________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના સ્વતંત્ર ચલણનો અખત્યાર મળેલ હતો. સિક્કાઓ પરનાં નિશાન :
કચ્છના સિક્કાઓ ઓળખવા માટે નિશાનોમાં ચાંદી અને સોનાના તેમજ તાંબાના સિક્કાઓમાં ત્રિશુળ, ચંદ્ર અને કટારનાં ચિહ્નો અંકિત થયેલા જોવા મળે છે.
ત્રિશૂળ એ જાડેજા રાજાઓની કુળદેવી આઈ (માતા) આશાપૂરાનું પ્રતીક છે, જેમાં રાજાની કુળદેવી પ્રત્યેની આસ્થા અને ધર્મભાવનાનાં દર્શન થાય છે.
ચાંદ કે અર્ધચંદ્રનું નિશાન જાડેજા રાજપૂતો ચંદ્રવંશી હોવાનું સૂચવે છે.
કચ્છના પ્રાચીન અને બ્રિટિશકાલીન સિક્કાઓ પર કટારનું ચિહ્ન અંકિત થયેલું જોવા મળે છે. વડોદરા, ભાવનગર જેવાં દેશી રાજ્યોના સિક્કાઓ પર તલવારનું ચિહ્ન જોવા મળે છે. રાજપૂતોને શૌર્ય અને બહાદુરી પ્રાણથી પણ પ્યાર હોય છે. કટાર એ રાજપૂતી શૌર્યનું ચિહ્ન છે. કચ્છના મહારાઓ જાડેજા રાજકુળના શૌર્યને કટાર દ્વારા સિક્કાઓ પર અંકિત કરે છે.
કચ્છ રાજ્યના ત્રાંબાના જૂના સિક્કાઓમાં કોઈ ઉપર ત્રિશૂળ છે તો કોઈ ઉપર કટાર છે સંવત ૧૯૨૫ પછીના ત્રાંબાના સિક્કાઓ ઉપર માત્ર ત્રિશૂળનું જ ચિહ્ન છે, પરંતુ ૧૯૪૪ અને તે પછીના ત્રાંબાના સિક્કાઓ ઉપર મહારાઓશ્રીના નામ બાજુ ત્રિશૂળ અને બીજી બાજુ કટારનાં ચિહ્ન છે, જ્યારે મહારાઓશ્રી વિજયરાજજીના ત્રાંબાના સિક્કાઓ ઉપર ત્રિશૂળ ચંદ્ર અને કટાર છે, જ્યારે ત્રાંબિયાની એક બાજુ ત્રિશૂળ અને બીજી બાજુ કટાર છે.
કચ્છ રાજયની વિશિષ્ટતા એ હતી કે સિક્કાઓ રાજય તરફથી છપાવી ચલણમાં મુકાતા હતા, પરંતુ તે ઉપરાંત લોકોને પણ પોતાની ચાંદીની પાટો લાવીને કોરીના સિક્કા પડાવી જવાની છુટ હતી. શરૂઆતમાં છીણી હથોડાથી કોરીઓ ટંકશાળમાં તૈયાર કરવામાં આવતી હતી, પરંતુ ઈ.સ. ૧૯૩૦માં મહારાઓ ખેંગારજી ૩જાના સમયમાં ભૂજમાં આધુનિક નવી ટંકશાળ શરૂ થઈ ત્યારથી એકસરખા સિક્કા પડવા લાગ્યા હતા. કચ્છમાં સોનાની કોરીઓનું ચલણ લાંબા સમય સુધી પ્રચલિત હતું. પહેલાં રાવશાહી મહોર ચાલતી હતી તેની કિંમત ૧OO રૂપાની કોરી ગણાતી હતી, જ્યારે અડધી સોનાની મહોરની કિંમત પચાસ કોરી ગણાતી હતી. સોનાની એક કોરીની કિમત ર૬ll રૂપાની કોરી બરાબર ગણાતી. બ્રિટિશકાળ દરમ્યાન પ્રાગમલજી અને ખેંગારજીના સમયમાં સોનાની કોરીઓનું ચલણ અમલમાં હતું. ધીરે ધીરે સોના અને ચાંદીના ભાવમાં અંતર વધવાને લીધે સોનાનું ચલણ બંધ થતું ગયું. કચ્છમાં મુખ્ય ચલણ ચાંદીની પાંચ કોરી યાને “પાંચિયા"નું હતું, જેનો વ્યવહાર વિશાળ પાયે થતો હતો.
ચલણનું કોષ્ટક - કચ્છની સિક્કા પદ્ધતિ વિશિષ્ટ હતી. “કોરી' કચ્છના ચલણમાં એક હતી એને રૂપિયા સાથે કોઈ સંબંધ ન હતો. આમ છતાં એક રૂપિયા = રા કોરી ગણાતી હોવાનું જણાય છે. તાંબાના વિનિમયમનો દર ૪૮ ત્રાંબિયા = ૨૪ દોકડા = ૧૬ ઢીંગલા = ૧ કોરી ગણાતો હતો. તોલમાનના સંદર્ભમાં આ સિક્કા પર બ્રિટિશ પદ્ધતિનો પ્રભાવ જણાય છે.તદનુસાર ત્રાબિયો દોકડો, ઢીંગલો, અડધી કોરી તોલમાં ક્રમશ ૪, ૮, ૧૨, ૨૧૪ અને ૧/૨ ગ્રામ વજન ધરાવતા સિક્કા હતા. કચ્છના ચલણનું કોષ્ટક નીચે પ્રમાણે છે : (૧) ચાંદીના સિક્કા :૧ પાંચિયો = ૫ કોરી
૧ આધિયો = રા કોરી ૧ કોરી = ર આધિયા
૧ આધિયો = ૮ ઢીંગલા ત્રાંબાના
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૩
For Private and Personal Use Only