________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ- સંચાલિત
વર્ષ : ૨૫.
ડિસેમ્બર : ૧૯૮૫ |
તંત્રી : પ્રો. કે. કા. શાસ્ત્રી
છુટ કે એક રૂ. : ૩-૦ ૦
આદ્ય તંત્રી : સ્વ, માનસંગજી બારડ
રજતજયંતી -દિવાળી અંક- પતિ
મલિ
એ સા રા સ મારભ
તા. ૩૧-૧૦-૮૫ અને તા. ૧-૧૧-૮૫ ના દિવસોમાં “સૌરાષ્ટ્ર-કચ્છ ઈતિહાસ પરિષદ’ નું ૬૭ હું અધિવેશન જામનગરમાં અને તા. ૧૬, ૧૭-૧૧-૮૫ ના દિવસોમાં ગુજરાત ઇતિહાસ પરિષદ ’નું ૮ મું જ્ઞાનસત્ર વિસનગરમાં થઈ ગયાં. બંનેના અધિકૃત અહેવાલ “ પથિક' માટે આવી ગયા છે, પણ સ્થળ, સંકોચના કારણે આ અંકમાં લઈ શકાયા નથી, જે જાન્યુઆરી, ૧૯૮૬' ના આવતા અંકમાં આવી જશે. અન્યત્ર રોકાણોને લીધે અમે જામનગરનો લાભ ગુમાવ્યો છે, પણ વિસનગરને લેઈ શકાયા હતા. ., ડે. મુગટલાલ બાવીસીએ બંને સમારંભના મેકલેલા અહેવાલ પરથી અને અમારી વિસનગરના સમાર ભની હાજરીથી હવે આત્મવિશ્વાસ સારી રીતે દઢ થયો છે કે આરૂઢ સંશોધક વિદ્વાનોની તો સજજતા હોય જ, ઉપરાંત નવેદિતા અને કેટલાંક વર્ષોથી કામ કર્યું જતા જુવાન સ શોધકોનાં પ્રદાનેન સ્તર પણ ધ્યાન ખેંચનારો બન્યું છે. ઈતિહાસલેખનમાં ' નામૂલં લિખ્યતે કિંચિત્ ” એ પ્રાણ ૩૫ સિદ્ધાંત છે, જેને વાંચવામાં આવેલા નિબંધોમાં સમૃચિત રીતે દર્શનાનુભવ થાય છે, આ ઇતિહાસ સ ધતની દિશામાં આવકારદાયક પ્રસ્થાન છે. આવા પ્રદાનનું અન્યાન્ય સામયિકોમાં પ્રકાશન થાય એ જરૂરી છે. પથિક” પેતાની શક્તિ પ્રમાણે નાના નિબંધોને સમાવેશ કરવા સદા ઉત્સુક છે.
સ્વજનોને ભાવભરી વિનંતિ સ્વ માનસ ગજીની સમયથી સંખ્યાબ ધ સ્વજનોને “ પથિક ' ભેટ જતું રહ્યું છે “ પથિક 'ને હવાલે સંભાળ્યો ત્યારથી પણ મોટા ભાગના એમના એ સ્વજનને “પથિક ' ભેટ મોકલાયે જાય છે જે વિદ્વાને અને લેખકે “ પથિક'માં લેખે કે રચનાઓ મોકલે છે અને જે સામયિકે બદલામાં પોતાનાં સામયિક મોકલે છે. તેઓને પણ ભેટ જાય છે. તા ૨-૩-૧૯૮૫ થી ‘. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ” અસ્તિત્વમાં આવી ગયું છે તેથી લેખ આપનારા વિદ્વાનો અને નવોદિત લેખકેને તો તે તે એક ભેટ જશે જ, પરંતુ સ્વજને ને અમારી ખાસ વિનતિ છે કે અમારા સંબંધને નહિ, સ્વ માનસંગજીના નિષ્ઠાપૂર્વકના સ બ ધને ધ્યાનમાં લઈ રૂા. ૩૦ ૧/- થી આ જીવન સહાયક બનો. એમના ટ્રસ્ટને કાર્યક્ષમ બનાવી “પથિક ’નું પ્રકાશન સતત ચાલુ રાખવા આ એક મહત્ત્વનો ઉપાય છે. આ રકમ અનામત જ રહે છે અને વ્યાજ વપરાય છે. ટ્રસ્ટ થઈ ચુ કર્યું હોઈ અંગત સંબ ધે આડે નહિ આવી શકે એ જ વિન તિ.
| --- તંત્રી
For Private and Personal Use Only