________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અય દીક્ષિત પછી દેવશંકર લેકેક્તિ અલંકારને સ્વીકારનારા બીજા આલંકારિક આચાર્ય છે, લોકોક્તિ અલંકારની અપુષ્ય દીક્ષિતે આપેલી વ્યાખ્યાપ જ દેવશંકરે શબ્દશઃ સ્વીકારી છે. એટલે વ્યાખ્યાની બાબતમાં અપ્પય દીક્ષિતનું ઋણ દેવશંકરે સ્વીકાર્યું છે. પરંતુ ઉદાહરણની બાબતમાં દેવશંકરે પણ અપની જેમ મૌલિક ઉદાહરણ લેકેતિ અલંકાર માટે આપ્યું છે. દેવશંકરે આપેલા ઉદાહરણમાં પિતાની ખાનગી વાત દુષ્ટને કહીને પાછળથી પસ્તાઈ રહેલા મનુષ્યને તેને મિત્ર જણાવે છે કે “હાથ વડે પેટ ચોળીને તેણે શૂળ ઉત્પન્ન કર્યું છે. અહીં પેટ ચોળીને શૂળ ઉપજાવવું' એવી લેકપ્રચલિત ઉક્તિ આપવાથી લેકેતિ અલંકાર થયો છે. ફલત:, લોકેક્તિ અલંકારના એક મૌલિક ઉદાહરણને રજૂ કરવા સિવાય અપ્પય દીક્ષિતથી આગળ વધી દેવશંકરને કશું જ કહેવાનું નથી.
દેવશંકર પછી કુણુ કવિએ લેકોક્તિ અલંકાર સ્વીકાર પિતાના મંદારમચંદચંપૂમાં કર્યો છે. કૃષ્ણ કવિએ લેકેક્તિ અલંક રની વ્યાખ્યા અપય દીક્ષિતને અનુસરીને આપી છે. પરંતુ આ કૃષ્ણ કવિએ દેવશંકરની જેમ લે કેક્તિ અલંકારનું ઉદાહરણ મૌલિક આપ્યું છે. આમ છતાં તેમાં રહેલી “આખો મીચીને એ લોકોમાં પ્રચલિત ઉક્તિ તો કૃષ્ણ કવિએ કાલિદાસ અને અ૫ય દીક્ષિતે આપેલી પ્રચલિત લોકોક્તિને જ સ્વીકારી છે. આથી ઉદાહરણમાં પણ કૃષ્ણ કવિએ અય દીક્ષિતનું ઋણુ જ સ્વીકાર્યું છે. પરિણામે કૃષ્ણકવિને પણ લોકોક્તિ અલંકારની બાબતમાં અપ્પય દીક્ષિતથી આગળ વધી કશું જ કહેવાનું નથી ! સંક્ષેપમાં અપાય દીક્ષિતને ફાળો લેકે ક્તિ અલંકારને ક્ષેત્રે અત્યંત અગત્યનું છે.
અલંકારિકોએ કરેલી આ લોકોક્તિ અલંકારની ચર્ચા જોતાં એમ કહી શકાય કે મેડે મોડે રૂઢ પ્રયોગો અને કહેવત જેવાં લેકવ્યવહારમાં ચલણી બનેલા વાકયે પણ કાવ્યની શોભા વધારે છે એ વાતનો સ્વીકાર થયો છે. આવા રૂઢ પ્રયોગો અને કહેવતો કાવ્યમાં સૂચક અને અસરકારક રજૂઆત કરે છે. તેથી લોકોક્તિ અલંકારમાં કાવ્યસૌદર્ય રહેલું હોય છે. જોકેક્તિ ક્યારેક વ્યંગ્યાથંવાળી, તો ક્યારેક જીવનના અનુભવના નવનીતવાળી હોય છે. અંગ્રેજી વગેરે વિવિધ ભાષાઓમાં આવા રૂઢ પ્રયોગો અને કહેવત ધરાવતી ભાષાને શોભાવાળી ભાષા માનવામાં આવે છે એ વાત લોકોક્તિ અલંકારને માનનારાઓને ખૂબ સ્વાભાવિક જણાય તેમાં કશી નવાઈ નથી. એટલે તમામ ભાષાઓમાં આ અલંકાર આદરપાત્ર બને છે.
છેલ્લે, લેકેતિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારવો જોઈએ, કારણ કે અર્થાન્તરન્યાસ અલંકારમાં સમર્થ્ય સમર્થકભાવ હોય છે, જ્યારે લેકેકિત અલંકારમાં તેને અભાવ હોય છે. દૃષ્ટાંત અને નિદર્શન જેવા અલંકારોમાં દાખલે આપવાની વાત મુખ્ય હોય છે, જ્યારે લેકેતિ અલંકારમાં તેને અભાવ હોય છે. વળી વકૅક્તિ અલંકારમાં શ્લિષ્ટ અર્થ કે કાકુ હોય છે તેને લેકેક્તિ અલંકારમાં અભાવ હોવાથી આ અલંકારને વૉક્તિ અલંકારમાં સમાવી શકાય નહીં. એવી જ રીતે
છે કોક્તિ અલંકારમાં લોકપ્તિ અલંકારને સમાવી ન શકાય, કારણ કે છેકેકિત અલંકારમાં કવિને વિશિષ્ટ અભિપ્રાય રહેલો હોય છે કે જેનો અભાવ કેક્તિ અલંકારમાં હોય છે. વ્યાક્તિ , ગૂઢક્તિ તથા વિક્તિ અલંકારોમાં કશુંક છૂપાવવાની વાત હોય છે કે જે વાત લેકોક્તિ અલંકારમાં નથી. તેથી લોકોક્તિને જુદો અલંકાર માનવો ઘટે. છેલ્લે, નિરુક્તિ અલંકારમાં શબ્દના બીજા યૌગિક અર્થની વાત હોય છે, જ્યારે લેકેક્તિ અલંકારમાં તેવી વાત ન હોવાથી નિરુક્તિ અલંકારમાં લેકોક્તિ અલંકારને સમાવી શકાય. ફલત:, લેકોક્તિ અલંકારને સ્વતંત્ર અલંકાર તરીકે સ્વીકારવો જોઈએ.
અનુસંધાન પૃષ્ઠ-૧૬ ૩]
૧૫૮]
[સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only