________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંપાદકીય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક મિત્રો,
પ્રતિવર્ષ ‘પથિક’ દીપાવલી પર્વ પ્રસંગે વિશેષાંક પ્રસિદ્ધ કરે છે એ બાબતે આપ સૌ સુવિદિત છો. આ નવા વર્ષનો ત્રૈમાસિક વિશેષાંક પુરાતત્ત્વ ખાતુ, ગુજરાત રાજ્યના આર્થિક સહયોગથી ડિસેમ્બર માસમાં પ્રસિદ્ધ થશે. જેમાં પુરાતત્ત્વ વિષયક નવા સંશોધનો, સ્થાપત્ય અને શિલ્પ, સિક્કા-અભિલેખ, ચિત્ર, ધર્મ, તત્ત્વજ્ઞાન તથા ઇતિહાસ વિષયક નવા સંશોધનો વગેરે અભ્યાસપૂર્ણ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના લેખોનો સમાવેશ કરવામાં આવશે. પુરાતત્ત્વવિદો, સંશોધકો તથા સહુ લેખક મિત્રોને બનતી ત્વરાએ પથિક કાર્યાલય ખાતે એક માસમાં લેખો મોકલી આપવા નમ્ર વિનંતી.
પથિક પરિવાર વતી સહુ સુજ્ઞ વાચક મિત્રોને દીપાવલી પર્વની શુભકામનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન.
ડૉ. ભારતી શેલત
પ્રા. સુભાષ બ્રહ્મભટ્ટ
તંત્રી
તા.ક. : પથિકનું વાર્ષિક લવાજમ રૂા. ૫૦ છે. નવા વર્ષનું લવાજમ સત્વરે મોકલી આપવા વિનંતી.
પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૨૦
For Private and Personal Use Only