SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છના અભિલેખો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં (ઈ.સ. ૧૩૦૪ સુધી) | ડૉ. ભારતી શેલત કચ્છના ઇતિહાસનો પ્રારંભ ગુજરાતનો સળંગ ઈતિહાસ લગભગ ઈ.સ. પૂર્વે ત્રીજા શતકથી મળે છે, ત્યારથી એક યા બીજી રીતે કચ્છનો તેમાં સમાવેશ થતો આવ્યો છે. મગધના ચંદ્રગુપ્ત મૌર્યની સામ્રાજ્ય સત્તા નીચે સૌરાષ્ટ્ર હતું એટલે તેની ઉપરનો કચ્છનો પ્રદેશ તેમાં આવી જતો. યવન રાજાઓ યુક્રેટિડિઝ, મિનેન્ડર અને એપોલોડૉટસના સિક્કાઓ સૌરાષ્ટ્રમાંથી મળ્યા છે. સૌરાષ્ટ્ર સાથે કચ્છ તેઓને તાબે હોવાનું મનાય છે.' પશ્ચિમી ક્ષત્રપો અને કચ્છ ચાટનના વંશના કાર્દમક ક્ષત્રપોની સત્તા હેઠળ તો કચ્છ હતું જ. આ ક્ષત્રપોના શિલાલેખો તેમ જ કચ્છનાં વિવિધ પુરાતન ખંડેરોમાંથી ઉપલબ્ધ ક્ષત્રપ સિક્કાઓ આ અંગેનો ઐતિહાસિક પુરાવો પૂરો પાડે છે. ટૉલેમીની ભૂગોળ (રચના સંભવતઃ ઈ.સ. ૧૪૦) અનુસાર એ સમયે ઉજનની ગાદી પર ચાલ્ટન રાજય કરતો હતો. એના શાસનનો નિર્દેશ કરતા યરિલેખર કચ્છમાંથી મળ્યા હોઈ એનું રાજય પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલું હતું. રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખમાં નિર્દિષ્ટ એની સત્તા નીચેના પ્રદેશ જે ક્ષહરાત ક્ષત્રપોના તાબે હતા તે સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ કબજે કરેલા. ક્ષહરાતોએ ગુમાવેલા આ પ્રદેશોમાંથી ઘણા જીતી લઈ કાર્દમક ચાઇને પોતાનું રાજય સ્થાપ્યું. એમાં પહેલેથી કચ્છનો સમાવેશ થતો. ચાણન અને એના વંશના રાજાઓના મોટા ભાગના અભિલેખો કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ઉપલબ્ધ થયા છે, એકલા કચ્છમાંથી જ આ રાજાઓના દશ જેટલા અભિલેખો પ્રાપ્ત થયા છે. એ ઉપરાંત તાજેતરમાં કચ્છમાં ભુજ તાલુકાના કનૈયાબે અને અંજાર તાલુકાનાં કોટડા ચાંદરણી સ્થળોએથી ક્ષત્રપકાલીન બે શિલાલેખ મળ્યા છે, પણ તેના લેખોનો પાઠ કે લખાણનો સાર હજી પ્રકાશમાં આવ્યો નથી દૌલતપુર(તા. ભુજ)ના ચાન્ટનના શક વર્ષ દ(ઈ.સ. ૮૪-૮૫)ના અભિલેખમાં ચાષ્ટનના રાજયમાં જૈત્રકના પૌત્ર અને વરાહદેવના પુત્ર આભીર (રેગરેશ્વરદેવે) વસુ ગોત્રના વસુદોતકના પુત્ર પ્રતિસ્વામીની યાદગીરીમાં કુટુંબના શ્રેય અર્થે યષ્ટિ કરાવ્યાનો ઉલ્લેખ છે. એકલા અંધી(તા. ભૂજ)માંથી ક્ષત્રપાલના સાત જેટલા યષ્ઠિલેખ મળ્યા છે, જે આ સ્થળનું મહત્ત્વ દર્શાવે છે. તેમાંના શિક વર્ષ ૧૧(ઈ.સ. ૮૯-૯૦)ના યષ્ટિલેખમાં રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના સમયમાં લષી અને માધુકાનના પુત્રે યષ્ટિ બનાવ્યાનો ઉલ્લેખ છે. આ બે યષ્ટિલેખો પરથી માલૂમ પડે છે કે કચ્છમાં ચાષ્ટનનું રાજ્ય શક સંવતના લગભગ આરંભ કાલથી હતું. આ બંને અભિલેખો ચાષ્ટનના એકલાના શાસનનો ઉલ્લેખ કરે છે. અંધૌના શક વર્ષ પર (ઈ.સ. ૧૩૧)ના ચાર વરિલેખો રાજા ચાન્ટન અને એના પૌત્ર રાજા રુદ્રદામાના સમયના છે. ચારેય યઝિલેખોમાં ભ્રામોતિકના પુત્ર રાજા ચાષ્ટનના અને જયદામાના પુત્ર રાજા રુદ્રદામાના રાજયના શિક) વર્ષ પર ની ફાગણ વદ ૨ ને દિવસે (પ્રાયઃ ઈ.સ. ૧૩૧ના ફેબ્રુઆરીની રજી તારીખ) ઔપશતિક ગૌત્રના સીહિતપુત્ર મદને જ્યેષ્ઠ વીરાની યાદગીરીમાં, ભાઈ ઋષભદેવની યાદગીરીમાં, પતી શ્રામણેરી યશોદત્તાની યાદગીરીમાં અને શ્રામણેર 2ષ્ટદત્તે પુત્ર ઋષભદેવની યાદગીરીમાં યષ્ટિ કરાવ્યાની નોંધ છે. ( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૦) For Private and Personal Use Only
SR No.535445
Book TitlePathik 1998 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy