SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવણૅ મહાત્સવ અંક ઃ ૧૧૫ વિચારણા, ધર્મ –ચિંતન, ધર્માંમાંથન, સમાજ પરિચય, સામાજિક પ્રશ્નોને ઉહાપાત, ફ્રિકાના સ્થાનમાં સમાજનુ અને સમાજના સ્થાનમાં રાષ્ટ્ર તેમ જ વિશ્વદષ્ટિનુ સ્થાન ઇત્યાદિ જે વિષયેા અનુભવગત છે તે તે મોકળા મને પૂરે વખત લઇ ચર્ચું તે ઘણા જણ એ વાંચી પોતાના અનુભવાતે એની સાથે સરખાવી સામ્ય અનુભવી શકે અને તેના પતન–ઉત્પતનમાંથી તેઓ પોતાના વિષે પણ કાંક વિચારી કે; પરંતુ અહિં મારા ઉદ્દેશ પરિમિત છે અને તે એટલે જ કે પ્રકાશ પત્રનુ મારા જીવનમાં શું સ્થાન છે એ દર્શાવવું શ્રીયુત પરમાનંદ કાપડિયાના પ્રકાશ પુત્ર સાથેના સંબંધ પછી જે કાંઇ તેમાં વિશાળતા અને ઉદારતાની દિશામાં થેાડે ફેરફાર થયા છે. તેને અને ખીજા અતિ થોડા ફેરફારને બાદ કરીએ તે એ પત્ર વિષે આ ક્ષણે મારા મન ઉપર ચેાગ્ય પત્રત્વની સારી છાપ નથી. મારા મન ઉપર એવી છાપ પડી છે કે એ પત્ર તાત્ત્વિક રીતે અભ્યાસપૂર્ણ અને તદ્દન નિષ્પક્ષપણે સામાન્ય ધર્મને પણ વિચાર નથી કરતું તેા પછી જૈનધર્મને વિચાર કરવાની અને તે ઉપર પ્રકાશ ફેંકવાની વાત તો બાજુએ જ રહી. પરંતુ જો મારી આ ધારણા આંશિક પણ સાચી હોય તેય તે તે અત્યારની માનસિક ભૂમિકાની છે. મારૂં મન ઘણા નાના-મોટા વાડા વટાવી આગળના અલક્ષિત મેદાનમાં કૂદકા ભૂસકા મારતું હેાય અને જુદી જુદી દિશાએ સ્પર્શવા ભટકતું હેાય તે એ એના ગુણ દોષથી પ્રકાશ પત્રને વિષે એમ ક૨ે એ સહજ છે; છતાં જ્યારે હું મારા અંધકારયુગીન ભૂતજીવનની જટિલ ગ્રંથીએ વિષે વિચાર કરૂ છું ત્યારે મને લાગે છે કે એ પત્રે એક નાના ભાઇની પેઠે મને મુંઝવણના અંધકારમાં પ્રકારા અને રૂપે મદદ આપી છે. એક વાર તદ્દન નગણ્ય લાગતી વસ્તુ પણ કારેક કેટલી જીવનપ્રદ અને પોષક અને છે એને આ પ્રકાશ મારા વનમાં એક સચેટ દાખલો છે. વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક, ભિન્નભિન્ન દર્શન, આગમ, પિટક, વેદ, ઉપનિષદ, પુરાણ, ધ શાસ્ત્ર આદિના હજારેા પાચા ફેંદી નાખનાર અસ્થિર અને લગભગ એક જ સ્થાને એક જ દિશામાં વિચાર કરનારા સ્થિર. મન વચ્ચે ધીરેધીરે કરતાં કાળક્રમે મેટું અંતર પડી જાય તે એ સ્વાભાવિક છે, પણ તેમ છતાં એ પ્રકાશના અતિ અલ્પ વાચનમાંના કેટલાક લેખે તેા અત્યારે પણ મારી નજર સામે તાદૃશ ખડા થાય છે. શ્રીયુત અનુપચ ંદભાએ કયારેક બ્રહ્મચર્ય વિષે અને કદાચ તેવા ખીજા એક વનસ્પર્શી વિષય વિષે પ્રકાશમાં લેખે લખેલાં. તેને પ્રભાવ આજ પણ મારા જીવનમાં બળ પ્રેરી રહ્યો છે. મને ઘણી વાર એમ તેા લાગ્યું જ છે કે એ પત્ર ભલે પંથ અને ગચ્છ તેમજ ગુરૂવિશેષની ભાવનામાંથી જમ્મુ હાય છતાં જો એતો વિકાસ વર્તમાન સંયેાગે અને સાધના પ્રમાણે પૂરેપૂરા થયેા હત અથવા હજી પણ થાય તે એ પત્ર અધ વયે પહોંચીને ઘડપણમાં પ્રવેશ કરવાને બદલે ઉલટુ નવજીવનમાં પ્રવેશ કરે. જે કાર્ય વ્યક્તિ જીવનની કળા જાણતી થાય તે। એ જેમ જેમ ઉમરે વધે તેમ તેમ ઘડપણને બદલે વધારે નવજીવન For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy