SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધ કરવી જોઈએ, અને નવાં મંદિરની દીવાલો ઉપર આવા પટો ચીતરાયા હોય તે કાઢી નાખવા જોઈએ. શેઠશ્રીએ ત્રીજી હકીકત એ કહી હતી કે-આપણા નવા મંદિર સ્થાપત્ય કળાના ભવ્ય નમૂનાઓ છે. તેમાં શિપકામ અને ચિત્રામણું કામ પણ ખરેખર કળાકાર કારીગરોના હાથે થયેલું છે. હાલમાં આવા નવા મંદિરોમાં સમારકામ કરાવતા જૂના સ્થાપત્ય કળા અને શિલ્પ અને ચિત્રામણને લક્ષમાં લેવાતું નથી. ઘણેખરે ઠેકાણે તે તેવા કામને નાશ કરી હાલના રંગ અને તખતી એથી શોભાવવા પ્રયત્ન થાય છે. આવા સમારકામમાં આપણું તથા કળા પ્રત્યેનું અજ્ઞાન પ્રદર્શિત થાય છે, માટે સમારકામ કરતા આપણા મંદિરોની જૂની કળાને પણ હંસ ન થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. તેઓશ્રીએ કહ્યું હતું કે-જૂતા મંદિરોમાં સમારકામ કેવું થવું જોઈએ તે સંબંધમાં આબૂછ ઉપરના અને રાણકપુરના મંદિરમાં જે સમારકામ થયેલ છે તેના દર્શન કરવા જોઈએ. તેઓશ્રીએ એક બીજી હકીકત એ જણાવી હતી કે-આપણુ મંદિરોમાં હાલમાં સીમેંટની લાદીઓ રંગબેરંગી ચડવાનો સવાલ આવ્યો છે. મંદિરોમાં ભોંયતળીયે ૫ણું રંગબેરંગી આરસ નાંખવામાં આવે છે. પરિણામ એ આવે છે કે-મંદિરમાં પ્રવેશ કરતાં પ્રભુભક્તિની અપૂર્વ ભાવના થવી જોઈએ, ચિતની એકાગ્રતા થવી જોઇએ, પ્રભુના ગુણે સાંભરવા જોઇએ, તેને સ્થાને મંદિરમાં દાખલ થતા મનમાં એકાગ્રતા થવાને બદલે ક્ષોભ થાય છે, અને જે ઉદ્દેશથી મંદિરમાં દર્શન કરવા જવાનું હોય છે તે ઉદ્દેશ પાર પતે નથી. છેવટે શેઠશ્રીએ કંડલાના સંઘે તેમને બોલાવી જે સત્કાર કર્યો તે માટે ખુશી વ્યક્ત કરી હતી. અ૯પાહાર લઈ મેળાવડો વિખરાયો હતે. જીવરાજ ઓધવજી. તાજેતરમાં જ બહાર પડ્યું છે પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા છ કત. ડૉ ભગવાનદાસ મનસુખભાઈ મહેતા M. B, B. s. મુમુક્ષ એને માટે આ પુસ્તક સારું માર્ગદર્શક છે. એક સો શિક્ષાપાઠો આપી તેમાં વિવિધ વિષયો તેમ જ ગુણોનું સુંદર આલેખન કર્યું છે. છેલ્લે હિતાર્થી પ્રશ્નોત્તર આપી સામાન્ય વાચક પણ સમજી શકે તેવી શિલીએ નિરૂપણ કરવામાં આવ્યું છે. વાંચવા યોગ્ય છે. ક્રાઉન સેળ પેજી ૪૦૦ પૂછ, પાકું હલ કર્લોથ બાઈડીંગ, મૂલ્ય માં રૂપિયા અઢી, પિસ્ટેજ જુદું. લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. - છછું For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy