SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવાતા પુત્રેથી મહાભારત યુદ્ધ સુધી માં ૯૩ પેઢી સળંગ ગણી છે તે સળંગ ન ગણતાં વચ્ચે વચ્ચે અનેક ઠેકાણે પેઢીનામે તૂટી ગયેલાં સંભવે. પેઢીનામાં સંકલિત કરનારા વહીવંચાઓએ ખાડા ના બતાવતાં પેઢી સળગ કરી નાખી છે. રામાયણમાં આ તૂટભાંગ ચાલુ પેઢીનામામાં પણ જોવા મળે છે. પૂરુ-વંશમાં પણ વચ્ચે ૨૦ થી ૪૩ માં દુષ્યત વચ્ચે રર નામ ખંડિત થયેલા અનુભવાય છે. આમ શ્રી. પાજિઈટરે આપેલી સમયમર્યાદા ગંભીર વિચાર માગી લે છે. અહીં તે એમની શુભનિષ્ઠાવાળો પ્રયત્ન જ બતાવ્યું છે. ઉપરનું છપાઈ ગયા પછી એક સરતચૂક ધ્યાનમાં આવી છે. એ ૯૩ માં ધતરાષ્ટ્રને ગણવાની કહીને, ભારત-વૃદ્ધના સમયને ધ્યાનમાં લેવાને હેઈ (પૃ ૧૮૨) ૯૫ માં અભિમન્યુ સુધી આવવું જોઈએ, એટલે ૩૬ વર્ષ ઉમેરાતાં મનુના ૨ જયક:ધના આરંભનું વર્ષ ૨૨૪+૩=૨૬ ૬૦ ઈ.પૂ.નું થાય. આનાથી કાંઈ ખાસ ફેરફાર પડતું નથી. આપણી સામે ભારે ગૂંચવણ ભરેલ પ્રશ્ન એ છે કે છેક ઋવેદ સંહિતાથી લઈ તસૂત્રને સમય સુધીમાં વંશાવલી બોમાં આવતા અનેક રાજવીએાનાં નામ આવે છે. એટલું ખરું છે કે વૈદિક સંહિતાઓના સમય પછી બ્રાહ્મણ-આરણવકે-પ્રાચીન ઉપનિષદે --શ્રતસૂત્રની રચના થઈ છે. કદાચ શતપથ બ્રાહ્મણ શ્રીસૂનું સમકાલીન હોય, પરંતુ અહીં વેદસંહિતાને કાનમાં લઈ તે પરિવંશને ૫૩ મે અજમોઢ જાવેદ(૪-૪૪-૬)માં જોવા મળે છે, જે ભારતયુદ્ધ પહેલાં ૭૭૪ વર્ષ ઉપર થયેલે પેઢીનામા પ્રમાણે આવે, તે મનુના અસ્તિત્વને સ્વીકાર કરતાં એને ઉંટલ ખ = (૧-૮૦-૧૬)માં થયેલ હોઈ અને ઈફનાકુવંશના આદ્યપુર ઈવા મુને ઉલેખ ઋગ્વદ(૧૦-૬૦-૪)માં થયેલે હાઈ (બેશક, ગેદનાં મડળ ૧ અને ૧૦ પ્રમાણમાં માડાનાં ગણાય છે એટલે ઇ.પૂ. ૨૬૬૦ થી લઈ ઈ.પૂ. ૧૦૨૪ સુધીના ગાળામાં કદને વિકાસ થયે કહેવો પડે.) ભારતયુદ્ધને સમય ઈ. પૂ. ૯૫૦ ગણવામાં આવે તો છાંદોગ્ય ઉપનિષદ(૩-૧—૬)માં કૃષ્ણ દેવકીપુત્રને નિદે થયેલે હે ઈ છે. ઉપ.ને એમના પછી ગણવું પડે. શ્રી. પાર્જટર વિષ્ણુપુરાણ અને ભાગવતમાં મહાપદ્માનંદ અને પરીક્ષિતના રાજ્યાભિષેક સુધીના ગાળા ને ૧૦૫(૧૦૧૫ )ને સમય નોંધીને પણ સ્વીકાર્યો નથી. નવ નંદનાં વર્ષ ૮૦ ગયાં છે, એ હકીકત ૧૦૦ નાંધાયાં છે, એટલે ચંદ્રગુપ્ત મૌર્ય ઇ.પૂ. ૩૨૨ માં ગાદીએ આવેલે સ્વીકારાયેલે હાઈ પરીક્ષિતના જન્મ સુધીને સમય ૧૦૫૦+૩૨૨+૦૦=૧ ૪૭૨ ઈ.પૂ. આવે. આમ એ સમયે અંદાજે ઈ.પૂ. ૧૫૦૦ આસપાસને આવે. છ.૩પ.ને સમય પણ આ આવી શકે, તે મનુને જો કરિયે તાયે ઈવાકુ તથા પુરૂરવા(બંને ૨ અંકના)ને સમય પ્રમાણમાં પાંચસે સાડા પાંચસે વહલે જાય, એટલે કે અંદાજે ઈ.પૂ. ૩૦૦૦ વર્ષ ઉપર બંને વંશધરને સમય આવે. ત્રવદનાં ૧ અને ૧૦ને સમય આ પછીનાં વર્ષમાં ૫૩ મા અજમઢ સુધીના આશરે ઈ.પૂ ૨૨૦૦ સુધીમાં આવે. આની સામે યાકે બો અને તિલક મહારાજ નડે છે. વાકેબી અપેકને સમય ઈ.પૂ. ૪૦૦૦ થી ૬૦૦૦ અને તિલક મહારાજ ૮૦૦૦ થી ૧૦૦૦૦ કહે છે. આ ગાળાને ઉકેલ એક જ રીતે શકય છે કે પેઢીનામામાં ઈવાકવંશને માટે ભાગે નામો તૂટયા વિનાનો કહ્યો છે, યાદવોને પશુ લગભગ એ રીતે જ, એ બધાં નામ વચ્ચે રાજવીઓનાં નામટી ગયાં છે. સૂતાએ (વહીવંચાઓ) પરંપરાથી જે નામ મળ્યાં તેને, વચ્ચેના ખાંચા બતાવ્યા વિના સળગ જ, નામાવલીઓ આપી. આમ વસાવલીઓ તૂટક છે એમ કહેવામાં કાંઈ પણ અયુક્ત નથી લાગતું. પથિક એપ્રિલ/૧૦ For Private and Personal Use Only
SR No.535342
Book TitlePathik 1989 Vol 29 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy