SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લક્ષ્મી વિષ્ણુની પત્ની હોવાથી જયારે વિલ્લુ અવતાર ધારણ કરે છે. ત્યારે તે દરેક અવતારમાં તેજાની સાથે જ રહે છે. જેમકે વિષ્ણુ આદિત્ય તરીકે જન્મ્યા ત્યારે તે પદ્મા સ્વરૂપે, પશુરામ રૂપે જન્મ્યા ત્યારે તે પૃથ્વીરૂપે, રામસ્વરૂપે જનમ્યા ત્યારે સીતા સ્વરૂપે એવી જ રીતે કૃષ્ણ સાથે રૂક્ષ્મણી સ્વરૂપે જન્મ્યા. રાજાઓમાં તે રાજલક્ષ્મી તરીકે વૈષ્ણવોમાં ગજલક્ષ્મી તરીકે ઓળખાય છે. મત્સ્યપુરાણમાં લક્ષ્મીનું મૂર્તિવિધાન, કરતાં વર્ણવ્યું છે કે તેમના જમણાહાથમાં શ્રીફળ અને ડાબા હાથમાં કમળ હોય છે. પદ્માસનપર બેઠેલા કે ઊભેલા હોય છે અને બધી બાજુએથી ગજ અભિષેક કરતા હોય લોકપાલો, ગંધર્વો તેમજ પક્ષો લક્ષ્મીની સ્તુતિ કરતા હોય એમ વર્ણવ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુ ધર્મોત્તરમાં લક્ષ્મીને જગતની જનની અને વિષ્ણુપ્રિયા તરીકે વર્ણવી છે. તાં બે હાથમાંથી એકમાં પદ્મ આરણ કરવી અને એક હાથ અભય મુદ્રામાં હોય છે જ્યારે ચાર હાથ વાળી બતાવી હોય ત્યારે ચાર હાથમાં કમળ, અમૃતકુંભ, બિલ્વફળ અને શંખધારણ કરતી વર્ણવી છે. અને હાથીઓ જળથી અભિષેક કરે છે. 43 રૂપમંડનમાં અષ્ટદલ કમળના સિંહાસન પર બેઠેલી ચતુર્ભુજ વર્ણવી છે. જેમાં ઉપરના બે હાથમાં કમળ અને બાકીના બે હાથમાં અમૃતકુંભ અને માતુલિંગ ધારણ કરેલા છે. શિલ્પ રત્નમાં માતુર્લિંગ ધારણ કરેલા છે. શિલ્પ રત્નમાં લક્ષ્મીને સુવર્કાળ પર બેઠેલી હાથમાં અભય અને વરદ મુદ્રા તેમજ બીજા બે હાથમાં કમળધારણ કરેલી વર્ણવી છે. અને ચાર ગુજરાજો દ્વારા સૂંઢમાં ઊંચા કરેલા ધડાથી રત્નોનો અભિષેક થતો હોય તેનું વર્ણન છે.” અંશુમદ્ ભેદાગમમાં પણ તેને પદ્માસનપર બેઠેલી દ્વિભુજ વર્ણવી છે.૪૦ ભારતમાંથી ગજ લક્ષ્મીનાં ઉત્તમ શિલ્પો મળ્યાં છે. ગુજરાતમાંથી લક્ષ્મીની અનેક પ્રતિમાઓ મળી છે. જેમં આહ્વાની લક્ષ્મી, આપજની ગજલક્ષ્મી, પ્રભાસપાટણની લક્ષ્મી રાણીવાવ (પાટણ)ની લક્ષ્મી, કુંભા, રિયાની લક્ષ્મી વગેરે પ્રતિ છે. ऋग्वेद ૨૧૪-૨૬. ૧. सं. श्री पाद शर्मा मुंबई १९४० ૨. 3. આમ દંતકથા વિજ્ઞાનનો સંબંધ પરંપરાગત કથાઓ, કુદરતી તાકાતો, માનવી અને સૃષ્ટિનો ઉદ્ભવતી વાતો, કેટલાક રિવાજો, ધાર્મિક ક્રિયા પરિકલ્પનો વગેરે સાથે છે. જેમાં કલ્પનાઓ સત્તારૂપે વિકસી પેઢી દર પેઢી સચવાય છે. જેની આજુબાજુ કુદરતી તાકાતો, માન્યતાઓ, ધર્મ, ધાર્મિક ક્રિયાઓ, દેવી-દેવતાઓ અને તેમની શક્તિઓ તેમજ તેમની સાથે જોડાયેલી કથાઓ વગેરેનો સમાવેશ થાય છે. અને પછી તેમાં શ્રદ્ધા, પૂજા, ભક્તિ ભય ઇચ્છાઓની પરિપૂર્તિ ઉમેરાતાં અજર અમર બને છે ત્યારે તે પરિકલ્પનાઓ દંતકથાઓમાં દેવીદેવતાઓની શક્તિઓ લોકોનાં પ્રથમ વિશ્વાસ બને છે, જીવવામાં બળ બને છે. સમાજ ઘડતરનાં કારણ બને છે. અને માનવતાનાં વિકાસમાં મદદરૂપ બને છે. ૪. ૧. ૬. પાદટીપ An encyclopaedic dictionary of Indian Mythology. p. 250 मत्स्यपुराण - ૬. ૧૭૬ ૪૨૨-૨૩૮ પૃ. ૩, ૪૪-૪૬ बंकटेश्वर प्रेस प्रेस - मुंबई १९८० मार्कण्डेयपुराण - बंकटेश्वर प्रेस - मुंबई: १९८७ देवी महात्म्य રઘુવંશ . સં. રામચંદ્ર શા. વારાળી- ૧૯૬૩ -૪૬; ૪-૬; ૧૩, ૬૪-૬૮ વિજ્ર મોર્વશીય સં. સામચંદ્ર જ્ઞા. વારાળસી ૧૯૬૨ રૂ પૃ. ૨૬૨વળી જુઓ. M.I. K|han પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ - ૨૭ = For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy