SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ડિસેમ્બર ૮૫ ૧૩ મૂર્તિઓમાં આગળ વધી દેખાય છે. કરી અને કાલનાં ગુફા મંદિરમાં સાતવાહનકાલ છે. અમરાવતીમાં સાતવાહનની આ શૈલીમાં શુંગ-સંસકાર જણાય છે. અમરાવતી અને નાગાર્જુન - શિપમાં બુદ્ધના જીવન પ્રસંગને ઉતાર્યા છે, બુદ્ધિજન્મને પ્રસંગને સુંદર રીતે મૂકેલ છે. મારે તન, લુમિનીવનમાં અલકિક રીતે તે બુદ્ધ જળ વગેરેમાં પાત્રને જીવંત હલનચલનમાં મૂ કયાં છે. શિ૯૫ પણ નવજી ને જેટલું જ વિસ્તૃત ક્ષેત્રમાં વિલસવા પ્રયાસ કરે છે. પુરુષ સ્ત્રીઓ પ્રાણી છે. વૃક્ષા માં જીવનને ધબકાર છે. અમરાવતી. કલા આગળ જતાં અગ્નિ-એશયામાં ત્યાંના લાંબાં અંગવાળાં પાત્રોમાં ઊતરી લાગે છે. જયારે ઉત્તરમાં ગાંધાર-મયુરાસલી વિકસી ત્યારે દક્ષિણ બાજુ ભાજપ કાર્લા અને પૂર્વમાં ઓરિસ્સામાં ઉદયગિરિતાં શિપ દેખાય છે, જે ભારદૂત જેટલાં જૂનાં છે. દક્ષિણ-પશ્ચિમે શપકલા જરા આગળ વધેલ છે, ત્યાં દાતા દપતીને ભીંત પર કંડારી મૂક્યાં છે, યજમાનની આખી પ્રતિભા પણ મૂકી છે. રાજવી દંપતીને દેવસ્થાનમાં મૂકવાની પ્રથા અહીથી ચાલી લાગે છે. માટીનાં પૂતળાં કરી ગુફા મંદિરમાં મુકાતાં એ પણ જાણવા માં છે. પશ્ચિમમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં મંદિર બંધાવનાર વ્યક્તિને શિ૯૫માં મૂકેલી ઘણે સ્થળે જોવામાં આવે છે. પ્રાચીન કાલની હુફાઓ તરીકે દક્ષિણ ગુજરાતમાં કડિયા ડુંગરની ગુફાને મથાળે બે શરીર ને એક માથાવાળા સિં કંડાલ પ્રાચીન સિંહસ્તંભ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢની તાપ્યારા તે ઉપરકેટના ગુફામંડ૫, તળાજાની એભલ મંડપ વગેરે ગુફાઓ, ઢાંકની જૈન ગુફાઓ, ખંભાલિડાની ગુફા છે, સાણા ડુંગવ ની ૬૩ ગુફાઓ ને બરડાની પશ્ચિમ તળેટીમાં રાણપુરની ગુફાઓમાં ત્ય-સ્તૂપના અવશેષ છે; માટે ભાગે હીનયાની બૌદ્ધોની આ ગુફાઓ છે. ઈ. સ. ચોથી સદીમાં કુવા નથી, આંધ્રની પડતી થઈ. મથુરા પર નાગવંશ હતા, ગુરુસામ્રાજય સ્થપાયું. ઈ. સ. ૩૩૫ થી ઇ. સ. પ૦૦ને સમય ભારતના યુવયુગ હતો, હિંદુ સભ્યતામાં નવું સત્વ રેડાયું. દરેક ક્ષેત્રે શિવમ્ સુંદરમની શ્રીનાં દર્શન થયાં. વિદેશી આક્રમણે ભુલાયાં. પ્રજાએ ઉત્સાહ-આનંદથી એના વર્તમાન જીવી બતા. સાહિત્યમાં અભિજ્ઞાનશાકુંતલ અને મેઘદૂત, કલામાં સારનાથના બુદ્ધ અને મથુરાના ઊભા બુદ્ધનાં દર્શન થયાં. ઉદગરિની કલામાં ગુપ્તશૈલી કહેવાઈ, પણ એમાં વિદિક મૌર્ય શું ગાંધાર અને મથુરાની કલાના પંચામૃત રસ મળે છે. પાંચમી સદીના ઉત્તરાર્ધમાં દણનાં પ્રચંડ થી ગુપ્ત સામ્રાજ્ય તૂટ્યું, પણ એ યુગને કલાસ્રોત ચાલુ રહ્યો. ગુપ્તત્તર કલા તરીકે શિ૯૫માં નવી રૌલીએ ફણગે કાઢો. બુદ્ધને પૂર્ણ માનવનું એની આધ્યાત્મિકતા સાથેનું રૂપ અપાયું. દિવ્ય શરીર ઉપર પ્રકાશની આભા મૂર્તિમાં આવી. સારનાથના બુદ્ધની તાજાં ખીલેલાં કમળ જેવી, પૂર્ણમાનવ છતાં પાર્થિવતા વિનાની આ પ્રતિમા એની અર્ધખૂલેલી આંખેથી સંદેશ આપે છે કે માનવ–આંખથી પણ સોંદર્ય જોઈ નહિ શકાય. એ ને જાણે હમણ ખૂલશે એમ લાગે છે. પ્રેમસભર પૂર્ણજ્ઞાનમય એ ચહેરો એને દિવ્ય રિમથી પ્રશાંત પવિત્રતાનાં દર્શન કરાવે છે. ભેલા બુદ્ધ પણ સારનાથના બુદ્ધ જેવા છે, પણ એ વધારે ધ્યાન છે. ઊમાં રહેવામાં વિવેક દદડા અને બાળ-ફૂલભ નિર્દોષ ભાવ છે; શરીર પર જતે દ્રિયતાને એપ છે. આ કલાએ મંદિરની સેવ્ય પ્રતિમા ઓ તેમ જ શોભનમૂર્તિઓ અને પૌરાણિક પ્રસંગેનાં પાત્રોનું ભીંત પર વિપુલ શિલ્પ આપ્યું છે. મંડોરને પાંચમી દીને વન-સ્તંભ, બેસનગર ગંગાદેવી-પેનલમાં શેષશાયી વિષ્ણુ અને નરસિંહ કાર્તિકેપ, વાલિયરના સુર્ય ને પરશુરામ, મરપુર ખસના બ્રા, સાંચીના બેખ્રિસવ જેવાં શિ૯૫ સુખી સદ્ધ પ્રજાને આશીર્વાદ આપતાં હોય એમ લાગે છે. ખેડબ્રહ્મામાંથી મળેલું ૫ ફૂટ ઊંચું મુખલિગ, For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy