________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મત્સ્યપુરાણમાં તેને મહિષ પર બેઠેલી અને મસ્તક પર ચામર ધારણ કરેલ, ગદા અમે ચકધારણ કરી દાનવોનોનો નાશ કરનારી કહ્યી છે. 15 માર્કયપુરાણમાં તેને ચક્રધારણ કરનારી અને દાઢથી પૃથ્વીને ઉપાડનારી વળી છે. અપરાજિતપૂચ્છા પ્રમાણે વારાહી મહિપ પર બેઠેલી છે. વરાહ જેવા મુખવાળી અને ચાર હાથમાં અક્ષસૂત્ર, ખઢઘ, ઘંટા અને કમંડલુ ધારણ કરતી વર્ણવી છે. ૧૧ રૂપમંડનમાં તેને વરાહ જેવા રૂપવાળી મહિષ પર બેઠેલી અને હાથમાં બંટા, ચામર, ગદા અને ચક્રને ધારણ કરતી વર્ણવી છે. ૧૯ અંશમુદભેદાગમમાં તેને વરાહના મુખવાળી ચારહાથ વાળી જેમાં હમ, વરદમુદ્રા શક્તિ અને અભયમુદ્રા ધારણ કરતી વર્ણવી છે. ૨૦ શિલ્પરત્નમાં ચાર હાથવાળી વર્ણવી છે. જેમાં ત્રિશૂળ, તલવાર, ઘંટા અને હળ ધારણ કરેલ બતાવી છે. ૨૧
ગુજરાતમાંથી વડોદરા મ્યુઝિયમની શામળાજી વારાણી, પંચમહાલ જિલ્લામાં માતરિયાનો વ્યાસેશ્વર મહાદેવના મંદિરની વારાહી, સાબરકાંઠાના ગઢાની વારાહી ભરુચનાં ગલાલની વારાહી, વડાવલ અને લાડોલની વારાહી જાણીતી છે. ૨૨
ચામુંડા : માતૃકા સ્વરૂપોમાં તે મહાશક્તિ ગણાય છે.
ચામુંડા જગદંબા ત્રિગુણાત્મિકા મહાકાલીનું અપર સ્વરૂમ મનાય છે. ચામુંડા નીચલા સ્તરના લોકોમાં વિશેષ પુનીય છે. ગુજરાતમાં કેટલાક કુટુંબોમાં તે કુળદેવી તરીકે પૂજાય છે.
મસ્યપુરાણમાં ચામુંડાને કટિ પર ઘંટ બાંધેલ નગ્નસ્વરૂપની અને ચિત્તાના ચર્મ પર બેઠેલી બતાવી
વિષ્ણુધર્મોત્તરમાં ચામુંડાને વિકૃત મુખવાળી ઉગ્રદાંત સર્પના આભૂષણો ભૂંડા આંખોવાળી અને દશભૂત વાળી બતાવી છે. જેમાં મૂશળ, બાકાષ અંકુશ, ખડ્ઝ, કવચ, ખેટક, પાશ વાન દંડ અને પશુધારણ કરેલ હોય છે. અપરાજીત પૃચ્છામાં ચામુંડા કૃશકાપ, કદરૂપી, કાનમાં મૂંડમાલા મુક્ત કુંડળ હાથમાં ખટવાંગ, મુંડ અને ત્રિશૂલ ધારણ કરેલી વર્ણવી છે. ૨૧ રૂપમંડનમાં ચામુંડા લાલવર્ણની વિકૃતમુખ, તીક્ષ્ણદાંત, ઉડી આંખો અને દશ ભૂજાવાળી વર્ણવી છે. આ અંશુમદ્ ભેદાગમમાંતેને લાલ વર્ણની, ચતુર્ભુજ વળી છે. ૨૧ શિલ્પમાં ચામુંડાને ‘ચંડીતરીકે વર્ણવી છે. તેને મૂંડમાલા ધારણ કરી છે ચાર હાથમાં શૂલાતલવાર નરપુંડ અને કલાપ ધારણ કરેલા છે. ૨ યોગીની હૃયમાં ચામુંડાને કૃષ્ણવર્મા અને અનુભૂતિ વર્ણવી છે. તેમાં આંઠ હાથમાં શૂલ, ક્રમમૂ, ખગ અને ગુજરાતમાંથી શામળાજી, કોટેશ્વર વડાવલ, લાડોલ, રાણીવાવની ચામુંડા પ્રસિદ્ધ છે. ૨૧
લક્ષ્મી છે. લક્ષ્મી અથવા શ્રીદેવી એ પ્રાચીન કાલથી ખૂબ લોકપ્રિય દેવી છે. તે સૌન્દર્ય, સમૃદ્ધિ, ભાગ્યની દેવી મનાય છે. પુરાણોમાં લક્ષ્મીને વિષ્ણુની આત્મા કહી છે. લક્ષ્મી વગર વિ નિર્જીવ છે. તેમ વિષ્ણુ વગર લક્ષ્મી પણ નિપ્રાણ છે. અગ્નિપુરાણમાં તેને જગન્જનની કહેવામાં આવી છે. લક્ષ્મીના પુરાવા છેક સિંધુ સંસ્કૃતિમાંથી મળે છે તેથી એમ મનાય છે કે તે આર્ય-આર્યતરો સૌમાં વ્યાપકપણે પ્રચારમાં હશે. આગળ જતાં લક્ષ્મીનાં અન્ય દેવી-દેવતાઓની જેમ અનેક રૂપો પ્રચલિત થયાં.
મહાભારત અને રામાયણમાં પણ લક્ષ્મીનું વિગતે વર્ણન મળે છે. ૩૪
લક્ષ્મીનું મહત્ત્વ પ્રાચીન બ્રાહ્મણ ધર્મની જેમ બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ જોવા મળે છે. મરહૂત, સાંચી તેમ જ અજંટા ઇલોરાની બૌદ્ધ ગુફાઓમાં શ્રી લક્ષ્મીનું આલેખવમાં દૃષ્ટાંત છે.
લક્ષ્મીનું વર્ણન પુરાણોમાં વ્યાપકરૂપે જોવા મળે છે. વામન પુરાણમાં કર્મપુરણપ વિષ્ણુધર્મોત્તર પુરાણ, મારદપુરાણ વગેરેમાં લક્ષ્મીનું વર્ણન છે. માર્કન્ડેયપુરાણમાં લક્ષ્મીને અષ્ટનિધિની સ્વામીની કહી છે. ૩૫
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ n ૨૬
For Private and Personal Use Only