SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવના જમણા પગ પાસે જે નાની બેઠેલી આકતિ નજરે પડે છે તે વિષ્ણુની હોવાનું જણાય છે. એમાં ચતુર્ભુજ વિષ્ણુને જમણો નીચલે હાથ આશીર્વાદ મુદ્રામાં છે, જે પ્રસંગને અનુરૂપ છે. વિષ્ણુના જમણુ ઉપલા હાથમાં ગદા, ડાબા ઉપલા હાથમાં પુ૫ (કમળ) અને ડાબા નીચલા હાથમાં સંભવતઃ શંખ ધારણ કરેલ છે. પાર્વતીના ડાબા પગ પાસે જે આકૃતિ વીરાસન માં બેઠેલી છે, તે મૃદંગવાદકની છે. આ મૃદંગવાદક પિતાના બંને હાથ વડે નરધા–તબલાની જેમ બે અલગ-અલગ મૃદંગોને વગાડી રહ્યો છે. અહીં હામ કરતા બ્રહ્મા, આશીર્વાદ આપતા વિષ્ણુ, શિવ-પાર્વતીને સંયુક્ત કરતું છેડા ગાંઠણું તેમ જ પાર્વતી દ્વારા પોતાના બંને હાથ વડે શિવ દ્વારા અપાતી વસ્તુને સ્વીકાર આ બધાનો સમગ્ર રીતે વિચાર કરતાં આ પ્રસંગ શિવપાર્વતીનું પાણિગ્રહણ થઈ ગયા પછી શિવ દ્વારા પાવતીને આપતા સિંદ પાત્રનો સૂચક હોવાનું અનુમાની શકાય છે. શિવે અધોવસ્ત્ર તરીકે મૃગચર્મ ધારણ કરેલ છે. તેમના મસ્તકે ગમુક્ત જટામુક, નમાં સુવર્ણનાં ભારે કુંડલ, ગળામાં હાંસડી (હિક્કાસત્ર), કરવલય, સર્ષને બાજુબંધ, મૌક્તિકની કટિમેખલા, ઊરુદામ, બે પગ વચ્ચે લટકતી કટિમેખલાની સેર અને પગમાં પાદજાલક ધારણ કરેલ છે. જ્યારે પાર્વતીના મસ્તક પર વિશિષ્ટ પ્રકારની કેશરયના જોવા મળે છે. સેંથે પાડી ઊભા ઓળેલા વાળને ઉપરની બાજ બંધ બાંધી તેને ચૂડામણિ અને સુવર્ણાલંકારથી સુશોભિત કરેલ છે, જ્યારે બાકી રહેલા વાળને પાછળની બાજુ ગોળ અંડે લઈ તેને ડાબા ખભા પર ઝૂકતે રાખેલ છે. એ અંડાને ફૂલમાળાથી સજાવેલ છે. પાર્વતીએ કુંડલ, ગ્રીવા, હિકા સૂત્ર, પ્રલંબહાર કે મંગળસૂત્ર, કરવલય, બીજુબંધ, કટિમેખલા, ઊદામ, પારદર્શક ચુસ્ત અધોવસ્ત્ર અને પગમાં પાદજાલક ધારણ કરેલ છે. પાર્વતીનું મુખ ઘસાયેલું છે. વિષ્ણુ અને વાદક બંને આકૃતિઓની પાછળ લગ્નની ચોરીને ત્રણ-ત્રણ ઘડા સ્પષ્ટ નજરે પડે છે. આમ સમગ્ર આલેખન, સપ્રમાણ દેહરચના અને વાળ તેમજ અલંકારોની રચના શૈલીની દ્રષ્ટિએ આ વિરલ પ્રતિમા ઈ. સ. ની ૧૧ મી સદીના પહેલા ચરણમાં ઘડાઈ હોવાનું પ્રતીત થાય છે. અમદાવાદનું શિવ વિવાહ કે પાર્વતી–પરિણયનું આલેખન કરતું સુંદર શિલ્પ (ચિત્ર-૩) હ૫માં જની ટેલીગ્રાફ ઓફિસ પાસેની ભદ્રના કિલ્લાની જની દીવાલમાંથી મળી આવ્યું હતું. આ શિલ્પ હાલ અમદાવાદના શાહીબાગમાં શ્રી ગુણવંત મંગલદાસના અંગત સંગ્રહમાં સુરક્ષિત છે. આ શિપન ફોટોગ્રાફ શ્રી વસંત ગુપ્ત(ભદ્ર વિસ્તારના સામાજિક કાર્યકર)એ રો પાડવો છે તેની અત્રે સાભાર નોંધ લઉં છું. કલ્યાણસુંદર મૂર્તિ સ્વરૂપની આ પ્રતિમા ઉપયુક્ત પાવાગઢના શિ૯૫ની પરંપરાને વ્યક્ત કરે છે. પાવાગઢના શિ૯૫માં લગ્નમંડપ માટે કરેલી ચેરીમાં ત્રણ-ત્રણ કુંભ મૂકેલા છે, જેનો અહીં પૂર્ણ વિકાસ નજરે પડે છે. અહીં બંને બાજુ ચાર–ચાર કળશ ઊંચી પીઠિકા પર ગોઠવીને ઊતરડ બનાવી છે, જેના ટોચના કળશ પર હંસની આકૃતિ બેઠેલી દષ્ટિગોચર થાય છે. ઉપરના ભાગમાં અધ વર્તુળાકારે આમ્રપલવના તોરણની રચના કરેલી છે. આમ કળશ અને આમ્રપલવનાં તરણુથી બનેલા મંડપમાં શિવ-પાર્વતી ત્રિભંગમાં ઊભેલા છે. અહી શિવના મસ્તકે ઊંચે જટામુકુટ, કાનમાં વાસુકી સર્ષના કુડલ, લલાટમાં ત્રીજું નેત્ર હોવાની નિશાની સ્પષ્ટ નજરે પડે છે. શિવના ગળામાં સુવર્ણ હિક્કાસૂત્ર, ઉપરાંત કંધ-બંધ અને [૧૬૦ [સામીપ્ય : કટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy