદી'ના લેખથી કરેલે. તેણે તેની સ્વતંત્ર વિચારસરણી ત્યાર પછીય ચાલુ જ રાખી તેનું આ નોંધનીય દૃષ્ટાંત છે. પ્રજાના હક્ક અધિકારની રક્ષા કરવા પત્ર સારી સજાગતા રાખી છે. દેશના આગેવાનાની હાકલને તેની કતારામાં સારું સ્થાન મળતું અને તંત્રો-નાંધામાં તેનું સમન થતું. કોંગ્રેસના કબજે ગાંધીજી હસ્તક આવતાં દેશની સ્વત ંત્રતા માટે તેમણે જે શસ્ત્રો ઉપાડયાં તેનું પત્રે જોરદાર સમર્થન કર્યું.... આમ કરતાં તેના તંત્રી સારાબજી કાપડિયાએ જેલવાસા વડેા. પ્રશ્નમાં સારા ફેલાવા અને વગવસીલેા ધરાવતાર “મુંબઈ સમાચાર' જેવા પત્રને સબળ ટેકા કોંગ્રેસને આશિષરૂપ થઈ પડયે પત્રની રાજકીય વિચારસરણી આમ પ્રથમથી સ્વતંત્ર હતી, રાષ્ટ્રીય હિતની હતી, પ્રાના સ્વમાનને પાના ચઢાવતારી હતી, ગુલામીની ખેડીએ તેાડવામાં સીધી કે આડકતરી રીતે રાજકીય આગેવાનેતા પ્રયાસાને સમર્થન આપનારી હતી. પત્રની આ સ્વતંત્ર નીતિ આજે ય ચાલુ જ છે. આજની પ્રજાકીય સરકાર પ્રજાના હક્ક-અધિકાર પર તરાપ મારવાના કોઈ પ્રયાસ કરે તેા આ સાગ અખબાર તે સામે જોરદાર અવાજ ઉઠાવે જ છે, ૧૮૮] આ પત્રની જન્મતિથિએ, તેની ૧૪૦ મી વર્ષગાંઠે, તેના ૧૯ મા તત્રી મીનુ દેસાઈએ લખેલ વિચાર પ્રેરક વચનાથી આપણું સૌપ્રથમ ગુજરાતી વૃત્તપત્ર વિશેના લેખ પૂરા કરીએ : “પત્રકારત્વ જનતાની સેવાનું એક અને અજોડ સાધન છે અને તેથી જ પત્રકાર જનતાને સેવક લેખાય છે. એ સેવા તેણે નિરપેક્ષભાવે કરવાની છે...... : પત્રકારત્વ હુન્નર લેખે પુણ્યશાળી હેાઈ શકે યા પાપમય પણ બની શકે છે. સમાજના એક અંગ લેખે એ સર્વાં ́ગી સેવાભાવી હેાઈ શકે યા તમામ અનિષ્ટાનું એ સાધન પણ બની શકે, પર`તુ જે લેાકેા એક પવિત્ર સાધન તરીકે એ વ્યવસાયને ઝડપી લઈને પેાતાના દેશમાંધવાના હિંતમાં તેના સર્વવ્યાપક ઉપયોગ કરવા ઉત્સુક હાય તેમને માટે આ વ્યવસાય એક અજોડ સાધન છે.” “મુંબઈ સમાચાર” સફળ ધંધાદારી વ્યવસાય રહેવા સાથે પ્રાહિતાર્થે કામ કરતું અને જાગૃતિ દાખવતું સબળ સાધન પણ રહ્યું જ છે.' [સામીપ્સ : કટાબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy