________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મનું શ્રેય જીવનની સર્વાગી શુદ્ધિ
[ ગત જેઠ વદ ૬, ૭, ૮ શુક્ર, શનિ અને રવિના દિવસોમાં મુંબઈખાતે મળેલ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સના સુવર્ણ જયંતિ ઓગણીસમા અધિવેશનના પ્રમુખશ્રી જામનગરનિવાસી અમૃતલાલ કાલીદાસ દોશી, બી.એ.ના
પ્રવચનને સારભાગ ] આરોહ-અવરોહની અનેક ભૂમિકાઓ પસાર કરીને કોન્ફરન્સ પચાસ વર્ષની લાંબી મજલ પૂરી કરી છે; અને તે દરમિયાન શિક્ષણપ્રચાર, સાહિત્યપ્રકાશન, જૈનચેરની સ્થાપના, તીર્થોદ્ધાર, સાધર્મિક ભક્તિ, સમાજસુધારણા આદિ અનેકાનેક શુભ કાર્યો કરેલાં છે; એટલે તેની સુવર્ણ જયંતી કેન્ફરન્સનું ઓગણીસમું અધિવેશન ભરીને તથા એના સ્થાપક શ્રીમાન ગુલાબચંદજી ઠઠ્ઠાનું યોગ્ય સન્માન કરીને કરવામાં આવે છે.
આ અધિવેશનના પ્રમુખપદનો ભાર ઉઠાવવા જેટલું શારીરિક અને માનસિક બળ મારી પાસે નહિ હોવા છતાં તેને મેં એટલા જ કારણે સ્વીકાર કર્યો છે કે આપ બધા આ કાર્યમાં મને પૂરેપૂરો સહકાર આપશે અને એ રીતે આપણે સાથે મળીને ચતુર્વિધ સંધ પરનું આપણું કર્તવ્ય યથાશક્તિ બજાવી શકીશું.
જૈન સમાજની ધાર્મિક, શૈક્ષણૂિક, સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિનું અવલોકન કરી યોગ્ય નિર્ણ કરવા અને તેને અમલમાં મૂકવાની યોજનાઓ ઘડવી એ કોન્ફરન્સને ઉદ્દેશ છે, તેથી આ વિષયમાં હું મારા વિચારો પ્રદર્શિત કરીશ.
ધાર્મિક પરિસ્થિતિ, આત પુરુષ એ ધર્મને મહામંગલકારી તથા સર્વ મનોરથોને સિદ્ધ કરનારો કહ્યો છે, તેથી તેનું આરાધન સર્વ કાલમાં સર્વ સ્થળે યોગ્ય મનાયું છે. આમ છતાં વર્તમાનકાળે ધર્મ પ્રત્યે એક જાતને અણગમો વ્યક્ત થઈ રહ્યો છે અને કહેવામાં આવે છે કે “ધર્મ એ એક પ્રકારનો કેફ છે, તેથી તેના પાલન-આરાધનમાં જે શક્તિ અને સમય પસાર કરવામાં આવે છે, તે નિરર્થક છે.' આ જાતના વિચારો અનેક ભેળા અને ભદ્રિક પુરુષના આત્માને સંભ્રમ-વિભ્રમમાં નાખી દે છે અને તેમને એવો વિચાર કરતા કરી મૂકે છે કે “ખરેખર અનેક સકાઓ સુધી ધર્મના નામે જનસમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યો હતો અને તે અત્યાચારમાંથી છોડાવવાનું માન આ નવા વિચારનાં દેલનને ઘટે છે.' આ વિચાર આપણુથી દૂર હતા ત્યાં સુધી તો આપણે જોયા કર્યું અને ધારી લીધું કે આવા ભુલક વિચાર આ સૃષ્ટિ પર અનેક આવ્યા અને અનેકનો નાશ થયો કે જેની ઇતિહાસમાં નેધ સરખી પણ લેવાઈ નથી. તાત્પર્ય કે આપણે તેની પૂરેપૂરી ઉપેક્ષા કરી, પરંતુ આ સ્થિતિ શોચનીય છે. પાડેશીનું ઘર બળતું હોય ત્યારે જે બેસી રહે છે, તે પાછળથી પરતાય છે. આપણે તેવું કર્યું છે અને તેનું પરિણામ શું આવ્યું છે? આપણા અનેક યુવક-યુવતીઓનાં મન એ વિચારથી રંગાઈ ગયા છે. આપણા પ્રાણ પુરુષોને હવે જ
( ૧૮૦ )
For Private And Personal Use Only