________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉગ્ર ટીકા કરી, પિતાના રાજ્યની જુલ્મશાહી સૌરાષ્ટ્રનાં અખબારોમાં પ્રસિદ્ધ થાય એ દીવાન ભીમ00ભાઈ કેવી રીતે સાંખી લે? આથી એમણે પોતાના રાજ્યની ટીકા કરવા બદલ સૌરાષ્ટ્ર મિત્ર' નામના અખબાર પર પ્રતિબંધ મૂક્યો. આ અખબાર પર વઢવાણ રાજ્યમાં થયેલા મનાઈ-હુકમની જાણ થતાં પ્રજાએ એને સખત વિરોધ કર્યો. આ વિરોધને વાચા આપવાના હેતુથી ૫ ઑકટોબર, ૧૯૨૯ ના રોજ વઢવાણમાં એક જાહેર સભા ભરવાનું પ્રજાસેવકે એ નક્કી કર્યું.
આ જાહેર સભાની જાહેરાત શ્રી. ચિમનભાઈ વૈષ્ણવનો સહીવાળી એક પત્રિકાથી કરવામાં આવી, જેમાં રાજ્યના મનાઈ હુકમને કડક શબ્દોમાં વખેડી કાઢવામાં આવ્યું હતું. ૫ ઓકટોબર, ૧૯૨૯ના રોજ રાત્રે આઠ વાગ્યે આ જાહેર સભા મળી, જાહેર સભામાં લગભગ બે-ત્રણ હજાર માણસે હાજર હતા. સભાનું પ્રમુખ થાન શ્રી. ફૂલચંદભાઈ શાહે લીધું. સભાના પ્રારંભે ત્રી. ચિમનભાઈ ત્રણ પિતાનું જલદ વ્યાખ્યાન આરંવ્યું. શ્રી. ચિમનભાઈનું કાખ્યાન ચાલુ હતું ત્યારે જ મારે, મારે, વી, વો ”ના પિકા સાથે દસ પંદર પોલીસ સભામાં બેઠેલા નિર્દોષ નાગરિકો પર તૂટી પડયા અને પ્રજા તથા સેવકે પર અમાનુષીષ લાઠીચાર્જ શરૂ કર્યો. એક પોલીસે શ્રી. ફલચંદભાઈની ગળચી પકી એમની સાથે અસભ્ય વર્તન દાખવ્યું. સભાને વિખેરવા લાઠીચાર્જ સાથે પિલીએ રૌનિકની ધરપકડ પણ કરવા ગાંડી. થોડી જ વારમાં મૅજિસ્ટ્રેટ શ્રી ગિરધરલાલ તથા એલીસ સુપરિટેન્ડર દાનસંગજી ઘટના સ્થળે આવી પહોંચ્યા. એમના આગમન પછી પોલીસના જુસ્સો વધ્યો. એમણે સભાના વક્તા શ્રી. ચિમનભાઈ વણવ પર કઈ રીતે લાઠીચાર્જ, શરૂ કર્યો. માર મારી એમની પણ પોલીસ ચોકીમાં ધરપકડ કરી. આ દશ્ય નિરાંતે માણતા મંજિસ્ટ્રેટ શ્રી. ગિરધરલાલ દવેએ પોલીસને ટપારતાં કહ્યું?
મેં તમને ગિરફતાર કરવાને હુકમ આપ્યો નથી, જેથી પોલીસ ચોકીનાં બારણું ખોલી નાખે અને એ માણસને છોડી મકો.૮
આ અમાનુષીય બનાવની જાણ મી. મણિલાલ વલમભાઈ કોઠારીને થતાં એઓ વઢવાણ ડી આવ્યા. આ બનાવના વિરોધમાં ૭ ઓકટોબરના રોજ શ્રી. મણિલાલ કોઠારીની અધ્યક્ષતામાં એક વિશાળ જાહેર સભા વઢવાણમાં મળી, આ જાહેર સભામાં મણિલાલ કોઠારીએ સતત અઢી કલાક આગ ઝરતી વાણીમાં વઢવાણ રાજ્યતંત્રનું નગ્ન સ્વરૂપ પ્રજા સમક્ષ રજૂ કર્યું. રાજયના અમાનવીય વર્તનના વિરોધમાં વઢવાણના યુવકે પણ એકત્રિત થયા અને એમણે રાજયના અમાનુષીય પગલાની સામે લડત આપવા યુવક સંઘની સ્થાપના કરી. યુવકોની એ બેઠકમાં સંયુક્ત રીતે ઠરાવવામાં આવ્યું કે - પ્રજાના પ્રાથમિક હક્ક ઉપર તરાપ મારનાર, વર્તમાનપત્રની બંધી સામેના રાજ્યના હુકમનો વિરોધ દર્શાવવા મળેલ પ્રજાજની સભા પર પિલીએ જે ગેરવર્તણૂક કરી છે તે સામે આપખુદ પગલા તરફ વઢવાણુના, યુવકે રે.ષ વ્યક્ત કરે છે. •
આમ સમગ્ર વઢવાણમાં રાજ્ય સામે ઉગ્ર વિરોધ ભભૂકી ઊઠયો હતે. વળી, શ્રી મણિલાલ કોઠારીએ આ બનાવની રજૂઆત ઠાકરસાહેબ સમક્ષ કરી પરિણામે પ્રજાના શેયને હાલ તુરત મંદ કરવાના હેતુથી ઠાકોર સાહેબે પોતાની સહીથી ઑર્ડર નંબર ૩૪ દ્વારા હુકમ કર્યો કે
કે કટોબરના કિસ્સા સબંધે તપાસ કરવા માટે શ્રી મણિલાલ કોઠારી, શ્રી. નૂરભાઈ મુલાં અને શ્રી. હસનઅલી ડેડાણવાળાની સમિતિ નીમવામાં આવે છે.
આ જ અરસામાં “કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહક સમિતિની બેઠક વઢવાણમાં થઈ, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ હાજરી આપવા વઢવાણ આવ્યા. એ નિમિત્તે સરદાર પટેલના અધ્યક્ષ
વઢવાણમાં એક જાહેર સભા મળી. આ જાહેર સભામાં વઢવાણુના બનાવને ઉલેખ કરતાં સરદાર
પથિક
For Private and Personal Use Only