SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir المسلحه ل حالمجالطحالبحار ا سلطان فاقد المحافل ૬. આત્મ ભાવનાને ઉદય અને નિવૃતિ સં. ડોકટરે વલભદાસ નેણસીભાઈ-મોરબી પૂર્વ જન્મમાં કરેલાં અનેક પુણ્યના પરિપાકથી, અનેક મનુષ્યોમાંથી કોઈ એક ભવ્ય પુસ્થાને વર્તમાન જન્મમાં આત્મસ્વરૂપને જાગુવાની ઈચ્છા થાય છે. પૂર્વ જન્મમાં હું કોણ હતો ? ક્યાં હતું કેવી રીતે સ્થિત હતા ? ને મારુ વાસ્તવિક સ્વરૂપ શું શરીર, ચિત વા જીવ હશે ? આ શરીર પંચભૂતોનું કાર્ય હશે ? વા ભૂતને સમૂહ હશે? વા ભૂતથી ભિન્ન હશે ? ભવિષ્યમાં મને ક્યા જન્મની પ્રાપ્તિ થશે ? કયે સ્થળે મારે જન્મ થશે? અને ત્યાં મારી કેવી રીતે સ્થિતિ થશે? એવી રીતના જે પેતાના સંબંધના વિચાર છે. તે આત્મભાવની ભાવના કહેવાય છે.–આ આત્મભાવની ભાવના જ્યાં સુધી વિવેક જ્ઞાનનો ઉદય થતો નથી ત્યાં સુધી જ વિદ્યમાન રહે છે. સદ્ગુરુ આચાર્યના ઉપદેશદ્વાર જ્યારે સમાધિના અનુષ્ઠાનથી આ અધિકારીને અનેક પ્રકારની જે આ સર્વ ભાવનાઓ છે તે સર્વ ચિત્તને જ વિચિત્ર પરિણામ છે, અને હું તે અવિઘાને સંબંધથી રહિત અને ચિત્તતા ધર્મોથી વિમુક્ત હોવાથી શુદ્ધ નિવિકાર છું, એવું વિજ્ઞાન ઉદય થાય ત્યારે યોગાનુકાન આચરનાર તે યોગીની તે આત્મભાવ ભાવના નિવૃત થઈ જાય છે. પિતાના વિષયની સિદ્ધિ થવાથી ઈરછાની નિવૃતિ થવી સ્વાભાવિક છે. વિવેકીની આત્મભાવ ભાવનાની નિવૃત્તિ કહી છે, તેથી અર્થથી એમ પણ બેધન થાય છે કે તેના ચિત્તમાં પહેલાં આત્મભાવ ભાવનાને ઉદય હતો, કેમકે તે ભાવનાના ઉદય વિના અસતતી નિવૃત્તિ થવાને અસંભવ છે. જે પુરુષના ચિત્તમાં આ ભાવના થાય છે તે જ આત્મજ્ઞાનના ઉપદેશને અધિકારી છે. અને તે જ યોગાભ્યાસહારા વિજ્ઞાનને સંપાદન કરી શકે છે તથા વિકજ્ઞાનથી તેની જ આત્મભાવ-ભાવના નિવૃત્ત થાય છે. અને જેમને આ આમભાવ ભાવના નથી તેમને તે આમોપદેશનો અધિકાર નથી તેમ જ તેમને વિજ્ઞાન પણ થતું નથી અને તેમના આમભાવનાની નિવૃત્તિ પણ થતી નથી. જેમ વર્ષા ઋતુમાં તૃણોનાં અંકુરીનો પ્રાદુર્ભાવ જોઈને તે તૃણોનાં બીજેની સત્તાનું અનુમાન કરવામાં આવે છે, તેમ જે પુરુષને વૈરાગ્યબોધક વચનથી મોક્ષમાર્ગના શ્રવણથી માંચ તથા હર્ષપુરસ્સર હદય દ્રવિત થાય, તે પુરૂને વિજ્ઞાનના બીજભૂત તથા અપવર્ગના સાધનરૂપ જે યમ-નિયમદિક કર્મ છે, તે પૂર્વ જન્મમાં અનુષિત છે, એ તેના ચિત્તમાં આમભાવ ભાવનાને ઉદય પણ છે એમ અનુમાનથી જાણવું, અને તે પુરુષની પૂર્વ જન્મમાં શુભ કર્મોનું અનુષ્ઠાને નહીં કરેલું હેવાથી શરીર વા ચિત્તથી ભિન્ન આત્મા કેમ સંભવી શકે? પરલોક કેમ સંભવી શકે? આત્માનું ધ્યાન શી રીતે સંભવે ? ઈત્યાદિ પૂર્વશરૂપ તર્કમાં જ રુચિ હેય અને તત્વનિર્ણયરૂપ સિદ્ધાંતમાં જેમની અરુચિ હોય તે પુનાં ચિત્તમાં આત્મભાવનાને ઉદય નથી એમ અનુમાનથી જાણવું. એક મહાન તવાન કવિ પ્રકાશે છે કે" હુ કેણ છું? ક્યાંથી થ? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે? વળગણ છે? રાખું કે એ પરિહર? હું કોણ છું ? બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શક છું. અથવા તે સ્ત્રી છું? પુરુષ છું ? વિગેરે For Private And Personal Use Only
SR No.533819
Book TitleJain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1953
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy