SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં સમાયેલાં વિદેશી તત્ત્વ છે. હરિપ્રસાદ શાસ્ત્રી જ્યારે કોઈ બે ભિન સંસ્કૃતિ પરસપર સંપર્ક માં આવે છે ત્યારે એ બંનેમાં પરસ્પરની વત્તીઓછી અસર થયા વિના રહેતી નથી. ભારતવર્ષના કેટલાક લેક વેપાર વસવાટ ધર્મ પ્રસાર વગેરે માટે પડોશી દેશમાં જઈ વસ્યા ત્યારે એઓનાં ધર્મ, ભાષા, સામાજિક રાજકીય પરંપરાઓ ઈત્યાદિની વતીઓછી અસર તે તે દેશની સ્થાનિક પ્રજા ઉપર થઈ. શ્રીલંકા બ થાઈપ્રદેશ ચીન વગેરે દેશોમાં પ્રવર્તતે બૌદ્ધ ધર્મ આનું સચોટ દષ્ટાંત છે. શ્રીલંકા તથા ઈન્ડોનેશિયાની ભાષાઓમાં ભારતીય ભાષાએની વિપુલ અસર પ્રવર્તે છે. વિદેશમાં વસેલા ભારતીય ઉપર તે તે દેશની સંસ્કૃતિની પણ અમુક અસર થતી હતી ને થાય છે. એવી રીતે વિજય વસવાટ વેપાર વગેરે કારણેએ ભારતવર્ષમાં આવી વસેલી વિદેશી પ્રજાઓએ એક બાજુ ભારતીય સંસ્કૃતિ ઘણે અંશે આત્મસાત કરી લીધી ને બીજી બાજએ પ્રજાઓની કેટલોક સિદ્ધિઓની અસર ભારતીય પ્રજાએ પણ અપનાવી હતી. ભારતવર્ષમાં ઈરાનના હખામની વંશના રાજાઓએ કેટલાક પ્રદેશ પર પોતાની સત્તા જમાવી ત્યારે એઓના સામ્રાજ્યમાં પ્રયોજાયેલી આરામી–લિપિ પરથી ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષમાં ખરોષ્ઠી નામે અવનની લિપિ પ્રજાઈ. આ લિપિ પછીના વિદેશી શાસકોએ ઘેડી સદીઓ સુધી ચાલુ રાખી, પરંતુ ઈસ્વી બીજી સદી પછી એ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. રાજદરબાર રાજશાસને મહેલાતો સ્તંભે વગેરેમાં પણ ઈરાનની કેટલીક અસર વરતાય છે. આગળ જતાં ઈરાનના મગ લેક મારફતે ઉત્તર ભારતવર્ષમાં સૂર્યની દરાની વેશભૂષા ધરાવતી પ્રતિમાને પૂજવાનું પ્રચલિત થયું. સૂર્યનાં વિવિધ સ્વરૂપમાં “મિત્રને સમાવેશ થતે, હવે “મિહિરને પણ સમાવેશ થા. મહાન સિકંદરે ઉત્તર-પશ્ચિમ ભાર વર્ષ સુધી વિજય વિરતાર્યો, પરંતુ એ અપછી નીવડ્યો ને ભારતીય સાહિત્યમાં એની ભાગ્યેજ કંઈ નેધ લેવાઈ. સિકંદરની ચડાઈની સીધી અસર હિવત લેખાય, છતાં એની પરોક્ષ અસર નેધપાત્ર છે. આ ચડાઈએ ભારતવર્ષ અને યુરોપ વચ્ચેનો માર્ગ મોકળો કે, ભારતવર્ષને પશ્ચિમી સેનાને અને એની યુદ્ધ પદ્ધતિનો પરિચય કરા બે ને અહીંનાં વિભિન્ન રાજ્યોને બેક સામ્રાજય નીચે સંગઠિત કર્યા. પ્રજાવાચક વવન’ શબ્દ અને લિપિવાચક યવનાની’ શબદ સંસ્કૃતમાં પ્રચલિત થયા. ચીન સાથેના વાણિજિયક સંબંધમાંથી સંસ્કૃત સાહિત્યમાં “ચીનાંશુક' શબ્દ પ્રચલિત થયો. સિકંદર પછી સેલ્યુકસ અને એન્ટિક ૩ એ ઉત્તર-પશ્ચિમ ભારતવર્ષ સુત્તર સત્તા જમાવવા નષ્ફળ યત્ન કર્યા, પરંતુ મેટ્રિયાના ગ્રીકોને આ દિશામાં વધુ સફળ ને સાંપડી. ભારતીય સાહિત્યમાં યવનોનાં આક્રમમાં ઉલ્લેખ કરાયા છે. એ ભાર રીય યવન રાજાઓના સિક્કાઓએ ભારતીય કક્કા-પદ્ધતિ ઉપર પિતાની સ્પષ્ટ અસર પ્રવર્તાવી. પછી આવ્યા ઈરાનના પલવ શાસકો. એમાંના કેટલા રાજા ગેનસિક સમયમાં પહેલી દીમાં) ખ્રિસ્તી ધર્મના સેટ ટોમસ ભારતવર્ષમાં આવેલા એવી હિતી અનુશ્રુતિ છે. ભારતીય ભિલેખમાં સળંગ સંવતનાં વર્ષોનું પ્રચલન પહેલવહેલું આ પદ્લવ રાજાના અભિલેખમ જેવા ને છે, આ પરથી કેટલાક એ સંવતને વિક્રમનું આદ્ય સ્વરૂપ ગણાવી એની ઉપર પહલવ રાજાઓ થે સાંકળે છે, પરંતુ એ તર્ક ઘણે શંકાસ્પદ ઠર્યો છે, યવને અને ફૂલોની જેમ શકે પણ ભારતવર્ષમાં આવ્યા ને એના કેટલાક ભાગમાં સત્તારૂઢ છે. એઓ દ્વારા ઈરાની રાજ્યતંત્રને “સત્રપ' શબ્દ “ક્ષત્રપ રૂપાંતર પામી ભારતવર્ષમાં પ્રચલિત થશે. ક્ષત્રપ ચાટનના સમયમાં અહીં શક સંવત શરૂ થયે (ઈ. સ. ૭૮ માં), જે અદ્યપર્વત ચાલુ છે. થિક-દીપેસવાંક] ૧૯૮૯)એકટ–નવે. For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy