________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ – સંચાલિત
તંત્રી મંડળ :
વર્ષ ૨૯ મું અ'ક ૧૦ મે સં. ૨૦૪૬ સન ૧૯૯૦ જુલાઈ,
MAS
છે. કે. કા. શાસ્ત્રી છે, ના. કે. ભટ્ટી ડે, સૌ. ભારતી બહેન
શેલત [ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક ]
આદ્ય તંત્રી : સ્વ. માનસંગજી બારડ
સૌરાષ્ટ્રની લકુલીશની બે અપ્રગટ પ્રતિમાઓ
(મિયાણી )
(ધૂ મલી ) ગુજરાત રાજ્યના પુરાતત્વખાતાના રજત જયંતી વર્ષની ઉજવણી નિમિતે યોજાયેલ “સૌરાષ્ટપ્રવાસ દરમ્યાન ઉપર્યુક્ત પ્રતિમાઓ જોવાની તક મળી. આ માંની પ્રથમ પ્રતિમા મિયાણી (તા. કલ્યાણપુર, જિ. જામનગર ) ગામના નીલક ઠ મહાદેવના પ્રાચીન મંદિરમાં આવેલી છે, જયારે બીજી પ્રતિમા ઘુમલી(તા. ભાણવડ, જિ. જામનગર ), નવલખા મંદિરની ઊંચી પીઠના ગવાક્ષમાં મૂકેલી છે.'
ભગવાન લકુલીશ શિવને અવતાર મનાય છે અને શિવનો અઠ્ઠાવીસમે અવતાર કાયાવરોહણ (કારવણ, જિ વડોદરા ) નામના સ્થળે થશે એમ વાયુપુરાણમાં જણાવ્યું છે. ઉપરાંત કૂર્મપુરાણ (ખંડ ૧, અ ૫૩, શ્ય. ૧૦), લિંગપુરાણ (અ. ૨૪, શ્યા. ૧૨૪-૩૪), સકંદપુરાણ (ખંડ પ, અ. ૮૨, લા. ૪૮-૬૩), કારણમાહાભ્ય (ગણકારિકા, પરિ. ૪, પૃ. ૩૭) વગેરેમાં ભગવાન લકુલીશ અને પાશુપત સંપ્રદાય વિશેના ઉલેખ જોવા મળે છે.?
For Private and Personal Use Only