SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org છે. ૩. મસ્ય-માછલી. મત આત્મસ્વરૂપ તેમાંથી જે સ્ય પ્રયુત કરે–પાડે તેવાં સુખ અને દુઃખ એ બે માછલીઓ છે જેના તરફ ઉપેક્ષાવૃત્તિ રાખી સહન કરવા અને હર્ષ કે ઉગ ન કરે, તે ભસ્મભક્ષણને અર્થ થયે. ૪ મિથુન-આત્મજ્ઞાનની તરવા વગેરે જેવી સાધનાઓ દ્વારા જીવાત્મારૂપ સ્ત્રી અને પરમાત્મારૂપ પરનો સંયોગ એટલે જ વેદાંતાનસાર મિથન થયું કહેવાય ૮ “તે સંયોગના પરિણામે જે બ્રહ્માનંદ અનુભવાય છે તેમાં પણ બાહ્યવસ્તુ કે વાતાવરણને ખ્યાલ રહેતી નથી. ૫, મુદ્રા-છા૫ મહેર, ઇજનના સંગની મહોર લાગવાથી સંસારના બંધને વધુ ગાઢ બને છે, તેથી સત્સંગની મહોર મનુષ્ય પોતાના જીવન પર મારે તે જ મુદ્રા છે ૫૦ વેદાંતની પરિભાષાને ઉપર્યુક્ત અર્થ કરતાં જુદે અર્થ યોગસંપ્રદાયમાં ખાસ કરીને ગોરક્ષનાથના ગ્રંથમાં દેખાય છે તદનુસાર હગના સાધકે(નાથગીએ , પંચ મકારનું સેવન કરવાનું હોય છે. એટલે હઠગી સાધક પિંડસાધના-ઘટસાધના કરનારા હાઈ પંચ મકાનો અર્થ તેમની રીતે તેમની પરિભાષા પ્રમાણે આપવામાં આવે છે. ૧, મધ-મનુષ્યના મસ્તકમાં સહસ્ત્રારચક્ર છે, ત્યાં સેમમંડળ છે. તે સેમમંડળમાંથી સતત અમૃત ટપકે છે. તે અમૃત મનુષ્યના જઠરાગ્નિ–અગ્નિમંડળમાં પડતાં બળીને ભસ્મ થઈ જાય છે. તેથી તેને ખેચરી મુદ્રા દ્વારા જીભ પર ઝીલી તેને આસ્વાદ માણવો તે મદ્યપાને છે.18 ૨, માંસ-ભ. ભ માંસપેશીઓને બનેલી છે. તેને કપાલકુહરમાં ખેચરી મુદ્રા દ્વારા લઈ જવાથી માંસ-જીભ ગળામાં પહોંચતી હોવાને લીધે માંસભક્ષણ થયું.૧૫ ૩મસ્ય-મનુષ્યના ડાબા અને જમણુ નસકેરામાં રહેલી ઈડા અને પિંગલા નામની નાડીએમાં ફરતો પ્રાણુ એ જ મત્સ્ય છે. તે પ્રાણને કુંભક કરીને રોકવો તે જ ભસ્મભક્ષણ છે.૧૬ ૪ મિશન-કડલિની શક્તિ અને પરમ શિવનું મિલન એ મિથુનક્રિયા છે. કરોડરજજ (સુષુમણા)ના નીચલા છેડે મૂલાધારચક્રમાં સુષુપ્ત રહેલી કુંડલિનીને પ્રાણાયામાદિ ગપ્રક્રિયા દ્વારા જાગૃત કરવી અને તેને મસ્તકમાં રહેલા સહસ્ત્રારચક્રમાં વિરાજમાન પરમશિવ સાથે મિલન કરાવવું તે જ મિથુન છે. ૧૭ ૫મુદ્રા-દયાનમાં બેસવું, શરીર, શિર અને ડોકને એક જ રેખામાં રાખી (ટટ્ટાર બેસી) નાસાગ્રદૃષ્ટિ થઈને સ્થિર બેસવું તે મુદ્રા છે.૧૮ આમ પંચ મકારના મૂળ અર્થ માંથી વેદાંતને આધ્યાત્મિક અર્થ અને તે પછી હોગીઓના (કે નાથગીઓના) તત્પરક અર્થનું તાત્પર્ય આર્ય સંસ્કૃતિની બહુહેતુક પરિવર્તનમાહ્યતા બતાવે છે. તેના હેતુઓ ઘણું ગણી શકાય તેમ છે. ઉપનિષદકાળથી અને પાતંજલ યોગસૂત્રના કાળ સુધીમાં ઋષિ-મુનિઓ અને યોગીઓના સ્વયં અનુભવને તારણ દષ્ટિગોચર થાય છે. પરમાત્મપાસનામાં આહારની શુદ્ધિ અગત્યને જ નહીં પરંતુ અનિવાર્ય ભાગ ભજવે છે. આહારની સારિવકતા પર બુદ્ધિની સ્વચ્છતા-શુદ્ધિને આધાર છે ૧૮ [જો કે આહારની સ્વચ્છતા અને સમતાને સ્વીકાર આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે જ છે.] બીજો હેતુ એ છે કે આર્યસંસ્કૃતિના યજ્ઞકાંડ અને પશુહત્યાજનિત હિંસાની સામે બૌદ્ધધર્મ અને જૈનધર્મને અહિંસાત્મક વલણને પડઘો પડયો. આર્યસંસ્કૃતિને અહિંસાની ઉપાદેયતા જણાઈ ત્રીજે હેતુ વેદાંતભાવના સાથે સંકલિત છે. વેદાંતમાં સર્વાત્મભાવ °-બ્રહ્મભાવ પર ભાર મૂકવામાં આવ્યો છે. જગતને પ્રાણિમાત્ર પરમાત્માના જ અંશે છે. તેથી એક બ્રહ્મ બીજા બ્રહ્મને હણે [સામીપ્ય ? ઑકટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy