________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક મહેતા જગજીવન વી. મહાદેવને કછી પત્રકારત્વના પિતામહ ગણી શકાય. આ જ અરમ્રામાં કચછ બહારથી સફળ પત્રકારત્વ ખેડનાર કરછના શ્રી દેવજી ભીમજીને પણ ખાસ ઉલેખ કર ઘટે. સને ૧૮૬૫ માં કેરાલામાં શ્રી દેવજી ભીમજીએ કેરળ મિયમ પ્રેસ' સ્થાપ્યું. ૧૮૮૧ માં આ કછી તારક માંnયાળમમાં પ્રથમ પત્ર કેરળ મિયમ્' સાપ્તાહિક કાઢવું. બીજું પન્ન “મળયાળખ મનમા” છાપ્યું. મરાઠીમાં કેરલ કેકિલ કાઢયું, અંગ્રેજીમાં વેસ્ટર્ન સ્ટાર' શરૂ કર્યું. કેટલાંક પુસ્તક અને ધાર્મિક
થે પ્રગટ કર્યા. એમનું પત્રકારત્વનું કામ સ્વતંત્ર નિર્ભીક અને પક્ષપાતહત હતું. બીજી તરફ સન ૧૮૯૨ માં મુંબઈથી શ્રી દયારામ દેપારાએ સ્ટાન્ડર્ડ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવી “ક૭ સમાચાર' પ્રગટ કરેલું. એ ઉપરાંત એમણે “કચ્છી કાકે” તથા “કચ્છી ઢેલ' નામનાં લઘુત્રો પણ બહાર પાડવા હતાં. “કરછી કાકો' અને 'કર૭ સમાચાર' નીકળીને જે શેરબઝાર મચાવે તે કચ્છના પત્રકારત્વનું નેધપાત્ર ગૌરવ છે. કચ્છના ભ્રષ્ટ તંત્ર સામે વિરોધ તેમ કન્ટેસના અભિયાનમાં જોડાવાનો અવાજ આ પત્રોએ ઉપાડી લીધું હતું.
કચ્છ બહાર પ્રિન્ટિંગ પ્રેસનું આગમન થતાં પુસ્તકો અને અખબારે પ્રગટ થવા માંડ્યાં હતાં. કરછમાં પણ આવું વાતાવરણ ઊભું થતાં આ વાત કચ્છમાં પણ આવી પહોંચી. વચે તે ગવાય અને ભણે તે વાંચે આ લા ગણી કચ્છમાં વધતી ગઈ. આના પરિણામસ્વરૂપ ભૂજ નગરમાં સૌ-પ્રથમ દરબારી છાપખાનું નખાયું. કચછનું સૌ-પ્રથમ વૃત્ત – “કચ્છ દરબારી જાહેરખબર’ સન ૧૮૩ થી શરૂ થયું, કરછ રાજય-સંચાલિત આ પત્ર દરબારી ફિ અને કચેરીઓને પહોંચતું કરવામાં આવતું. સિવાય કોઈ વકીલ વગેરેને અને ખાનગી આસામીઓને આ પખવાડિક લેવાની ઈચ્છા હોય તેણે રેવન્યુ કમિશ્નરના તરફ વર્ષ એકની કરી ૧૨ (બાર) લવાજમ અને ટપાલ ખર્ચ જ ભરવાથી એ મળવાની વ્યવસ્થા ગોઠવાઈ. પછી એ ચાલુ પત્રના તા. ૧૪-૫-૧૮૭૬, પૃ. ૪, અંકે ૨૩ માં પહેરખબર નં. ૧૨૪ છપાઈ તેમાં છાપખાના સાથે નવા આવેલા ટાઈપનું છાપખાનું ચલાવવા શ્રી કાલિદાસ લક્ષ્મીશંકરની નિમણૂક થયાના ખબર અપાયા. એના તા. ર૯-૫-૧૮૭૭ના એક અંકમાં જે કઈ હરકતવાળું લખાણ નહિ હોય તે એની ખાનગી જાહેરખબર છાપવાની જાહેરાત પણ થઈ. એની છપામણી એક ફેરાની ચાર લીટીની કેરી ૧ (એક) અને એ વધારે વખત છપાવે તે બીજી ફેર અડધી કરી એમ દર નક્કી થયું. “કચ્છ દરબારી જાહેરખબર કચ્છના પત્રકારત્વની વિશિષ્ટ અને સૌ-પ્રથમ પ્રકાશિત થનાર પત્રિકા ખરી, પણ એમાં ફક્ત રાજ્યના સત્તાવાર હેવાલને જ સ્થાન અપાતું, મુક્ત પત્રકારત્વને સ્થાન નહેાતુ' ! કચ્છના રાજવી વિરુદ્ધની કોઈ લખાણે પ્રસિદ્ધ થતાં નહિ.
કચ્છ દરકારી જાહેરખબર' નામ બદલાવાઈ આ પત્ર તા. ૧૨-૬-૧૮99 થી “ક રાજ્યપત્ર -Kutch Darbari Gazette નામે પ્રથમ વાર ટાઈપમાં છપાઈ પ્રસિદ્ધ થયું. સન ૧૯૪૮ લગ, આઝાદી આવી ત્યાં સુધી એ એમ ચાલુ રહ્યું. તા. ૧૩-૬-૧૮૭૭ ના અંકમાં મુકી ખાતાની એક જા.ખ. નં. ૬ર૪ આપવામાં આવી, જેમાં દરબારી છાપખાનામાં પુસ્તક છપાવવાની દસ્તૂરી ફીની જાહેરાત આપવામાં આવી એ સમજવા જેવી છે. “ફોરમ એટલે ફૂલસ્કેપ બંને બાજુ છાપેલું તે જાણવું. ગ્રેટ પ્રાઈમર અને પાઈકા અક્ષરથી છાપેલા દરેક ફારમે કંપની કેરી ૨૦, ગુજરાતી ગ્રેટ પ્રાઈમરના કદના બાળથી ટાઈપ કંપની કારી ૨૨, એટલે રૂ. ૬; નાના મેટા હેડીંગ અક્ષરથી છપામણી કરી ૨૦, ટેનનું કામ એટલે રૂલીંગ આવાની કેરી ; કંપસ ફી ઉપરાંત દર સેકડે
ભામણી કેરી ૪, પાંચ સુધી; હજાર સુધી સેકડે કરી ૩ અને હજાર ઉપર કેરી ૨. કાગલ તથા બંધામણું ખરચ છપાવનારને શિર; ચેપનીયું છાપવા ચાલુ પ્રાહક તરીકે શસ્તથી કામ કરી દેવાશે.”
For Private and Personal Use Only