SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ માંનો રાજા ચાષ્ટનનો પુત્રપ્રપૌત્ર દામસેન હોય ને પંક્તિ ૩ માં દામસેનના પુત્રપ્રપૌત્ર ભર્તુદામાનું નામ હોય એ વધુ સંભવિત છે. ને તો લેખમાંનું વર્ષ શક) ૨૦૩ (ઈ.સ. ૨૮૧-૮૨) હોઈ શકે. આમ કચ્છમાં ઓછામાં ઓછાં બસો વર્ષ સુધી પશ્ચિમી ક્ષત્રપોનું શાસન પ્રવર્તતું એવું આ યષ્ટિલેખો (ઈ.સ. ૮૪ થી ૨૮૧) પરથી જાણવા મળે છે. શક સંવત અને ક્ષત્રપો અંધૌમાંથી ઉપલબ્ધ ચાષ્ટનના શિક) વર્ષ ૧૧ અને દૌલતપુરના શિક વર્ષ ના અભિલેખોની શોધ પહેલાં એમ મનાતું હતું કે કુષાણ રાજા કણિચ્છે અને એના અનુગામીઓએ પ્રયોજેલ સંવત શક સંવત હતો અને એનો સ્થાપક કણિષ્ક હતો; લહરાત ક્ષત્રપ રાજા નહપાનના અભિલેખોમાંના વર્ષ ૪૧ થી ૪૬ અને કાર્દમક ક્ષત્રપ રાજા ચાણન અને એના અનુગામીઓના અભિલેખોમાંના વર્ષ પર થી ૩૨૦ પણ શક સંવતનાં મનાતાં. નહપાન ચાષ્ટનનો પુરોગામી હતો. પૂર્વકાલીન પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ કુષાણ રાજા કણિષ્ક ૧ લાના સૂબા હતા. જો કે કેટલાક વિદ્વાનો ત્યારે એમ માનતા કે કણિક્ક ૧ લા અને એના અનુગામીઓએ પ્રયોજેલ સંવત શક સંવત નથી અને કહિષ્ક ૧લો પ્રાય: ઈ.સ.૧૨૦ કે તેથી પણ થોડો મોડો થયો હોય. સિક્કાશાસ્ત્રની વિગતો પરથી ભૂમક અને નહપાન ચાષ્ટનના પુરોગામી હોવાનું નિશ્ચિત છે. ચારુનનું રાજ્ય શિક વર્ષ ૬ માં પ્રવર્તમાન હોવાનું એના દૌલતપુર અભિલેખ પરથી જણાતાં એના પુરોગામી નહપાને પ્રયોજેલાં વર્ષ શક સંવતના હોઈ શકે નહીં. ઈ.સ. ૩૦ ના અરસામાં શરૂ થયેલા કોઈ સંવતનાં હોઈ શકે, પણ એવો કોઈ સંવત જાણવામાં આવ્યો નથી. આથી આ વર્ષ નહપાનના રાજ્યકાળનાં હોવાનું વધુ સંભવિત લાગે છે. ૧૯૭૦ સુધી પ્રાયઃ એમ મનાતું હતું કે શક સંવત કુષાણ રાજાઓએ શરૂ કર્યો અને શક જાતિના પશ્ચિમી ક્ષત્રપોએ ઘણા લાંબા સમય સુધી પ્રયોજયો હોવાથી એ આગળ જતાં શક સંવત તરીકે ઓળખાયો. પરંતુ ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં કુષાણ રાજાઓના ઉલ્લેખ મળતા નથી. એમણે એમના નામના જ સિક્કા પડાવ્યા. ચાષ્ટનના વર્ષ ૬ અને ૧૧ ના અભિલેખોની શોધ પરથી માલૂમ પડે છે કે રાજા ચાષ્ટને કહિષ્કનો નવો પ્રવર્તાવેલો સંવત એના પશ્ચિમ ભારતના રાજયમાં એ સંવતના વર્ષ ૬-૧૧ જેટલો વહેલો પ્રયોજયો હોય એ ભાગ્યે જ સંભવે છે. રાજા ચાષ્ટને સાતવાહનો પાસેથી લહરાત ક્ષત્રપોએ ગુમાવેલા ઘણા પ્રદેશો પાછા મેળવ્યા એ એની એક મોટી સિદ્ધિ હતી. એની આ સિદ્ધિની સ્મૃતિમાં આ સંવત શરૂ કર્યો હોવાનું જણાય છે. તો એનું રાજ્ય શક વર્ષ ૧ = ઈ.સ. ૭૮ માં શરૂ થયું ગણાય, ને કહિષ્કના સમયમાં ઉત્તર ભારતમાં શરૂ થયેલો સંવત શક સંવતથી ભિન્ન અને પ્રાયઃ શક સંવત પછી પચાસેક વર્ષ બાદ શરૂ થયો હતો. પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના હોવાનું જાણવા મળ્યું છે, તે પરથી ‘શક સંવત’ નામ સાર્થક કરે છે. આમ ચાષ્ટનના શક વર્ષ ૬ અને ૧૧ ના કચ્છમાંથી ઉપલબ્ધ અભિલેખો ચાન્ટન અને નહપાન વચ્ચેના કાલક્રમાન્ડય પર, નહપાનના સમયના લેખોનાં વર્ષ શક સંવતનાં ન હોવા પર અને શક સંવતની ઉત્પત્તિ પર નવો પ્રકાશ પાડે છે. આ અદ્યપર્યત ભારતીય જ્યોતિષમાં તથા સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય પંચાંગમાં જે શક સંવત પ્રયોજાય છે એનો સ્થાપક આ પ્રદેશમાં ઈ.સ.ની ૧લી-રજી સદીમાં રાજ્ય કરતો કાર્દમક ક્ષત્રપ રાજા ચાન્ટન હતો એ આપણે માટે એક ગૌરવની વાત છે. કચ્છના આભીરો ચાખનના સમયના દૌલતપુર લેખમાં, રુદ્રસિંહ ૧લાના સમયના શિક વર્ષ ૨૦૩ ના ગુંદા પિથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૨) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy