________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધા સિંધુ
૧ વીતરાગ દર્શન કેને કહેવું? જેનું સ્વરૂપ સ્ત્રી સહિત, હથિયાર હિત, ફડમાલ રહિત હોય તથા જેનું ચરિત્ર ગારાદિક રસ રહિત એકાંત શાંત
સમય જ હોય અને અંતરંગ શત્રુને જીતનારું હોય પણ અસમંજસ ન હોય તેને વીતરાગ જાણવા. તેનું દર્શન કે વીતરાગ દર્શન–શાસન.
૨ સ્યાદવાદ કેને કહે ? એક વસ્તુ અમુક અપેક્ષાએ આમ હોય અને તેનાથી જુદી અપેક્ષાએ તેનું સ્વરૂપ જુદું પણ હોય તેમ જે કહેવું તેને સ્યાદવાદ કહે છે. દાખલા તરીકે રેતી આટા કરતાં ભારે છે પણ સીસા કરતાં હલકી છે. એટલે એક જ વસ્તુમાં ભારે તથા હલકાપણાને ગુણે જુદી જુદી અપેક્ષાએ રહેલ છે.
૩ પિતાનું સ્વરૂપ જેઓએ જણ્યું નથી અને અજ્ઞાન દષ્ટિવાળા છે તેવા આત્માઓ-જી તે બહિરાત્માએ જણવા, જેઓ આત્માનું સમ્યક સ્વરૂપ જાણે છે તેઓને અંતરાત્માઓ જાણવા અને જેમણે ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મને નાશ કર્યો છે તેઓને પરમાત્મા જાણવા.
૪ તલમાં જેમ તેલ વ્યાપી રહ્યું છે તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યા છે. અરણીના લાકડામાં જેમ અગ્નિ રહેલા છે તેમ દેહમાં આત્મા રહ્યો છે. આ શરીરવ્યાપી આત્મા આંખથી દેખાતા નથી, નાકેથી સુંઘાતી નથી પણ જ્ઞાનવડે તેનું આપણને ભાન થાય છે.
પ મૃગની નાભિમાં કસ્તુરી હોવા છતાં તેની ગંધ લેવા મગ બહાર ભટકે છે તેમ બહિરાત્મા અનંત આનંદરૂપ સુખ પોતાનામાં હોવા છતાં બહાર શોધે છે. - ૬ “મારો ધર્મ શ્રેષ્ઠ છે” એમ તો વગડામાં રહેનાર ભીલ પણ કહે છે, પરંતુ પિતાના ધર્મ પ્રમાણે વતીને જગતને પ્રભુના દિવ્ય માર્ગમાં વહેવરાવે એ જે કઈ બને તેને ધન્યવાદ ઘટે છે. ઉદાર ભાવ અને દાન વિના પ્રભુના મામાં રહી શકાતું નથી.
છ અ૫ કાળ જીવવું અને લાખો વર્ષ ચાલે એટલી ઉપાધિ કરવી એ શું ? કોના માટે ? કેટલી માથાકૂટ ? તૃષ્ણાને ખરેખર સૂકવી નાખી, પુગળના ક્ષણિક સુખમાં રાશીમારી ન રહેતાં આત્મિક સુખ મેળવવા પ્રયત્ન કરો.
ઉપાધિ છતાં નિરુપાધિમય જીવન ગાળવું એ આત્મજ્ઞાનનું બળ પ્રાપ્ત થયા વિના સંભવી શકતું નથી. આ કાળમાં ગીતાર્થ જ્ઞાનીના સમાગમ વિના કરવાનું એક કામ નથી.
For Private And Personal Use Only