SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર ૮૧ માત્ર પ્રત્યયો આવે છે, પૂર્વ નહિ ! (એ ત્રણ સંજ્ઞાને આશ્રય ન લઈએ તે પણ) રશિયન વિદ્વાનોની માન્યતા ખોટી જ કરે છે. કારણકે, ભારપીય કુળની ભાષાઓમાં પણ જાનિ અને વિભક્તિ દર્શક શબ્દ, પ્રત્યયરૂપે, શબ્દોને અંતે આવે છે અને નહિ કે પૂર્વગ રૂપે શબ્દોની શરૂઆતે. જેમકે રામનું” અને નહિ કે “નું રામ' (of Rama) આથી, માત્ર શ્રાવિડીય કુળની ભાષાઓમાં જ પ્રત્યયો હેય એમ માનવું વ્યાજબી નથી. એમ છતાંયે જે જાતિ અને વિભક્તિ માટે પ્રત્યેના અસ્તિત્વને જ વિચારણામાં લેવાનું હોય તે સિધુભાષામાં પણ પ્રત્યયો હાઈ એને ભારોપીય કુળની માની શકાય. (૨૧) શ્રી મહાદેવનની વાચનાનો એક દાખલ શ્રી રાવે ચકાસે છે : “ક” અને “માનવ ની આકૃતિ જેવી બે સંજ્ઞાઓને શ્રી મહાદેવને “આઝ” અને “માનવ “ કે “મૃત્ય” વનિમૂ૯ય આપીને કહ્યું છે કે એ બે સંજ્ઞાઓને “આ% ભૂન્ય” વાંચી શકાય અને એનું સમીકરણ (તેલુગુ ભાષાના) “વેળાળ' શબ્દ સાથે થઈ શકે. “વેળાળ” એટલે વળ (નામની મનુષ્ય જાતિ)ને આળ (સેવક = રાજા). શ્રી રાવ કહે છે કે શ્રી મહાદેવને આ સમીકરણમાં ૨૦૦ વર્ષ પછીના “વેળાળ ને ર૦૦૦ વર્ષ પહેલાના આઝાળ” સાથે સરખા એ કેવું ? (૨૨) સિધુલિપિમાં લખાયેલા ૪૦૦ જેટલા અભિલેખેને વાંચ્યા બાદ સિધુ ભાષાના નિત માટે નીચે મુજબનાં તારણે કાયાં છે – ક. પકવ હરપ્પીય સમયમાં મહાપ્રાણ “હ” ઉપરાંત “હ” માટે એક બીજી સંજ્ઞાનું દેવું અને ઉત્તર હરપ્પીય સમયમાં અનુસ્વરિત “હ નું ચાલુ રહેવું એ વાતને સિદ્ધ કરે છે કે વૈદિક ભાષા કરતાં હરપીય ભાષા જુની છે અને વેદિક ભાષાએ હરપ્પીય ભાષાના અનુસ્વરિત “હ” અને ખ” સ્વનિને મળતા આવતા બીજા “હ” ને પડતા મૂક્યા હતા, ખ. હરપ્પીય અને ઉત્તર હરપ્પીય સમયની લિપિઓમાં “થ સિવાયના મહાપ્રાણ યંજનો માટે જુદી સંજ્ઞાઓ નહોતી. એથી ખ-ધ––––ભ લખવા માટે ક્રમશઃ ક-ગ-ત-દ-૫-બ પાસે હ સંજ્ઞા મૂકીને એ લખાતી હતી. ગ. ઉત્તર હરપ્પીય લિપિમાં -બ-ર––ડ-૮–ણ સંજ્ઞાઓ નહોતી, - પુખ્ત અને ઉત્તર હરીપીય લિપિઓમાં ગ-થ-દ-બે સંજ્ઞાઓ હતી જે તમિળ ભાષામાં નથી. ચ. હિદાઈટની જેમ હરપીય ભાષામાં કેટલાક વ્યંજનેને બેવડાવવામાં આવ્યા છે, છે. વૈદિકની જેમ હરપ્પીય ભાષામાં કેટલાક ધાતુ કશા ફેરફાર વિના, ધાતુ રૂપમાં જ, સંજ્ઞા (નામ)ની જેમ વપરાય છે. તે ક્યારેક એના પછી, સંસ્કૃતની જેમ, પ્રત્યે પણ આવે છે. પ્રત્ય માટે ભાગે વ્યંજને હોય છે. જેમકે “ક” પ્રત્યય: તપ-તાપ + ક = તાપક, આમ તહિત પ્રત્યય લાગતાં પહેલાં વ્યંજનાન્ત ધાતુના અંતિમ વ્યંજનની પહેલાંના સ્વરને ગુણ થાય છે, જ. ૪૦૦માંથી ૨૨૦ જેટલા મુદ્રાભિલેખમાં ગુણવાચક સંજ્ઞાઓ વપરાઈ છે. જેવી કે, ૫, ૫, ૫, પા, પફ, ખ, ત્ર, ઓમ વગેરે. એને સંસ્કૃતમાં રક્ષણ કરે', “ રાજ્ય કરે', “બચાવો', સહાય કરો ' વગેરે અર્થ થાય, એવી રીતે “મહાન” કે “મુખ્ય ના અર્થમાં “ પ્ર', “પર.” પર” “મહા ', “એકા” જેવી ગુણવાચક સંજ્ઞાઓને ઉપયોગ થયો છે. મહદાંશે “\' પ, “પ(અથ રાજ્યસ્ત ', “રક્ષક') આદિ ગુણવાચક સંજ્ઞા નામની પહેલાં અને Pu For Private and Personal Use Only
SR No.535243
Book TitlePathik 1981 Vol 21 Ank 03
Original Sutra AuthorN/A
AuthorMansingji B Barad
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1981
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy