SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ્યા ન હોવાથી વેડછી આશ્રમની આ છ બહેનોની ટુકડીને પૂનાની યરવડા જેલમાં મોકલી આપવામાં આવી, જ્યાં પહેલેથી જ કસ્તુરબા, સરોજિની નાયડુ તથા બીજી કેટલીક બહેનો હતી જ. ગુજરાતની બહેનો પણ આ જેલમાં આવી છે એવા સમાચાર જયારે કસ્તુરબાને મળ્યા ત્યારે તેઓ વેડછી આશ્રમની બહેનોને સામેથી આવીને મળ્યાં. આ સમય દરમ્યાન એક મહત્ત્વનો પ્રસંગ બન્યો હતો અને તે વેડછી જેવા રાનીપરજ વિસ્તારની ચૌદ પંદર વર્ષની આદિવાસી કન્યાએ કસ્તુરબાને વાંચતાં-લખતાં શીખવ્યું હતું. તે પ્રસંગ ખુદ દશરીબહેન ચૌધરીના શબ્દોમાં કહીએ તો – “થોડા દિવસ વિત્યા બાદ કસ્તુરબા મારી પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં, દિકરા, તું મને લખતાં-વાંચતાં શીખવીશ? ત્યારે મે કહ્યું, ના બા, તમે ક્યાં અને હું ક્યાં ? મારાથી તમને કઈ રીતે શીખવી શકાય ?” કસ્તુરબાના આગ્રહથી દશરીબહેને તેમને ત્રણ જ મહિનામાં લખતાં-વાંચતાં શીખવી દીધાં. આ અગાઉ કસ્તુરબા જયારે ગાંધીજીને પત્ર લખતાં ત્યારે તેમને અન્યનો સહારો લેવો પડતો, પરંતુ ત્યારથી તેઓ જાતે જ પત્ર લખતાં થઈ ગયાં ? ધરાસણા સત્યાગ્રહમાં પણ આશ્રમની ટુકડી સહભાગી થઈ હતી. ધરાસણા સત્યાગ્રહમાં જયારે ગુજરાત અને આખા દેશના ખૂણે ખૂણેથી અનેક સત્યાગ્રહીઓના જથ્થા ધરાસણા પહોંચતા હતા ત્યારે વેડછી આશ્રમની ટુકડી પણ એમાં જોડાઈ હતી. ત્યાં ટુકડીના સભ્યોને માર સહન કરવો પડતો હતો એટલું જ નહીં આ ટુકડીની ધરપકડ પણ કરવામાં આવી. આ ટુકડી પર કામ ચલાવવા માટે અધિકારીઓ પાસે સમય ન હોવાથી આ ટુકડીને વાડામાં અટકાવી રાખવામાં આવી હતી, જ્યાં તેમને આઠ દસ દિવસ સુધી ખાવા-પીવાની ઘણી મુશ્કેલી પડી હતી. બાજુની વસ્તીમાં આ અંગેની જાણ થતાં બહેનો પાણીના ઘડા અને રોટલા ગુપ્ત રીતે આ ટુકડીને પહોંચતા કરતી. થોડા દિવસ પછી વેડછીની ટુકડીને એક એક માસની સજા કરી વરલી જેલમાં મોકલી આપવામાં આવી હતી.19 ગાંધીજીએ જ્યારે વ્યક્તિગત સત્યાગ્રહનો આદેશ આપ્યો ત્યારે પણ વેડછી આશ્રમમાંથી ગોરધનબાબાની સત્યાગ્રહી તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેમણે વેડછી ગામમાં જાહેર સભા ભરી સત્યાગ્રહ કર્યો. સમગ્ર ગુજરાતમાં આ પહેલો પ્રસંગ હતો.૮ ઓગસ્ટ ૭, ૮ ૧૯૪૨ ના રોજ મહાસભામાં ક્વીટ ઇન્ડિયા 'હિંદ છો જાવનો ઠરાવ પસાર થયો વેડછી આશ્રમ તો તે પહેલાં જ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આ સમયે આશ્રમના ગૃહપતિ નાનુભાઈ પટેલ, ભગવતીભાઈ હરિપ્રસાદ દવે તથા અન્ય વિદ્યાર્થીઓને આશ્રમની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેઓ નજીકના ખાનપુર ગામના જુવારના ખેતરમાં એક અઠવાડિયા સુધી સંતાઈ રહ્યા હતા. નજીકના અંબાચ ગામના એક ચૌધરી કુટુંબને એની જાણ થતાં રોજ તેમને જમવા માટે બોલાવતા. એ દરમ્યાન સત્યાગ્રહ કરી જેલમાં પહોંચવાનો સંદેશો તેમને મળતાં તેઓ સંતા સંતાતા બોરડોલી પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં નિશાન ચૂકવી “મહાત્મા ગાંધી કી જય”, “ભારત છોડો', ‘વંદે માતરમનો પોકાર જોરજોરથી કરતાં તેમની ધરપકડ કરવામાં આવી. વેડછી આશ્રમ જપ્ત થયેલો હોવા છતાં આ વિસ્તારમાં સ્વરાજપ્રાપ્તિનો ઉત્સાહ જરા પણ મંદ પડ્યો હોય એવું જાણવા મળતું ન હતું. લડત દરમ્યાન વેડછી આશ્રમને ત્રણ વખત જપ્ત કરવામાં આવ્યો હતો. જતી દરમ્યાન આશ્રમની ભારે દુર્દશા થતી. સિપાહીઓ તેમાં નિવાસ કરતા, અખાદ્ય ખોરાક રાંધીને ખાતા, જરૂર પડે ત્યારે આશ્રમના મકાનોમાંથી બારી-બારણાં તોડી લાવી તેનું ઈંધણ કરતા, ગામમાં કોઈ રાષ્ટ્રીય પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તેની નજર રાખતા અને અવારનવાર આસપાસનાં આદિવાસી કુટુંબોને રંજાડતા.૨૦ આવા સમયે વેડછી આશ્રમને જામીમાંથી છોડાવવા રાનીપરજ કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને વણકરોની ટોળી વેડછી આશ્રમ પર પહોંચી જતી, જયાં પોલીસ તેમને દંડા મારી હાંકી કાઢતી. માર ખાઈને આ સત્યાગ્રહી સૈનિકો ગાયકવાડી આશ્રયસ્થાનોમાં જેમ તેમ પહોંચતા. આ રાનીપરજ અને ખાદીધારી યુવકોને પોતપોતાના ઘરે જવાનું જયારે સમજાવવામાં આવતું ત્યારે તેઓ કહેતા - અમે ઘેરથી ચાંલ્લા કરાવીને લડતમાં નીકળ્યા છીએ. તે હવે શું મોં લઈને પાછા ઘેર જઈએ? હવે તો જેલ મળે પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૩ For Private and Personal Use Only
SR No.535540
Book TitlePathik 2005 Vol 45 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages72
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy