SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રક્રિયાને, પછીથી માણેકનાથ નાળચામાં ખૂંધ થયાના કે નાથ સંપ્રદાયની સમાધિ લેવાની પ્રક્રિયાના કથાટક તરીકે ઓળખાવી હશે. પૂર્વકાલીન અ ઘટના આમ માણેકનાથનું' રૂપક (કથાઘટક) અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં વસતીના થયેલા ફેરફારનું સૂચિત રૂપક હોવાનું જણાય છે અને માણેક બૂરજ અહીની સૂર્યંપાસનાની પરપરાની સ્મૃતિને સાચવતા અડિખમ ઊભા છે. ઘણીવાર સ્મૃતિ લુપ્ત થયાનાં દૃષ્ટાન્તો પણ મળે છે, તેનું આ ઉદાહરણ છે. પિચુમંદાક તીથ'ની હકીક્તતા નિર્દેશ કરતાં રત્નમણિરાવે એવી તૈાંધ કરી છે કે ખીલીમાં શિવ, પીંપળામાં વિષ્ણુ, લીંમડામાં પ્રભાકર રહેલા છે. આ તીથને નિખાકર પણ કહે છે. આ તીથ હાલ કયાં છે તે જાયુ' નથી. પ્રાચીનકાળમાં કેઇ સૂર્યમંદિર હશે. પ્રસ્તુત નોંધના આધારે ઈસવી સન ૧૯૨૯ સુધીમાં આ તીર્થ અ ંગે કાઈ તપાસ થઈ નથી એ સૂચિત થાય છે. આ શબ્દની તૈાંધ માત્ર ઉમાશંકર જોશીએ કરી છે પણ તેની વધુ તપાસ થઈ નથી. પદ્મપુરાણુનાં તીર્થાંની સ્થળતપાસ કરતાં પિચુમંદાક`તી'ના સ્થળનિણુય અમે કરવા સદ્ભાગી બન્યા. આ સ્થળનિણુય થયા પછી માણેકનાથની પ્રચલિત કથા રૂપક હોવાનું અઘટન શકય બન્યુ. સમાપન માણેકનાથની કથાની કેટલીક સારી વિગા રત્નમણિરાવે એમના ગ્રંથમાં૧૦વષ્ણુવી છે. તેમાં તેમણે કેટલાંક અ ઘટના કરવાના અસફળ પ્રયાસ કર્યાં છે; કેમ કે તેમને પિચુમંદાક' તીનાં સ્થળેાતા ખ્યાલ આબ્યા નથી. આ બાબતે વિચાર કરતાં એવું જણાય છે કે એમના જમાનામાં ઇતિહાસની વિભાવનામાં સંચયનની પ્રક્રિયાå વધુ મહત્ત્વ આપવામાં આવતુ` હતુ`; અને સંચિત સામગ્રી પરથી સદન માટેના પ્રયાસે। આછા થતા હશે. વળી ત્યારે સચયન મેાટે ભાગે વાણીગત રહેતુ. અને પદાર્થોંગત પુરાવસ્તુનું અન્વેષણ પણ પ્રમાણમાં ઓછું. વિકસિત હોવાથી આવી ઘણી લોકકથાએ કે કથાઘટકો ઓછાં સમજાતાં પરંતુ ઇતિહાસની અન્વેષણની પદ્ધતિ વધુ સુક્ષ્મ થતી જાય છે, તેથી આ ક્ષેત્રનાં સંદના પણુ બદલાતાં જાય છે. આ લેખ આ દિશાનેા એક પ્રયાસ છે. પાદટીપ ૧. વધુ વિગત માટે જુએ, રમણુલાલ નાગરજી મહેતા, આશાવલ, કર્ણાવતી અને અમદાવાદ,' વિદ્યાપીઠ, વ` ૨૪, અંક ૩, ૧૯૮૬, પૃ. ૯ થી. ૨. અપભ્રંશ સાહિત્યમાં સાદડી કે ગેાદડી ગૂચવાનાં અને ઉકેલવાનાં તથા રાત્રે તેને છેડી નાંખવાથી દિવસ દરમ્યાન થયેલાં ચણતર તૂટી પડવાનાં દૃષ્ટાંતા જોવા મળે છે. પ્રસ્તુત માહિતી આપવા માટે અમે પ્રાધ્યાપક હરિવલ્લભ ભાયાણીના આભારી છીએ. ૩. આ કથાની વધુ માહિતી માટે જુએ, રત્નમણિરાવ ભીમરાવ જોટ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ, ૧૯૨૯, પૃ. ૩૦-૩૩, ૪૪, ૧૭૧. ૪. માહિતી માટે જુએ, ૨. ના. મહેતા, અમદાવાદના વિકાસ,’સંબધિ,” પુ. ૨, ન. ૧ થી ૪ (એપ્રિલ, ૧૯૮૨ થી જાન્યુ., ૧૯૮૩), પૃ. ૮૧–૧૦૧ ૫. માણેકચેક નામની માંધ ‘મિરાત-એ-સિકંદરી'માં હોવાની વિગત રત્નમણિરાવે ગુજરાતનુ પાટનગર : અમદાવાદ ગ્રંથમાં પૃ. ૩૪ ઉપર આપી છે. તેથી આ તાંત્ર આ નામ સત્તરમી સદી પહેલાનું હાવા વિશે મજબૂત પ્રમાણુ પૂરુ પાડે છે. સામીપ્ટ : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] For Private and Personal Use Only [ જુએ અનુસધાન પૃષ્ઠ-૧૭૮] [૧૭૧
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy