SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ :: શ્રી જૈન ધર્મ પ્રકાર આ ગ્રંથ મહાન પ્રાચીન કથાગ્રંથ છે. તેમાં અનેક મહાપુરુષોનાં રસિક ચરિત્રે આવ્યાં છે. તેમાંના કેટલાંક ચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ પણ મહત્વનાં છે. આમાં અનેક સુંદર કથારો છે, તે પૈકી કેટલાંક આપણ ઈતિહાસ પ્રસિદ્ધ પુરુષોનાં ચરિત્ર છે, તે આ પ્રમાણે છે જંબુસ્વામી, જયપુરનરેશના પુત્ર, પ્રભવસ્વામી, શ્રેણિક, કુણિક, ચેટક, ચિલ્લણ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, કસાબીને રાજા જિતશત્રુ, આ સિવાય પ્રાચીન ચરિત્રમાં યદુવંશકુળતિલક બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથપ્રભુજી, સમુદ્રવિજય, કૃષ્ણ, બળભદ્ર, કંસ, જરાસંધ, પ્રદ્યુસ, શૌરીપુરની ઉત્પત્તિ, તક્ષશિલામાં ધર્મચક્ર સ્થાપનનો ઇતિહાસ, શ્રી આદીશ્વરપ્રભુનું સંપૂર્ણ ચરિત્ર, ભરતબાહુબલીના યુદ્ધનું કરણ વૃતાંત, મસિરિ, સગર ચક્રવર્તી, સનકુમાર ચકી, સુભૂમ ચકવત્તી, જમદગ્નિ, પરશુરામ, રામ, લક્ષ્મણ, દંડકારણ્યની ઉત્પત્તિને ઇતિહાસ, શ્રી શાન્તિનાથજી, શ્રી કુંથુનાથજી શ્રી અરનાથજી, હરિવંશકુળની ઉત્પત્તિ વગેરે વગેરે. આ સિવાયબીજાં પણ ઘણાં ઐતિહાસિક ચરિત્ર છે. પ્રાચીન જૈન કથાએનું મૂળ આ મહાગ્રંથ છે. ઐતિહાસિક દષ્ટિએ આ કથાઓનું મૂલ્ય ઘણું છે. શોધકને તેમાંથી વસ્તુ વિપુલ પ્રમાણમાં મળે તેમ છે. આ ગ્રંથ હમણાં જ બે વિભાગમાં આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ છે, હવે ત્રીજો ભાગ પ્રકાશિત થવાનું છે. કુલ ૨૮૦૦૦ લેકપ્રમાણ આ મહાન્ ગ્રંથ છે. આની પછી શ્રી કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત ત્રિષષ્ટિશલાકે પુરૂષચરિત્ર પર્વ દશ, આ દશે પર્વની મૂળ વસ્તુ આવશયનેયુક્તિ અને વસુદેવોહડિમાં છે. આમાં પ્રાચીન કાળના ત્રેસઠ મહાપુરૂષોનાં સુંદર કાવ્યરૂપે ચરિત્ર છે. તેમાં છેલ્લું દશમું પર્વ વર્તમાનપ્રસિદ્ધ ઐતિહાસિક મહાપુરૂનાં જીવનવનની દષ્ટિએ મહત્વનું છે. તેમાં ભગવાન શ્રી મહાવીર દેવનું વિસ્તૃત જીવનચરિત્ર છે. સાથે જ તે વખતના ભારતના પ્રસિદ્ધ પ્રસિદ્ધ રાજાઓનાં ચરિત્ર પણ મહત્વનાં છે. રાજગૃહીને શ્રેણિક, વિશાલાનો ચેટક, અવન્તિને પ્રોત, ચંપાનો દધિવાહન, આ સિવાય પટ્ટણા-પાટલિપુત્રની ઉત્પત્તિ, ચંપાની સ્થાપના, નવ સ્વેચ્છીક, નવ લીસ્કીવીઓને પરિચય તેમ જ આ સિવાયની ઘણી ઘટનાઓ ઈતિહાસમાં અત્યુપાગી છે. પાંત્રીશ હજાર કલાકમાં આ દશ પર્વ રહ્યાં છે. આ દશે પર્વ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રકાશિત થયેલ છે. ત્યારપછી પરિશિષ્ટપર્વત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વની પૂર્તિરૂપે આ ગ્રંથ છે. દશમા પર્વમાં શ્રી સુધમોસ્વામી સુધીના આચાર્યો અને તે વખતના રાજવંશોનો પરિચય છે, જ્યારે પરિશિષ્ટ પર્વમાં શ્રી સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામીથી લઈને વિક્રમની દ્વિતીય શતાબ્દિના મહાન For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy