SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રિટિશકાલીન સિક્કાશ્રેણીમાં કોઈ મહારાઓની આકૃતિવાળા સિક્કા પાડવામાં આવ્યા ન હતા. કચ્છના સિક્કાઓ ઉપર વારસ તરીકે આવતા પ્રત્યેક બ્રિટિશ રાજાનાં નામ મૂક્યાં હતાં. આ રીતે બ્રિટિશ શાસન પ્રત્યેની પોતાની વફાદારી ટકાવી રાખી હતી. ' ખેંગારજી ત્રીજાના પાંચ કોરીના સિક્કા ઉપર અગ્રભાગે ફારસીમાં ‘વિકટોરિયા કેસહિંદ' અને ઈ.સ. લખવામાં આવતાં, પાછળના ભાગમાં ત્રિશૂળ, કટાર તથા અર્ધચંદ્ર સાથે નાગરીમાં “મહારાજાધિરાજ મિરજા મહારાઉશ્રી ખેંગારજી બાદુર કરછ ભૂજ એમ લખાતું. આ સિક્કાઓનું વનજ આશરે ૧૧,૮ તોલા હતું અને વ્યાસ ૧.૩ ઇંચ હતો. અઢી કોરીના સિક્કાઓ આ જ પ્રકારના હતા, પણ તેમાં પાછલી બાજુનું લખાણ ટૂંકાવીને મહારાઉશ્રી. ખેંગારજી” એટલું જ લખાતું હતું. આ સિક્કા પર કલાત્મક ફૂલપાંદડી છે. ' ખેંગારજીના ચાંદીના એક કોરીના સિક્કાનું વજન ૭૩ ગ્રેઈન તથા વ્યાસ ૦.પ૯ છે. સિક્કાની એક બાજુએ ધારની નજીક ત્રિશૂળ, અર્ધચંદ્ર તથા રાજસૂચક ચિહ્ન તથા નીચે “મહારાજશ્રી ખેંગારજી' તથા નીચે સંવત આપવામાં આવે છે. બીજી બાજુ ફારસીમાં લખાણ છે. (૨) તાંબાના સિક્કા - તાંબાના ઢબુ પાડવાની શરૂઆત ખેંગારજી ત્રીજાએ કરી હતી. તેની કિંમત કોરીના આઠમા ભાગની હતી. તેનાથી બમણી મિતના પાયલા અને તેનાથી પણ બમણી કિંમતના આધિયા પણ એમણે પાડ્યા હતા. લખાણોમાં બધા સિક્કા કોરીને મળતા આવતા તથા બહુધા કચ્છ રાજ્યના ચિહ્ન ત્રિશૂળથી અંકિત હતા. ખેંગારજી ત્રીજાના ત્રણ દોકડાના સિક્કા ઉપર સર્વ રાજયચિહ્નો સાથે “મહારાઉશ્રી ખેંગારજી કચ્છ” એમ લખવામાં આવતું હતું. દોઢ દોકડાના સિક્કા ઉપર “મહારાઓશ્રી ખેંગારજી' લખાતું તથા તેનું વજન ૧૩/૧૬ તોલા હતું અને વ્યાસ ૧૯૨૦ ઇંચનો હતો. * દોકડાનો પ્રકાર પણ આ જ રીતનો હતો. તેનું વન લગભગ અર્ધા તોલાથી સહેજ વધારે રહેતું. ત્રાંબિયાના સિક્કા ઉપર “મિરજા મહારાઉશ્રી ખેંગાર' લખાતું હતું અને વજન અર્ધા તોલા જેટલું હતું. વિરલ અને વિશિષ્ટ સિક્કા : ખેંગારજી ત્રીજાના એડવર્ડ આઠમાના નામવાળા સિક્કા વિરલ અને વિશિષ્ટ ગણાય છે. વિશિષ્ટ એટલા માટે ગણાવે છે કે ખુદ ઇંગ્લેન્ડ પણ એ નામના સિક્કા બહાર પાડી શક્યું ન હતું ત્યારે કચ્છ રાજયે તે સિક્કા બહાર પાડ્યા હતા ! ઈ.સ. ૧૯૩૬ની શરૂઆતમાં એડવર્ડ આઠમા ઇંગ્લેન્ડની ગાદીએ આવ્યા અને ત્યાંની ટંકશાળે એમના સિક્કાઓની કોઈ તૈયાર કરી હતી, પરંતુ તે જ વર્ષના અંતમાં તેમને ગાદીત્યાગ કરવો પડ્યો હતો, આથી ગ્રેટબ્રિટનમાં એમના નામના સિક્કા બહાર પડી શક્યા ન હતા. આખી બ્રિટિશ સલ્તનલમાં ભારતવર્ષમાં માત્ર કચ્છ અને જોધપુર રાજ્ય તરફથી તથા અન્યત્ર બ્રિટિશ ઇસ્ટ આફ્રિકા, બ્રિટિશ વેસ્ટ આફ્રિકા ને ન્યૂગિયાના એટલે સ્થળે એડવર્ડ આઠમાના સિક્કા બહાર પડ્યા હોવાનું જણાય છે. ખેંગારજી ત્રીજાના નામના કચ્છના એડવર્ડ આઠમાના નામવાળા સિક્કાઓમાં ત્રણ દોકડાનો ત્રાંબાનો, ચાંદીની એક કોરીનો, ચાંદીની અઢી કોરીનો અને ચાંદીની પાંચ કોરીનો એમ ચાર જાત છપાઈ છે. આ સિક્કાઓની વિદેશમાં વિરલ સિક્કાઓ તરીકે આજે પણ સારી એવી માંગ છે. (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy