________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવનું જણાય છે. કૃષ્ણના નીચલા અને ઉપલા જમણા હાથમાં અનુક્રમેશ'ખ અને ચક્ર તેમજ ઉપલા ડાખા અને નીચલા ડાખા હાથમાં અનુક્રમે ગદા અને પદ્મ ધારણ કરેલાં છે, મસ્તક પર કિરીટ મુકુટ અને કર્ણાંમાં કુંડળ શાભે છે. જમણેા પગ વૃદ્ધ સ્વરૂપવાળા કાલિય નાગના ખભા પર રાખેલા છે અને ડાબે પગ પાછળ વાળીને નૃત્યની મુદ્રામાં દર્શાવાયા છે. નાગની બંને બાજુ એ નાગણીએ છે, જેમની પૂછડી સાથે નાગની પૂ’ડી લપેટાઈ વૃત્ત આકાર બનેલ છે. કિનારીની અંદર નાનાં એ લખગાળ વતુ ળામાં વરાહ અને નૃસિ'હુની મૂર્તિ કોતરેલી દૃશ્યમાન થાય છે.જ
મૂળ માધવપુર(સૌરાષ્ટ્ર)ના એક મંદિરની(ઈ.સ. ૧૧ મી સદી) છતમાં · કાલિયમનનું સુંદર શિલ્પાંકન જેવા મળે છે." આ શિલ્પમાં શ્રીકૃષ્ણે તદ્દન ખાલ સ્વરૂપમાં દર્શાવાયા છે (ચિત્ર-૪). કાલિય અંજલિ મુદ્રામાં બેઠેલા છે. કૃષ્ણે એકાવલી હાર, કેયૂર, કટિબંધ, અને વાંકિડયા વાળથી શાભાયમાન લાગે છે. દ્વિભુજ કૃષ્ણે જમણા હાથથી કદંબને પકડયું છે અને ડાભે હાથ છાતી પર રાખેલા છે. કાલિય નાગની તે બાજુ એક એક નાગણી બદ્ધાંજલિ ખેડેલી છે. નાગ અને નાગણીઓની પૂછડીએના ગૂંચળાથી એક વર્તુળ જેવું બન્યુ' છે. આ વર્તુળમાં અંદર નાનાં નાનાં ૧૨ ખીજા વૃત્તો બનેલાં છે, જેમાંનાં દસ વૃત્તોમાં-મિથુન, કર્ક, ધનુસ, મીન, તુલા, મિથુન, તુલા, મકર, વૃષભ અને મેષ એમ જમણી બાજુથી આરંભ કરતાં રાશિઓની આકૃતિઓ કોતરેલી છે
બાકીનાં બે વૃત્તોમાંના એકમાં હાથીની આકૃતિ કોતરેલી છે, જે કૃષ્ણુના ડાખા પગ પાસે છે. બીજા વૃત્તમાં કપિની આકૃતિ કોતરેલી છે, જે કૃષ્ણના મસ્તક પાસે ડાબી તરફ છે. આમ મૂળ માધવપુરનું રાશિઓના અંકન સહિતનુ કાલિયમનનું આ શિલ્પ ઉત્કૃષ્ટ છે અને ગુજરાતમાં ઉપલબ્ધ નાત કાલિયમનના શિÒામાં અતિ વિરલ છે.
આ ઉપરાંત અંબાસણ(જિ. મહેસાણા)માં ઈ.સ. ની ૧૨મી સદીનું કાલિયમનનું શિલ્પ શીતળા માતાના મંદિરમાં મળ્યું છે. એમાં કૃષ્ણ ચતુર્ભુ જ દર્શાવાયા છે. ઉપલા જમણા હાથમાં ગદા ધારણ કરી છે. અને નીચલે જમણા હાથ કાલિયની પૂછડીને સ્પર્શે છે. ઉપલા ડાબા હાથમાં ચક્ર છે અને નીચલા ડાબે હાથ તૂટેલા છે. કૃષ્ણે પાતતા જમણા પગ કાલિયના જમણા ખભા પર રાખ્યા છે અને ડાબો પગ પાછળ વાળીને નૃત્યની મુદ્રામાં છે. કાલિય 'જલિ મુદ્રામાં છે. અહી કૃષ્ણનું સ્વરૂપ પ્રૌઢ વયનુ લાગે છે. આજુબાજુ આ નાગણીએ અધ` માનવીય સ્વરૂપમાં કોતરેલી છે.૮ ભીમાસણ(તા. લાલ, જિ. મહેસાણા)માં ચામુંડા માતાના મંદિરના બહારના ભાગમાં કાલિયમ નવું શિલ્પ છૂટુ પડેલુ છે. એ ઈ.સ. ની ૧૩ મી સદીનુ છે. ભુિજ કૃષ્ણે કાલિય પર નૃત્ય કરે છે. જમણા હાથ મસ્તકની ઉપર ઊંચા ઉઠાવેલા છે અને ડાબા હાથથી નાગની પૂંછડી પકડેલ છે. જમણા પગ નાગની કૃષ્ણા પર ટેકવેલા છે અને ડામે પગ ઘૂટણથી વાળને નૃત્ય મુદ્રામાં રાખેલા છે. ચારે બાજુ કિનારી ઉપર કીતિ`મુખ કોતરેલાં જણુાય છે. કૃષ્ણે અહીં બાલસ્વરૂપના દર્શાવાયા છે. ખતે બાજુ ચાર ચાર નાગણીઓ કોતરેલી છે.
અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં ઈ.સ. ની ૧૧મી–૧૨ મી સદીનું શિલ્પ સંગૃહીત છે. એમાં કૃષ્ણે મૂળ વિષ્ણુના સ્વરૂપમાં શેષ નાગ પર બેઠેલા છે. ચતુર્ભુ`જ કૃષ્ણના ઉપલા જમણા હાથમાં ગદા અને ઉપલા ડાબા હાથમાં પ્રાય: ચક્ર ધારણ કરેલ છે. નીચલા જમણા હાથ કોણીથી તૂટેલા છે. અતે નીચલા ડામેા હાથ કાલિયના ખભા પર મૂકેલા છે. કૃષ્ણે જમણા પગ કાલિયની છાતી પર
સામીપ્ય : ઑકટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮]
[૧૫
For Private and Personal Use Only