SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ :: શ્રી જૈન ધર્મ પ્રકાશ પરન્તુ કુમારપાળ પ્રબંધમાં ઐતિહાસિક સામગ્રી વિશેષ પ્રમાણમાં છે. જો કે પ્રભાવકચરિત્ર, પ્રખ'ધચિંતામણિ અને ચતુર્વિશતિ પ્રશ્ન ધમાં આપેલી ઘટનાઓ કરતાં આ મહાકાવ્યમાં વિશેષતા નથી છતાં આપણે પુસ્તકમાં રહેલી ઐતિહાસિક ઘટનાઓના નિર્દેશાને માટે લક્ષ્ય આપવાની જરૂર છે. ગુજરાતના ઇતિહાસમાં આ પુતાનુ સ્થાન મહત્ત્વનું છે એમાં તે લગારે શકા નથી. આ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપદેશસતિકા અને ઉપદેશતર’ગિણી-આ બન્ને ગ્રંથા સેાળમી શતાબ્દિમાં બન્યા છે. પ્રથમ ગ્રંથના કર્તા પંડિતપ્રવર શ્રી સામધમ ગણિવર છે અને પંદર સેા ત્રણ (૧૫૦૩) માં આ પુસ્તક બનાવ્યું છે. બીજા ગ્રંથના કર્તા રત્નમાદર ગણિ છે. કઇ સાલમાં એ ગ્રંથ બનાવ્યા તેને ઉલ્લેખ નથી મળતા. બન્ને ગ્રંથકારોના વિષય સરખા છે, બન્ને ગ્રથામાં ઐતિ હાસિક સામગ્રી પ્રચુર પ્રમાણમાં છે જેથી બન્નેના સાથે જ ઉલ્લેખ કર્યો છે. બન્નેમાં શત્રુંજય, ગિરનાર, મળ્યુ, શકુનિકાવિહાર, જીરાવલા પાર્શ્વનાથ, કલિકુંડ પાર્શ્વનાથ, લેાધી પાર્શ્વનાથ, આરાસણ, સ્થંભનપાર્શ્વનાથ આદિ તીર્થોના ઇતિહાસ તેમજ મદિરા બંધાવનાર અને જર્ણોદ્ધાર કરાવનારને વિસ્તારથી પરિચય છે. પછી શ્રેણિકરાજ, અભયકુમાર, સંપ્રતિરાજ, વિક્રમ અને સિદ્ધસેનદિવાકરસૂરિ, વજસ્વામી, અપ્પટ્ટિ અને આમરાજા, જગડુંશાહ, કુમારપાળ, હેમચદ્રસૂરિ, વસ્તુપાળ, તેજપાળ, વિમળમત્રી, સમરા શાહ, જાવડશાહ, ભાવગશાહ, પેથડકુમાર, ઝીંઝણ કુમાર, અણ્ણરાજ, આંગડ, ચાહડ, રામચ ંદ્રસૂરિ, ભેાજ, મુજરાજ. ધનપાલ, સિદ્ધરાજ જયસિંહ, લવણુપ્રસાદ, વીરધવલ, ઉદયસિંહ, પાદલિપ્તસૂરિ, નાગાર્જુન, વૃદ્ધદેવસૂરિ, આભૂમત્રી, પરમાર પાલ્હેણુદેવ, દિલ્હીના શેડ સાજણસિંહ વગેરે વગેરે અનેક ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓના ટૂકમાં પણ સારા પરિચય આપ્યા છે. ગ્રંથકર્તાના ઉદ્દેશ ધર્મ ઉપદેશ સાથે ચરિત્ર વર્ણનના છે, છતાં ય ઇતિહાસને ખરાખર ન્યાય આપ્યા છે, કયાંય વિકૃતિ થવા દીધી નથી. ઉપદેશસતિકા કરતાં ઉપદેશતર ગણીમાં ઇતિહાસ વધારે સ્થાન પામેલ છે. તેમાં ઐતિહાસિક પ્રખ`ધા વધારે છે. ઉપદેશસસતિયા આત્માનદ સભાએ પ્રકાશિત કરેલ છે અને ઉપદેશતર’ગિણી બનારસ Àવિજયજી જૈન ગ્રંથમાળાએ પ્રકાશિત કરેલ છે. ઇતિહાસપ્રેમીએ ખાસ વાંચવા ચેાગ્ય પુસ્તક છે. ભાજપ્રમ‘ધ રત્નમ દિણના બનાવેલ છે. રાજા સેાજના સમયના ઇતિહાસ સાથે રસિક કથાઓ, બુદ્ધિવર્ધક કથાએ પણ પુષ્કળ છે. ભાજ, સુજ, ભીમ, માઘ, કાલિદાસ, બાણ, મયુર, માનતુ ગસૂરિ આદિને પણ ટૂંકમાં પરિચય છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી તેનુ ભાષાંતર બહાર પડેલ છે. લખાણુના ભયથી વિશેષ પરિચય આપ્યા નથી. For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy